IPL 2021ના બીજા ચરણનું આયોજન હવે યુએઇમાં થશે. બીસીસીઆઇ એસજીએમમાં શનિવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાને કારણે IPL 2021ને 4 મેએ સસ્પેંડ કરી દેવામાં આવી હતી.
NEWS 🚨 BCCI to conduct remaining matches of VIVO IPL in UAE.
More details here – https://t.co/HNaT0TVpz1 #VIVOIPL pic.twitter.com/nua3e01RJt
— BCCI (@BCCI) May 29, 2021
ઇંડિયન પ્રીમિયર લીગના 14માં સીઝનની બાકીની મેચ પર દર્શકોના સવાલના જવાબનો હવે અંત આવી ગયો છે. બીસીસીઆઇએ બાકીની મેચો યુએઇમાં કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ સિઝનને યુએઇમાં શિફટ થવાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ બીસીસીઆઇ અત્યાર સુધી આ વાત પર કંઇ પણ બોલવાથી બચી રહ્યુ હતુ.
શનિવારે આઇપીએલ 2021ને લઇને એક મીટિંગ બોલાવવામાં આવી અને છેલ્લા વર્ષની સફળતાને જોતા યુએઇમાં આ સિઝનની બાકીની મેચો એટલે કે 31 મેચોની મિજબાની માટે તેને પસંદ કરી લેવામાં આવ્યુ છે.
બીસીસીઆઇએ આ બેઠકમાં એ પણ નક્કી કર્યુ છે કે, તે આઇસીસીથી ટી20 વર્લ્ડને લઇને કોઇ પણ નિર્ણય લીધા પહેલા ભારતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે રાહ જોવાનુ કહેશે. આઇસીસીની બેઠક એક જૂને થવાની હતી. આ ઉપરાંત ઘરેલુ ખેલાડીઓને ભુગતાનના મુદ્દા પર એસજીએમમાં કોઇ ચર્ચા કરવામાં આવી નથી.
IPL has been moved to UAE for this season: Vice-President BCCI Rajeev Shukla to ANI pic.twitter.com/wqEukw6KGP
— ANI (@ANI) May 29, 2021