677 બાદ બની રહ્યો છે ગુરુ-શનિનો સંયોગ, ધનતેરસ પહેલા ખરીદી માટે છે શુભ મુહૂર્ત

ધન તેરસ અને દિવાળી પહેલા આ મુહૂર્તમાં કરો ખરીદી

હિંદુ ધર્મમાં, કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા અથવા શુભ ખરીદી કરવા માટે ચોક્કસપણે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો શુભ મુહૂર્તમાં કોઈ નવુ કામ કે ખરીદી કરવામાં આવે તો તેમા ચોક્કસ સફળતા મળે છે. હિન્દુ ધર્મમાં તહેવારોનું વિશેષ મહત્વ છે. નવરાત્રી, દશેરા, ધનતેરસ અને દિવાળી વગેરે જેવા અનેક તહેવારોમાં અવનવી વસ્તુઓ ચોક્કસથી ખરીદવામાં આવે છે. આ વર્ષે, ધનતેરસ અને દિવાળી પહેલા, ખરીદી માટે ખૂબ જ શુભ સમય છે. ગુરુ-પુષ્ય નક્ષત્રનો સંયોગ 28 ઓક્ટોબર 2021 ના ​​રોજ થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ ધનતેરસ અને દિવાળી પહેલા ખરીદી કરવા માટેના શુભ સમય વિશે.

28 ઓક્ટોબર – ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 27 નક્ષત્રોમાંથી કેટલાક નક્ષત્રો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે, જેમાંથી ગુરુ-પુષ્ય નક્ષત્ર ખૂબ જ વિશેષ છે. 28 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર પુરા દિવસ-રાત રહેશે. જ્યારે પણ ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે તેને ગુરુ-પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. આવો શુભ સંયોગ વર્ષમાં એક કે બે વાર જ બને છે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ 28 ઓક્ટોબરે આખો દિવસ રહેશે.

ગુરુ-પુષ્ય યોગ અને 677 વર્ષ પછી ગુરુ-શનિનો દુર્લભ યોગ
જ્યોતિષના મતે 677 વર્ષ પછી ગુરુ-પુષ્ય યોગમાં શનિ અને ગુરુ બંને મકર રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગમાં, આ વખતે દિવાળી પહેલા ખરીદી અને રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય બની રહ્યો છે. શનિદેવ પુષ્ય નક્ષત્રના સ્વામી છે. તેથી ખરીદી કરવાની આ એક શ્રેષ્ઠ તક છે.

ગુરુ-પુષ્ય નક્ષત્રમાં તમે આ વસ્તુઓ ખરીદી શકો છો
આ વખતે દિવાળી પહેલા મહામુહૂર્તમાં ખરીદી કરવાની શ્રેષ્ઠ તક આવી છે. આ શુભ મુહૂર્તમાં ખરીદી સિવાય તમે જમીન, મકાન, સોના-ચાંદી કે શેરબજારમાં પણ રોકાણ કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિ વચ્ચે મિત્રતાની ભાવના છે, જેના કારણે ગુરુ-પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવી ખૂબ જ સારી રહેશે.

YC