બે મહિલાઓનું પહેલા અપહરણ પછી હત્યા કરીને કર્યા 56 ટુકડા, રૂંવાડા ઉભી કરી દેનારી કહાની

ધ્રુજાવી દેનારી ઘટના, બે મહિલાઓના અપહરણ બાદ તેમને ત્રાસ આપ્યો, પ્રાઇવેટ પાર્ટને પણ ચાકુથી ફાડી નાખ્યો અને શરીરના કર્યા 56 ટુકડા

અંધશ્રદ્ધાના કારણે કોઈનો જીવ લેવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, કોઈ જાનવર ઉપરાંત ઘણીવાર માનવબલી પણ આપવામાં આવતી હોવાના કિસ્સા સામે આવતા રહે છે. ગત રોજ એક એવા જ કિસ્સાએ લોકોને ચોંકાવી દીધા હતા, જયારે ખબર આવી કે બે મહિલાઓનું અપહરણ કરીને તેમની બલી આપવામાં આવી છે, આ મામલામાં એક દંપતીની ધરપકડ પણ કરવામાં આવી છે અને હવે આ મામલામાં એક નવો ખુલાસો પણ થયો છે.

આ માનવબલીની ઘટના કેરળમાંથી સામે આવી હતી જેમાં પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને જણાવ્યું છે કે મુખ્ય આરોપી માનસિક રીતે વિકૃત છે, જે અન્યને ઇજા પહોંચાડવામાં અને મારવામાં આનંદ લે છે. મુખ્ય આરોપી મોહમ્મદ શફીએ અન્ય એક વ્યક્તિ, ભગવાલ સિંહ અને તેની પત્ની લૈલાના ડરનો લાભ લઈને તેમની આર્થિક મુશ્કેલીઓને લઈને બે મહિલાઓને હેરાન કર્યા પછી તેમની હત્યા કરી નાખી.

કેરળ પોલીસે જણાવ્યું હતું કે બલી આપનારાઓએ પહેલા બંને મહિલાઓને બાંધી હતી અને તેમને ત્રાસ આપ્યો હતો અને હત્યા કરતા પહેલા તેમના પ્રાઈવેટ પાર્ટને છરી વડે કાપી નાખ્યા હતા. આ પછી ગળું દબાવીને હત્યા કરવામાં આવી અને આ પછી શબના 56 ટુકડા કરવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ મુજબ પથાનમથિટ્ટા જિલ્લાના એલાંથુર ગામમાં આરોપી દંપતીના ઘરે બંને મહિલાઓના મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા.

જો કે, માનવ બલિ પછી આરોપીઓના મૃતદેહ ખાવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘણા અહેવાલોમાં તેના વિશે દાવા કરવામાં આવી રહ્યા છે. ત્રણેય આરોપીઓ ‘નર માંસ ભક્ષણ’ એટલે કે મૃતદેહ ખાવામાં સામેલ હોવાના સમાચાર અંગે પોલીસે કહ્યું છે કે આ સંભાવનાની પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા નથી.

Niraj Patel