જમાનો ગમે તેટલો આધુનિક થાય પરંતુ લોકો ભગવાનનની ભક્તિ કરવાનું નથી ભૂલતા. કળી યુગમાં શંકર ભગવાન પછી દયાળુ કોઈ હોય તો તે છે હનુમાનજી. કલિયુગમાં સૌથી વધુ પૂજા હનુમાનજીની કરવામાં આવે છે. હનુમાનજી એક એવા દેવતા છે જેની પૂજા ભક્તો સાચા મનથી કરે છે. જે ભક્તો સાચા મનથી પૂજા કરે છે તેની હનુમાનજી મનોકામના પણ પૂર્ણ કરી દે છે.

એવી પણ માન્યતા છે કે, હનુમાનજી કલિયુગમાં સાક્ષાત આજે પણ પૃથ્વી પર ભ્રમણ કરે છે. હનુમાનજીથી જોડાયેલી એક એવી માન્યતા પણ છે જેના ઘરમાં હનુમાનજીની પૂજા થયા છે તેનું પવિત્ર હોવું બહુ જ જરૂરી છે. એક માન્યતા અનુસાર, હનુમાનજી એવા ઘરમાં કે સ્થાન પર નથી જતા જ્યાં માહોલ કંઈક એવો હોય છે.
આવો જોઈએ ક્યાં સ્થાન કે ઘરમાં હનુમાનજી નથી જતા.
હનુમાનજી એવા ઘરમાં ક્યારે પણ નથી જતા જ્યાં આરાધ્ય દેવની પૂજા કરવામાં નથી આવતી.

જે ઘરમાં મહિલાઓનું અપમાન થતું હોય અથવા તો હીન ભાવનાથી જોવામાં આવે તે ઘરમાં હનુમાનજીની પૂજા કરવા છતાં તેના આશીર્વાદ નથી મળતા.
હનુમાનજી તે લોકોના ઘરમાં પણ પ્રવેશ નથી કરતા જે લોકો વાત-વાતમાં ખોટું બોલે છે, દારૂ અને માંસનું સેવન કરે છે.
જે ઘરમાં સંતનું અપમાન અને આદર કરવામાં ના આવતા હોય તે ઘરમાં હનુમાનજીની કૃપા નથી વરસતી.

હનુમાનજી તે લોકોના પર પણ કૃપા નથી વરસાવતા જે ઘરમાં હંમેશા ઝઘડા હોય, ભાઈ-ભાઈના પરિવારમાં એકતા ના હોય, ભાઈઓ એકબીજા સાથે ઝઘડતા હોય.
હનુમાનજી એ ઘરમાં પણ વસવાટ નથી કરતા જ્યાં ઘરના સાફ-સફાઈ ના થતી હોય.

જે ઘરમાં કોઈ તાંત્રિક વિધિ થતી હોય ત્યાં પણ હનુમાનજી ક્યારે પણ વસવાટ નથી કરતા.
જે ઘરમાં મૂંગા જાનવર પણ અત્યાચાર કરવામાં આવતો હોય ત્યાં પણ હનુમાનજી પ્રસન્ન નથી થતા.
જે લોકો કપટી સ્વભાવના છે તે લોકો ગમે તેટલી હનુમાનજીની પૂજા-અર્ચના કરે તે લોકો ઉપર ક્યારે પણ હનુમાનજી પ્રસન્ન નથી થતા.

જે લોકો બેઈમાનીનું ધન અને સંપત્તિ ભેગી કરે પરિવારની પાલન-પોષણ કેર છે તે ઘરમાં પણ હનુમાનજી ક્યારે પણ કૃપા દ્રષ્ટિ નથી વરસાવતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.