લોકપ્રિય ટીવી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી ચૂકેલી મિસિસ રોશન સિંહ સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલએ શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે અસિત મોદીએ તેને ઘણી વખત સેક્સ્યુઅલ ફેવર માટે કહ્યું છે. જો કે, તેણે શરૂઆતમાં વસ્તુઓની અવગણના કરી. તેને ડર હતો કે તેને કામ મળતું બંધ થઈ જશે. જેનિફરનું કહેવુ છે કે શોના સેટનું વાતાવરણ ‘મેલ શોવનિષ્ટ’ જેવું છે. બધા ત્યાં મજૂરીની જેમ કામ કરે છે.
જેનિફરના આ આરોપો પર શોમાં ‘ભીડે’નું પાત્ર ભજવનાર અભિનેતા મંદાર ચંદવાદકરની પ્રતિક્રિયા સામે આવી છે. પિંકવિલા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે હું વિચારી રહ્યો છું કે તેણે આવું કેમ કર્યું ? બંને વચ્ચે શું થયું છે અને શું થઈ ગયું છે તેની મને બિલકુલ ખબર નથી. જેનિફરના આરોપો પર પ્રતિક્રિયા આપતા મંદારે કહ્યું – સેટ પર ‘મેલ શોવનિષ્ટ’ જેવું વાતાવરણ નથી. તેના બદલે વાતાવરણ ખૂબ સારું છે. સ્વસ્થ વાતાવરણ છે, હું સમજું છું કે જો સેટ પર સારું વાતાવરણ ન હોત તો શો 14 વર્ષ સુધી શો ચાલ્યો ન હોત.
આજ તક સાથે વાત કરતા જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું કે, શરૂઆતથી જ અસિત જી ઘણી વખત કહેતા હતા કે તમે ખૂબ સારા દેખાઈ રહ્યા છો. તેણે મને એકવાર પૂછ્યું કે શું તું પીવે છે ? મેં બિંદાસ વ્હિસ્કી કહ્યું. આ પછી તે મને વારંવાર કહેતો હતો – આવી જાવ વ્હીસ્કી પીએ. તેઓ તે મજાકમાં બોલતા. પરંતુ 2019માં અમારી આખી ટીમ સિંગાપોર ગઈ હતી. ત્યાં અસિત મોદીએ 8 માર્ચે મને કહ્યું – મારા રૂમમાં આવીને વ્હિસ્કી પીઓ. તેની પાસેથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું. પછી એક દિવસ પછી તેણે કહ્યું – તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો.
મને પકડીને ચુંબન કરવાનું મન થાય છે. આ સાંભળીને હું ધ્રૂજવા લાગી. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે મેં મારા બે સાથીઓને આ વિશે જણાવ્યું. એકે અસિત મોદીને ઘણું બધું સંભળાવ્યું. બીજાએ અસિત મોદીની સામે મને પ્રોટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો. એકવાર આસિત મોદીએ કહ્યું- જો તમારી પાસે રાત્રે રૂમ પાર્ટનર ન હોય તો મારા રૂમમાં આવીને વ્હિસ્કી પીઓ. જ્યારે એવું લાગ્યું કે દાળ નથી ઓળગવાની, ત્યારે તેઓએ મને ઓછી સ્ક્રીન સ્પેસ આપવાનું શરૂ કર્યું.
ગયા વર્ષે પણ જ્યારે મેં આસિત મોદીને રજા માંગવા માટે ફોન કર્યો ત્યારે તેમણે મને કહ્યું કે રડ નહીં, જો પાસે હોતી તો ગળે લગાડતો, ફ્લર્ટ કરતો. ફ્લર્ટ કર્યા પછી તે કહેતો હતો કે હું મજાક કરું છું. મારા વકીલે મને સમજાવ્યું કે હવે ચૂપ રહેવું યોગ્ય નથી. તમારે તમારો અવાજ ઉઠાવવો પડશે. જો કે, આજતક સાથે વાત કરતા અસિત મોદીએ કહ્યું કે જેનિફર તેને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અસિત મોદી અને તેમની ટીમનું કહેવું છે કે જેનિફર સેટ પર શિસ્તબદ્ધ નહોતી અને પ્રોડક્શન તેના વિશે રોજ ફરિયાદ કરતું હતું.
આરોપ છે કે શોમાં તેના છેલ્લા દિવસે જેનિફરે સેટ પર બધાની સામે દુર્વ્યવહાર પણ કર્યો હતો. પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને જતીન બજાજે જણાવ્યું હતું કે, તે દરરોજ આખી ટીમ સાથે ખરાબ વર્તન કરતી હતી. તેઓએ સેટની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમારે તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવો પડ્યો કારણ કે શૂટિંગ દરમિયાન તેનું વર્તન ખૂબ જ ખરાબ હતું. એવું કહેવાઇ રહ્યુ છે કે, જેનિફર સામે અસિત મોદી કાયદાકીય પગલાં લેવાના છે અને તેઓએ એ પણ કહ્યુ કે શોમાંથી જેનિફરને કાઢવામાં આવી એટલે તેણે પાયાવિહોણા આરોપ લગાવ્યા છે.