શાહિદ અલી સાથે નિકાહ કરનાર બેંક મેનેજર સુરભિએ કરી આત્મહત્યા, છેલ્લા શબ્દો જોઈને ધ્રુજી જશો…

ધોરણ 6 પાસ શાહિદ અલી સાથે લગ્ન કરનાર રૂપ રૂપનો અંબાર સુરભિએ કરી આત્મહત્યા, યુવતી PNB માં મેનેજર હતી, જાણો સમગ્ર મામલો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં ઘણીવાર આર્થિક તંગીથી કંટાળી, તો ઘણીવાર પ્રેમ સંબંધ તો ઘણીવાર માનસિક હેરાનગતિને કારણે આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલમાં પ્રેમના દર્દનાક અંતની કહાની સામે આવી છે.

ટોંક રોડ નેહરુ પેલેસ સ્થિત પંજાબ નેશનલ બેંકની માર્કેટિંગ મેનેજર સુરભી કુમાવતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના 1 ઓક્ટોબર એટલે કે શનિવારે મધરાત બાદ બની હતી. 2 ઓક્ટોબરના રોજ સવારે જ્યારે સુરભીના પતિએ તેની પત્નીની લાશને સીલિંગ ફેન સાથે લટકતી જોઈ

તો તેણે તરત જ તેને છરી વડે ફાંસો કાપીને નીચે ઉતાર્યો હતો. માહિતી મળતાં જ મુહાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસને સુરભીના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી, જે જપ્ત કરવામાં આવી છે. પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા કરી રહી હોવાનું માની રહી છે

પરંતુ પરિવાર હજુ માની શકતો નથી. તેનું કારણ છે સુરભી કુમાવતના શાહિદ સાથેના લવ મેરેજ. સુરભી કુમાવતે છ વર્ષ પહેલા યુવક શાહિદ સાથે લવ મેરેજ કર્યા હતા. સુરભીએ પોતાની સુસાઈડ નોટમાં મોત માટે પતિ શાહિદને જવાબદાર ગણાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુરભી PNB બેંકમાં માર્કેટિંગ મેનેજર હતી. પરંતુ તેનો પતિ શાહિદ છ પાસ છે

અને બેરોજગાર છે. શાહિદનો દાવો છે કે તે 14 વર્ષથી પ્રેમમાં હતા. જ્યારે સુરભી કોચિંગમાં જતી ત્યારે શાહિદ ફિલ્ટર વોટર સપ્લાયનું કામ કરતો હતો. 2016માં સુરભીને બેંકમાં નોકરી મળી. જે બાદ સુરભી અને શાહિદે લવ મેરેજ કર્યા હતા. શાહિદનો દાવો છે કે સુરભીએ તેનો હિંદુ ધર્મ નથી છોડ્યો, પરંતુ તે મુસ્લિમમાંથી હિંદુ બની ગયો.

પરંતુ સુરભીનો પરિવાર શાહિદના ધર્મ પરિવર્તનના દાવા સાથે સહમત નથી. પતિ શાહિદનું કહેવું છે કે એક કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ શનિવારે રાત્રે સુરભી અને પાંચ વર્ષની પુત્રી સાથે ઘરે આવ્યો હતો. જે બાદ ત્રણેય રૂમમાં સુઈ ગયા હતા. પરંતુ રવિવારે સવારે ફ્લેટના અન્ય રૂમમાં સુરભીની લાશ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પતિ શાહિદે પોલીસને જાણ કરી હતી.

જે બાદ મુહાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. મુહાના એસએચઓએ જણાવ્યું કે પોલીસને સુરભીની સુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે આપઘાતના કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે તે તેના પતિની નફરતને કારણે આ પગલું ભરી રહી છે. તેણે પોતાની પુત્રીને છોડીને જવાનું દુ:ખ પણ વ્યક્ત કર્યુ છે. હાલ પોલીસ તમામ પાસાઓના આધારે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સુરભીના પતિ શાહિદનું કહેવું છે કે તેમની વચ્ચે કેટલાક ઝઘડા થયા હતા પરંતુ તે એટલા મોટા પણ નહોતા.

સુરભી થોડા દિવસો પહેલા બાઇક ખરીદવા માંગતી હતી. તે બે લાખની કિંમતની બાઇક પસંદ કર્યા બાદ આવી હતી. શાહિદનું કહેવું છે કે તે બાઇક ખરીદવાના પક્ષમાં ન હતો. ત્યારબાદ સુરભી પણ તેની વાત સાથે સંમત થઈ ગઈ. સુરભીના ભાઈ અને તેના પરિવારનો આરોપ છે કે શાહિદ તેને હેરાન કરતો હતો. તેમણે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસની માંગ કરી છે. જો કે, સુરભી કુમાવતનું મોત ચર્ચાનો વિષય છે. મૃતક મૂળ ટોંક જિલ્લાના નિવાઈના રહેવાસી હતા. તે છેલ્લા 25 વર્ષથી જયપુરમાં રહેતી હતી.

Shah Jina