મનોરંજન

TMKOC : જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સહિત ત્રણ વિરૂદ્ધ કરી ફરિયાદ, પોલિસે 6 કલાક કરી પૂછપરછ

અસિત મોદી વિરૂદ્ધ જેનિફર મિસ્ત્રીનું રેકોર્ડ થયુ સ્ટેટમેન્ટ, બોલી- 6 કલાક પોલિસ સ્ટેશનમાં હતી

Jennifer Mistry Against Asit Modi: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન ભાભીનો રોલ પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. નિર્માતા અસિત મોદી પર જેનિફરે ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે પ્રોજેક્ટ હેડ સોહેલ અને જતીન બજાજને પણ લપેટ્યા છે. અભિનેત્રીએ તેના પર કામના સ્થળે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ઇટાઇમ્સ સાથેની ખાસ વાતચીતમાં અભિનેત્રીએ સેટ પર માનસિક ઉત્પીડનનો પણ ખુલાસો કર્યો હતો અને તેમની સામે ફરિયાદ પણ નોંધાવી હતી.

હવે અભિનેત્રીએ પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન પણ નોંધાવ્યુ છે. તેણે પોતે આ અંગે માહિતી આપી છે. ઇટાઇમ્સ ટીવી સાથેની ખાસ વાતચીતમાં જેનિફર મિસ્ત્રીએ જણાવ્યું કે તે પોતાના વતનથી મુંબઈ પરત ફરી છે. તેનું નિવેદન નોંધવા માટે પવઈ પોલીસે તેને બોલાવી હતી. તે કહે છે કે, મારે મુંબઈ આવવું પડ્યું કારણ કે મને પોલીસે બોલાવી હતી. હું પોલીસ સ્ટેશન ગઇ અને મારું નિવેદન નોંધાવ્યુ. હું બપોરે 12 વાગ્યે પહોંચી અને 6:15 વાગ્યે નીકળી.

મેં તેના વિશે બધું જ કહ્યું છે. હું ત્યાં 6 કલાક હતી. હવે કાનૂન તેનું કામ કરશે. જેનિફરે આગળ કહ્યુ- મને કહેવામાં આવ્યું છે કે જો કંઈ જરૂર હશે અને મારે ફરીથી જવુ પડશે તો મને જણાવવામાં આવશે. હમણાં માટે મારુ નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યુ છે. જ્યારે જેનિફરે અસિત મોદી, સોહિલ અને જતિન પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો, ત્યારે પ્રોડક્શન હાઉસે એક નિવેદન બહાર પાડીને અભિનેત્રી પર સેટ પર લોકો સાથે અનુશાસનહિન, અપમાનજનક અને નિયમિતરૂપથી દુર્વ્યવહારની વાત કહી હતી.

બીજી તરફ ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ, અભિનેત્રી પ્રિયા આહુજા રાજદા, મોનિકા ભદોરિયા અને નિર્દેશક માલવ રાજદાએ પ્રોડક્શન હાઉસ દ્વારા જેનિફર પર કરવામાં આવેલા દાવાઓને ફગાવી દીધા હતા અને અભિનેત્રીને કામ કરવા માટે ખુશ મિજાજી ગણાવી હતી. જેનિફર, મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજા રાજદાએ પણ અસિત મોદી સહિત પ્રોડક્શન હાઉસ પર ઘણા આરોપો લગાવ્યા હતા.

એક ઈન્ટરવ્યુમાં આ અભિનેત્રીઓએ જેનિફરના સેટ પર માનસિક ઉત્પીડનના આરોપોને સમર્થન આપ્યું હતું, જો કે, તેઓએ જાતીય સતામણીના એંગલ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. જણાવી દઈએ કે જેનિફર 15 વર્ષ સુધી આ શોનો ભાગ હતી. પરંતુ નિર્માતાઓ સાથે અણબનાવ પછી, જેનિફરે 7 માર્ચે શો છોડી દીધો અને ત્યારથી તે સેટ પર પાછી ફરી નથી.