18 મે 2025ના રોજ રાહુ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. રાહુની સ્થિતિ બધી 12 રાશિઓ પર અસર કરશે. રાહુ ગોચરનો રાશિઓ પર પ્રભાવ શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ.
રાહુનો 3 રાશિઓ પર વિપરીત પ્રભાવ શનિની રાશિ કુંભમાં રાહુનો ગોચર 3 રાશિઓના જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે. જાણો આ કઈ રાશિઓ છે જેમના માટે આગામી દોઢ વર્ષ કેટલાક ક્ષેત્રોમાં કષ્ટદાયક રહી શકે છે.
સિંહ રાશિ
રાહુનો ગોચર સિંહ રાશિના જાતકો માટે અશુભ સાબિત થઈ શકે છે. આ લોકોને કારકિર્દીમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. આનાથી આર્થિક તંગી થઈ શકે છે. અંદાજપત્ર બનાવીને ચાલો. વિવાદોથી દૂર રહો. લગ્નજીવનમાં તણાવ અને સંકટનો સામનો કરવો પડી શકે છે.
તુલા રાશિ
રાહુનો ગોચર તુલા રાશિના પરિણીત જાતકોને તણાવ આપી શકે છે. જીવનસાથી સાથે મનમુટાવ થઈ શકે છે. તણાવ અને કામનો બોજો પરેશાન કરશે. રાજકારણીઓને પણ સમસ્યા થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરવાનો વિચાર હોય તો ખૂબ વિચારીને નિર્ણય લો અથવા ટાળો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે રાહુનો ગોચર કષ્ટ આપશે. મીન રાશિ પર શનિની સાડાસાતી છે અને રાહુ શનિની રાશિ કુંભમાં જ રહેશે. આ લોકોને આર્થિક તંગી થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. પ્રેમજીવન માટે સમય સારો નથી. વૈવાહિક જીવન પણ અસ્તવ્યસ્ત રહી શકે છે. કોઈ પરિવારજનના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)