પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતા દેશ માટે 20 લાખ કરોડના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત તેમને યુટ્યુબ દ્વારા સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે.

રાહુલ ગાંધીએ આ પેકેજ માટે કહ્યું છે કે “જયારે બાળકને વાગે છે ત્યારે માતા બાળકને લોન નથી આપતી, તે એકદમ મદદ કરે છે. ભારત માતાને પોતાના બાળકો માટે સાહુકારનું કામ ના કરવું જોઈએ, તેને પોતાના બાળકોને એકદમ પૈસા આપી દેવા જોઈએ.”

પ્રવાસી મજૂરો વિષે પણ વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે: “જે પ્રવાસી મજૂરો રોડ ઉપર ચાલી રહ્યા છે તેમને લોનની નહિ પરંતુ ખિસ્સામાં પૈસાની જરૂર છે.આખા દેશમાં આ સમયે મુશેક્લીન સમયમાંથી પસાર થઇ રહ્યો છે. લોકોને આજે પૈસાની જરૂર છે. એવા સરકાર સાહુકારનું કામ ના કરવું જોઈએ.”

રાહુલ ગાંધીએ વધારેમાં કહ્યું હતું કે: “હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે આપણી રેટિંગ ખેડૂત અને મજૂરો બનાવે છે. આજે એમની આપણી જરૂર છે. રેટિંગ વિષે ના વિચારો, હિન્દુસ્તાનની રેટિંગ હિન્દુસ્તાનના લોકોથી છે.”
I have heard that the reason behind not giving money is ratings. It is being said that if we increase our deficit today, the foreign agencies will downgrade our ratings: Rahul Gandhi, Congress https://t.co/BvKhzUf83O
— ANI (@ANI) May 16, 2020
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.