કેનેડામાં પિઝા ડિલીવર કરતા સમયે ભારતીય વિદ્યાર્થી પર કાર લૂંટેરાઓએ કર્યો જાનલેવા હુમલો, મૃત્યુ થતા હોબાળો મચી ગયો, જાણો આખી મેટર
Indian student dies killed in Canada : કેનેડામાં ફૂડ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરતા ભારતીય વિદ્યાર્થીની કારજેકિંગ દરમિયાન હિંસક હુમલા બાદ હત્યા કરવામાં આવી છે. ફૂડ ડિલિવરી મેન તરીકે કામ કરતા 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું કારજેકીંગની ઘટના દરમિયાન હુમલામાં મોત થયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર,

મૃતક ગુરવિન્દર નાથ 9 જુલાઈના રોજ લગભગ 2:10 વાગ્યે મિસિસાગામાં બ્રિટાનિયા એન્ડ ક્રેડિટવ્યૂ ખાતે પિઝા ડિલિવરી કરી રહ્યો હતો ત્યારે કેટલાક શંકાસ્પદ લોકોએ તેની હત્યા કરી નાખી. પોલીસે જણાવ્યું હતું કે નાથ પહોંચ્યા પછી, એક શંકાસ્પદ દ્વારા તેના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ગંભીર રીતે ઘાયલ થયા તેની કાર લઈને તે લોકો ત્યાંથી ભાગી ગયા હતા.
પિઝા ઓર્ડર ડિલીવર કરવા જતો હતો ગુરવિંદર નાથ
ઘણા લોકો તેની મદદે આવ્યા અને નાથને ઈજાગ્રસ્ત હાલતમાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવે તે પહેલા તેને હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ બાદમાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પંજાબના કરીમપુર ચાહવાલા ગામનો રહેવાસી હતો ગુરવિંદર નાથ.પીલ પ્રાદેશિક પોલીસના હોમિસાઈડ બ્યુરોના ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે- તપાસકર્તાઓનું માનવું છે કે તેમાં સંખ્યાબંધ શંકાસ્પદો સામેલ છે અને પિઝા ઓર્ડર યુવકના આગમન માટે આપવામાં આવ્યો હતો. તપાસકર્તાઓએ હુમલા પહેલા પિઝાના ઓર્ડરના ઓડિયો રેકોર્ડિંગ મેળવ્યા છે.
હુમલાખોર નાથ પર હુમલો કરી કાર લઇ થઇ ગયા ફરાર
પોલીસે જણાવ્યું કે નાથના આગમન પછી હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કરીને વાહન સાથે ભાગી ગયા. ઘટનાસ્થળે ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા હતા અને મદદ માટે વિનંતી કરી હતી. નાથને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને 14 જુલાઈના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી) એ અહેવાલ આપ્યો છે કે ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલ જનરલ, સિદ્ધાર્થ નાથે જણાવ્યું હતું કે ગુરવિન્દરનું મૃત્યુ હૃદયદ્રાવક નુકસાન હતું. તેમણે તેમના પરિવાર, મિત્રો અને સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
બિઝનેસમેન બનવાનું હતુ સપનું
કોન્સ્યુલ જનરલે ગુરવિંદરના પરિવારનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, ‘જે રીતે સમુદાયે મદદનો હાથ લંબાવ્યો છે, હું ખુશ છું કે તેઓ કેવી રીતે આ દુઃખની ઘડીમાં પરિવારને ટેકો આપવા આગળ આવ્યા છે. ગુનેગારોને ન્યાય આપવામાં આવશે. ગુરવિન્દરના મૃતદેહને પરત કરવા અને અંતિમ સંસ્કારના ખર્ચમાં પરિવારને મદદ કરવા માટે એક GoFundMe ફેસબુક પેજ બનાવવામાં આવ્યું છે.

સમુદાયના સભ્યોએ શનિવારે મિસિસાગામાં કેન્ડલ માર્ચ કાઢી હતી.ગુરવિંદર નાથના પરિવાર અને મિત્રો અનુસાર, જુલાઈ 2021માં તે કેનેડામાં આવ્યો હતો અને તે બિઝનેસ સ્કૂલના છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેનું સપનું હતું કે કેનેડામાં વસવાટ કરીને તેને મોટો બિઝનેસ મેન બનવું છે.