હાલ કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે તેની સામે આપણને આપણી રોગ પ્રતિકારક શક્તિ જ બચાવી શકે છે. આયુષ મંત્રાલય દ્વારા પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઘણા આયુર્વેદિક ઉપાયો સૂચવ્યા છે. આજે અમે તમને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો એક દમદાર ઉપાય સૂચવીશું.

આજે અમે તમને હર્બલ ટી વિશે જણાવીશું. જે પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો થશે. તેમજ બીમારીઓથી પણ તમે દૂર રહી શકશો.

કેવી રીતે બનાવવી હર્બલ ટી:
સૌ પ્રથમ એક તપેલીમાં એક કપ પાણી લેવું. તેમાં એક ઇંચ આદુનો ટુકડો, એક ચમચી હળદર નાખીને બરાબર ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરો અને થોડી વાર પછી એક ચમચી મધ મિક્સ કરો. યાદ રાખો કે મધને ક્યારેય પણ ઉકાળવું ન જોઈએ, જેનાથી મધના ગુણ અને તત્વ નષ્ટ થઇ શકે છે.

આદુના ફાયદાઓ:
સામાન્ય રીતે આપણે ચાની અંદર આદુનો ઉપયોગ કરીએ છીએ. આદુ અપચો, પેટ ફૂલાઈ જવું અને સોજા આવવા જેવી સમસ્યા માટેનો ખાસ ઉપાય છે. આદુ એન્ટ્રી ઇન્ફ્લેમેટ્રી ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. ગરમ પાણીમાં અથવા ચાની અંદર આદુ ઉમેરવાથી ગળા અને નાક માટે ફાયદાકારક છે. શરદી-ઉધરસ માટે પણ આદુ રામબાણ ઈલાજ છે.

હળદરના ફાયદાઓ:
હળદરના ઘણા બધા આયુર્વેદીક ફાયદાઓ છે. હળદરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ ઇમ્યુનીટી વધારવાની સાથે સાથે સ્કિન અને પાચન માટે પણ ફાયદાકારક છે. તે ગઠિયાને લીધે થનારાદુઃખાવાને પણ ઠીક કરવામાં મદદ કરી શકે છે. તાવ-શરદી-ઉધરસના લક્ષણોને પણ ઓછું કરે છે. હળદરમાં રહેલા તત્વો મોટાપો ઓછું કરવાનું કામ પણ કરે છે.

મધના ફાયદા:
મધ પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. મધની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એંટીફન્ગલ જેવા ગુણો રહેલા હોય છે જે શરદી, ખાંસી અને ફલૂના લક્ષણોને ઓછું કરવાનું કામ કરે છે. મધ એક પ્રાકૃતિક એનર્જી-બુસ્ટ કરવાનું કામ પણ કરે છે. સવારે નવશેકા પાણીમાં મધ મિક્ષ કરીને પીવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.