“RRR” ફિલ્મની અપાર સફળતા બાદ જુનિયર NTRએ લીધું એવું કઠોર વ્રત કે આપણે તો વિચારી પણ ના શકીએ, જુઓ

નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ “RRR”ના હીરો જુનિયર એનટીઆર દર્શકોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. RRR એ તેની રિલીઝ પછી થિયેટરોમાં તહેલકો મચાવી દીધો હતો. રિલીઝના 24 દિવસ બાદ પણ આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત આ ફિલ્મે ઘણા સમય પહેલા 1000 કરોડ ક્લબમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું.

આ સાથે ફિલ્મના હિન્દી વર્ઝનને પણ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. RRR રિલીઝ થયા પછી, અભિનેતા રામ ચરણે સબરીમાલા મંદિરમાં દીક્ષા લીધી. હવે સમાચાર છે કે ફિલ્મની સફળતા જોઈને અભિનેતા જુનિયર એનટીઆરએ હનુમાન દીક્ષા લીધી છે. જુનિયર એનટીઆરે લગભગ 21 દિવસ સુધી ઉઘાડા પગે રહેવાની પ્રતિજ્ઞા લીધી છે.

અભિનેતાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં તેઓ કેસરી રંગનો કુર્તા-પાયજામા, ગળામાં માળા અને કપાળ પર તિલક લગાવેલા જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂનિયર એનટીઆર મંદિરમાં પૂજા કરતા અને દીક્ષા લેતા જોવા મળ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો તેમણે હનુમાન જયંતિ પર પૂજા કરી હતી.

આ દરમિયાન તે ભગવા કપડામાં જોવા મળ્યા હતા. તેમના ઓવરઓલ લુકને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ધાર્મિક રીતે લીધેલી દીક્ષાને અનુસરી રહ્યા છે. જાણકારી અનુસાર, જુનિયર NTR લગભગ 21 દિવસ સુધી ઉઘાડા પગે રહેશે અને સાત્વિક ખોરાક ખાશે. મેગાસ્ટાર રામ ચરણે પણ જુનિયર એનટીઆર પહેલા અયપ્પા દીક્ષા લીધી હતી.

રામ ચરણ 45 દિવસના નિયમનું પાલન કરે છે. થોડા દિવસો પહેલા આયોજિત RRR સક્સેસ પાર્ટીમાં ફિલ્મ સ્ટાર રામ ચરણ પણ ખુલ્લા પગે જોવા મળ્યા હતા. પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, જુનિયર એનટીઆર આ દિવસોમાં ફિલ્મ RRRની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ સિવાય તે ટૂંક સમયમાં ડાયરેક્ટર કોરાટાલા શિવાની દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ માટે જુનિયર એનટીઆરએ પોતાનું વજન ઘટાડ્યું છે.

Niraj Patel