લાંબા સમય સુધી સ્વસ્થ અને સુંદર દેખાવા માટે વજનને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. વધતી જતી સ્થૂળતાથી તમારો દેખાવ તો બદલાઈ જ જાય છે પણ સાથે જ શુગર, હાઈ બીપી અને હૃદય સાથે જોડાયેલી બીમારીઓ પણ થાય છે. કસરત અને યોગ્ય ડાયેટ સાથે શરીરનું વજન ઘટવું યોગ્ય છે પણ પેટ પર જમા થયેલી જિદ્દી ચરબીને ઘટાડવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમે પણ પોતાના પેટની ચરબીને લઈને કે વધેલા વજનને કારણે પરેશાન છો તો આજે તમારા માટે એક ટેક્નિક લઈને આવ્યા છીએ કે જે કરવામાં ખૂબ જ સરળ છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. આ જાપાનીસ ટેક્નિક દ્વારા થોડા જ દિવસોમાં વધેલા વજનથી છુટકારો મળશે અને સાથે જ પીઠનો દુઃખાવો પણ ઓછો થશે.

ખરેખર આ કસરતની શોષ જાપાનના અભિનેતા માઈક રૉસુકે કરી છે. આ કસરત કરીને માઈકે થોડા જ અઠવાડિયાઓમાં પોતાનું વજન 13 કિલો સુધી ઘટાડી દીધું. રસપ્રદ વાત એ છે કે તેને ડોકટરે આ કસરત પીઠનો દુઃખાવો ઘટાડવા માટે કરવા કહ્યું હતું પણ સાથે સાથે તેનું વજન પણ ઘટી ગયું.
આ ટેક્નિકનું નામ છે લોન્ગ બ્રીધ ડાયેટ, જેમાં તમારે એક વિશેષ મુદ્રામાં ઉભું રહેવાનું હોય છે અને ત્રણ સેકન્ડ સુધી શ્વાસ લઈને જોરદાર રીતે સાત સેકન્ડ સુધી છોડવાની હોય છે. આ હકીકત છે કે શ્વાસ લેવાની કસરતથી વજન ઘટાડવામાં મદદ મળે છે. યુરોપના ઘણા ડોક્ટરોએ આ દાવાનું સમર્થન કરતા જણાવ્યું છે કે આ અસરકારક છે.

એવું માનવામાં આવે છે કે ઓક્સિજન, કાર્બન અને હાઇડ્રોજન મળીને જ શરીરમાં ફેટ જમા થાય છે, જયારે આપણે Long Breath Diet Exercise ની Practice કરીએ છીએ તો ઓક્સિજન ફેટ કોશિકાઓ સુધી પહોંચે છે, અને તેને પાણી અને કાર્બનમાં બદલી નાખે છે. આવું કરવાથી શરીરમાં હાજર બધી જ ફેટ ઓક્સિજનમાં બદલાઈ જાય છે. આવું કરવાથી શરીરની બધી જ ચરબી ઓક્સિજનમાં ફેરવાઈ જાય છે, જેને કારણે તમને તમારું શરીર સ્વસ્થ લાગવા લાગે છે.

કસરત કરવાની રીત –
સૌથી પહેલા સીધા ઉભા રહી જાઓ, તમારો એક પગ આગળ અને એક પાછળ રાખીને ટટ્ટાર ઉભા રહી જાઓ. કમરથી નીચેનું શરીર સ્ટ્રેચ થવું જોઈએ. શરીરનું બધું જ વજન પાછળ રાખેલા પગ પર જવા ડો. હવે ધીરે-ધીરે પોતાન હાથને સીધા ઉપર ઉઠાવો. એ પછી ધીરે-ધીરે 3 સેકન્ડ શ્વાસ લો. પછી 7 સેકન્ડ માટે જોરથી શ્વાસ છોડો, પોતાના શરીરની બધી જ પેશીઓ તાણીને. આ કસરત જેટલી થઇ શકે એટલી વખત કરો. આનાથી પેટની ચરબી ઘટશે અને શરીરની માંસપેશીઓને મજબૂતી પણ મળશે અને મેટાબોલિઝમ પણ વધશે.

આ કસરત કરવાથી અન્ય ફાયદાઓ પણ થાય છે, જેમ કે –
- હૃદયને સ્વસ્થ રાખે છે.
- ફેફસાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- અસ્થમાના દર્દી માટે રાહત થાય છે.
- ત્વચાસંબંધિત એલર્જીનો આ ઘરેલુ ઈલાજ છે.
- બેચેની અને ગભરામણથી રાહત અપાવે
- બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.