ખબર

ફેનિલના દોસ્ત હરીશે લાફા મારીને ફેનિલને કહ્યું કે, આવું ન કરાય. જ્યારે તેના માતાએ કહ્યું કે અમે મરી જઈ કે શું કરીયે?

જો આરોપીને ઓછી સજા થાય તો અત્યારે 21 વર્ષનો છે અને જયારે જેલમાંથી છૂટીને બહાર આવશે ત્યારે 31 કે 35 વર્ષનો હશે. તેને કાયદાનો ડર ….

સુરતની માસુમ ગ્રીષ્મા હત્યા કેસની અંદર હવે ગણતરીના સમયમાં જ સજા સંભળાવવાની બાકી છે. કોર્ટ દ્વારા હત્યારા ફેનિલ ગોયાણીને ગઈકાલે જ આ ગ્રીષ્મા હત્યા કેસની અંદર દોષિત જાહેર કરવામાં આવ્યો છે, જેના બાદ સંભવતઃ આજે ફેનિલને સજા સંભળાવવામાં આવશે, પરંતુ આજે કોર્ટની અંદર ગ્રીષ્માના વકીલ અને બચાવપક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી.

ફેનિલને ફાંસીની સજા થાય અને તેને કેપિટલ પનિશમેન્ટ આપવામાં આવે તે માટે જિલ્લા સ્ક્રરી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી. તેમને પોતાની દલીલમાં જણાવ્યું હતું કે માનીલો કે જો આરોપીને ઓછી સજા થાય તો તેની ઉંમર અત્યારે 21 વર્ષની છે અને જયારે તે જેલમાંથી છૂટીને બહાર આવશે ત્યારે તેની ઉંમર 31 કે 35 વર્ષની હશે. જો તે બહાર આવશે તો તેને કાયદાનો ડર નહી રહે અને સમાજમાં પણ લોકો તેનાથી ડરશે.

જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયોને આધારિત નથી, આરોપી ક્રિમિનલ માસિકતા ધરાવતો હતો અને તેને ગણતરીપૂર્વક હત્યા કરી છે. ઓનલાઇન ફિલ્પકાર્ટ ઉપરથી ચપ્પુ ખરીદવા માટે પણ તેને ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર કેન્સલ થયો એટલે તેને મોલમાંથી ચપ્પુ ખરીદ્યુ અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું. આરોપી હત્યાના દિવસે પણ ગ્રીષ્માને કોલેજમાં શોધવા માટે ગયો હતો. આ બનાવ પહેલા તેને તેની માનીતી ધરમની બહેન ક્રિષ્નાને પણ મેસેજ કરીને જણાવ્યું હતું.

ગ્રીષ્માના વકીલે પોતાની દલીલમાં એ પણ ઉમેર્યું કે દરેક વાલિયો વાલ્મીકિ નથી બની શકતો. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને એમ પણ જણાવ્યું કે આ આરોપી ભવિષ્યમાં પણ સુધરી શકે તેમ નથી. ભૂતકાળમાં તેને ઇનોવા કાર પણ ચોરી કરી હતી. આ ઉપરાંત ગ્રીષ્માની હત્યા કર્યા બાદ સહાનુભૂતિ મેળવવા પોતાને છરીના ઘા માર્યા હતા.

તેમને દલીલમાં એમ પણ જણાવ્યું કે ગઈકાલે કોર્ટે તેને અંતિમ તક આપી હતી તો તે કઈ ના બોલ્યો, તે એમ પણ બોલી શકતો હતો કે મારી ઉંમર નાની છે જેથી મારી ભૂલ થઇ ગઈ. પરંતુ તેનામાં સુધરવાના કોઈ લક્ષણ દેખાતા નથી. તેને કોઈ વાતનો પસ્તાવો નથી અને જો તેને પસ્તાવો હોત તો ગ્રીષ્માના પરિવાર ઉપર હુમલો કરવાને બદલે પોતાના પેટમાં ચપ્પુ મારી લેતો.

નયન સુખડવાલાએ કોર્ટમાં પોતાની દલીલની અંદર એમ પણ જણાવ્યું કે આ ઉપરાંત ફેનિલના મિત્ર હરીશે લાફા મારીને ફેનિલને કહ્યું કે, આવું ન કરાય. જ્યારે તેના માતાએ કહ્યું કે અમે મરી જઈએ કે શું કરીયે? તેવું વર્તન તે તેના માતા-પિતા સાથે કરતો હતો. અહીં કોર્ટમાં તેની તબિયત ખરાબ થવાનું કહી પોલીસવાનમાં બેસીને લાડું ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે કોર્ટે કહ્યું કે તને લક્ઝરી છૂટ આપવામાં નહીં આવે. આ તેનું વર્તન બતાવે છે. ક્રિષ્નાને ફોન કરીને જેલમાંથી કહેતો મારી ફેવરમાં જુબાની આપજે. આવા આરોપીને સમાજના પ્રવાહમાં ભેળવી શકાય તેવો નથી.