‘જોધા અકબર’ની દિગ્ગજ અભિનેત્રીનું થયું હતું નિધન, મા વિનાનો થયો એક વર્ષનો દીકરો

દુઃખદ સમાચાર: દિગ્ગજ અભિનેત્રીનું અચાનક જ નિધન થયું હતું અને કરોડો ફેન્સ ધ્રુજી ઉઠ્યા, જે રીતે મૃત્યુ થયું એ જાણીને લાગી જશે આઘાત

છેલ્લા ૨ વર્ષ આપણા માટે બહુ જ ખરાબ ગયા છે. કેટલાય લોકોના પરિવારજનોએ કોરોનામાં પોતાની નજીકના લોકોને ગુમાવ્યા છે.

હાલમાં જ સમાચાર મળ્યા છે કે ઝી ટીવીનો શો જોધા અકબરમાં સલીમા બેગમની ભૂમિકા માટે ફેમસ અભિનેત્રી મનીષા યાદવ નું 1 ઓક્ટોબરના રોજ નિધન થયું છે. આ ઘટનાનું સાચું કારણ હજુ બહાર આવ્યું નથી, જોકે સૂત્રોનું કહેવું છે કે

તેમનું મૃત્યુ બ્રેઇન હેમરેજથી થયું છે. શોમાં જોધાનું પાત્ર ભજવનાર પરિધિ શર્માએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની તસવીર શેર કરી અને લખ્યું, “આ સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે, RIP @manisha_Mann”

બ્રેન હેમરેજને લીધે અભિનેત્રી મનિષા યાદવે શુક્રવારે આ દુનિયામાંથી છેલ્લા શ્વાસ લીધા હતા. આટલી નાની ઉંમરે તેનું આમ અચાનક ચાલ્યા જવું તે પરિવાર તેમજ મિત્રો માટે આંચકાસમાન છે. આ એક્ટ્રેસ ટીવી શો ‘જોધા અકબર’માં પોતે ભજવેલા પાત્ર માટે જાણીતી હતી.

અભિનેત્રીએ પરિધિ શર્મા કે જે તેણે ‘જોધા અકબર’મા મુખ્ય ભૂમિકા ભજવી હતી તેણે ઈન્સ્ટાગ્રામ પર દિવંગત એક્ટ્રેસની તસવીર શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર પરિધિએ જણાવ્યું છે કે

‘શો ઓફ-એર થયા બાદ હું તેના સતત તેના સંપર્કમાં નહોતી. પણ અમારું એક વોટ્સએપ ગ્રુપ છે, જેનું નામ મુગલ છે અને શોમા જે બેગમ બની હતી તે તમામ અભિનેત્રીઓનું ગ્રુપનો ભાગ છે. તેથી, આ રીતે અમે સંપર્કમાં રહીએ છીએ.

જો કોઈના જીવન અંગે શેર કરવાનું મહત્વનું લાગે તો ગ્રુપમાં કહીએ છીએ . મને ગ્રુપ થકી જ ગઈકાલે તેના નિધનની જાણ થઈ હતી અને મને આંચકો લાગ્યો હતો’. પરિધિએ વધુમાં જણાવ્યું કે ‘એ અભિનેત્રી જોડે કામ કરવાની મજા આવતી હતી.

તેની એનર્જી હંમેશા વધારે રહેતી હતી અને વાતોડી હતી. શો માટે સાથે શૂટિંગ કરવાના સમયને અમે માણ્યો હતો. મને યાદ છે તે જીવનને મન ભરીને જીવતી હતી. જ્યારે મેં આ દુઃખદ ઘટનાના સમાચાર સાંભળ્યા ત્યારે મને ખરેખર દુઃખ થયું હતું

અને તેનો દીકરો હજી એક વર્ષનો જ છે તે વાત મને વધારે પરેશાન કરી રહી છે. મારું દિલ તેના પરિવારની સાથે છે’. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીનો પુત્ર જૂન મહિનામાં એક વર્ષનો થયો હતો, જેના બર્થ ડેનું સેલિબ્રેશન તેણે ધામધૂમથી કર્યું હતું અને તસવીરો પણ શેર કરી હતી.

તેની સાથે લખ્યું હતું ‘મારા કિંમતી બાળકને પહેલા જન્મદિવસની શુભેચ્છા. મારા નાનકડા દીકરા તું સાચેમાં કપરા વર્ષમાં મારા જીવનમાં પ્રકાશ બનીને આવ્યો છે. તારી મમ્મી બની તે માટે આભારી છું. આઈ લવ યુ સો મચ’.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ હમણાં જ જૂન મહિનામાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેની પણ તસવીર તેણે શેર કરી હતી અને લખ્યું હતું ‘આભારે આજે કોવિડ-19ની રસીનો પહેલો ડોઝ લઈ લીધો… ખુશી છે કે તે વધારે વાગી નહીં…જલ્દીમાં જલ્દી રસી લઈ લો. આપણે આ સ્થિતિમાં સાથે છીએ’.

 

YC