હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે કે દરેક દેવી-દેવતાઓ સાથે કોઈ મહત્વપૂર્ણ શક્તિઓ જોડાયેલી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે દેવી-દેવતાઓને ખુશ કરવા માટે અને તેમની કૃપા મેળવવા માટે તેમના પ્રતીકોને ઘરમાં રાખવામાં આવે છે. આ પ્રતીકોમાં શિવજીનું શિવલિંગ, લક્ષ્મીજી માટે ગોમતી ચક્ર અને ભગવાન વિષ્ણુ માટે શંખ વગેરે સામેલ છે. ત્યારે આજે વાત કરીએ લક્ષ્મીજીના પ્રતીક સમા ગોમતી ચક્ર વિશે –

ગોમતી ચક્ર વિશે આપણે સૌએ સાંભળ્યું જ હશે, તંત્ર શાસ્ત્રથી લઈને વાસ્તુ શાસ્ત્ર સુધી બધામાં જ આના વિશેષ ફાયદાઓ જણાવવામાં આવે છે. એક દુર્લભ વસ્તુના રૂપમાં ગોમતી વસ્તુનું મૂલ્ય બહુ વધારે છે. ગોમતીચક્રમાં નિર્મિત ચક્ર પ્રકૃતિની દેન છે. ગોમતીચક્ર ગોમતી નદીમાંથી મળવાવાળું દુર્લભ ચક્ર છે, તેમાં પ્રકૃતિ દ્વારા નિર્મિત ચક્ર મા લક્ષ્મીનું પ્રતિક છે. તંત્રથી લઈને વસ્તુ સુધી ગોમતીચક્રનું તમામ ક્ષેત્રમાં મહત્વ છે. જેમકે તે આરોગ્ય સંબંધિત હોય કે લક્ષ્મી પ્રાપ્તિ માટે. અહીં એક વસ્તુ મહત્વપૂર્ણ છે કે ગોમતી ચક્રમાં નિર્મિત ચક્ર લક્ષ્મીનું પ્રતિક છે જેથી ગોમતીચક્ર લક્ષ્મીકારક માનવામાં આવે છે.

ગોમતી ચક્ર એક એવી વસ્તુ છે જે સરળતાથી મેળવી શકાતી નથી. આ એક સફેદ રંગના પથ્થર જેવો ટુકડો હોય છે. એ સફેદ પથ્થર પર એક નાનકડા ચક્ર જેવું બનેલું હોય છે. આ ચક્ર કોઈ પેન્ટ નથી કરતુ એ ચક્ર કુદરતી રીતે જ ત્યાં દોરેલું હોય છે. આજે અમે એવી માહિતી લાવ્યા છીએ જેમાં ગોમતી ચક્રની મદદથી તમે તમારા જીવનની દરેક સમસ્યા અને પરિવારમાં ચાલતી તકલીફોને દુર કરી શકશો. આવો તમને જણાવી દઈએ કે ગોમતી ચક્રનો ઉપયોગ કેવી રીતે કરવો. હોળી અથવા ગ્રહણના સમયે ગોમતી ચક્રને તમારી સામે સ્થાપિત કરો અને નીચે જણાવેલ મંત્રની 11 માળાઓ કરવી.
मन्त्रः ऊॅ वं आरोग्यानिकरी रोगानशेषा नमः
આ મંત્રની 11 માળા પૂર્ણ થઇ જાય એટલે આ ગોમતી ચક્રને તમારે સાવચેતી પૂર્વક સ્વચ્છ જગ્યાએ મૂકી દેવું, મંદિરમાં પણ તમે મૂકી શકો. આવી રીતે કરેલી વિધિથી જે ગોમતી ચક્ર તૈયાર થશે એની અસર ત્રણ વર્ષ સુધી રહેશે. ત્રણ વર્ષ પછી ફરીથી તમારે આ વિધિ કરવાની રહેશે.

ગોમતી ચક્ર બીમારીમાં પણ ફાયદો આપે છે. જો કોઈ ખૂબ બીમાર છે કે પછી કોઈ પીડા તેમને હેરાન કરી રહી છે તો તેમના માટે આ એક અકસીર ઈલાજ છે. એક ચોખ્ખા ગ્લાસમાં ચોખ્ખું પાણી લઈને તે પાણીમાં ગોમતી ચક્ર નાખી દેવું અને પછી ઉપર જણાવેલ મંત્રનો 21 વાર મનમાં જાપ કરવો. પછી પાણીમાંથી ગોમતી ચક્ર બહાર કાઢી લેવું અને તે પાણી બીમાર વ્યક્તિને પીવડાવી દેવું. આ ઉપાય કરવાથી બીમાર વ્યક્તિ જલ્દી જ સાજો થઇ જશે.
ઘરમાં શાંતિ માટે પણ ગોમતી ચક્રનો ઉપયોગ થઇ શકે છે. જો તમારા ઘરમાં સતત કોઈને કોઈ વાતે ઝઘડો થતો જ રહે છે તો તેના માટે ગોમતી ચક્રને કંકુની ડબ્બીમાં મુકીને ઘરમાં મૂકી દેવું, આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે.

વેપાર વૃદ્ધિ માટે – જે મિત્રોને પોતાના વ્યવસાયને એક નવી ઉંચાઈ પર લઇ જવો છે તેમણે બે ગોમતી ચક્રને એક લાલ કપડામાં બાંધીને દરવાજા પર એવી રીતે બાંધવાનું છે જેથી કોઈ ગ્રાહક તેની નીચેથી નીકળે, આમ કરવાથી વેપારમાં વૃદ્ધિ થશે.
વેપારમાં નજર લાગી જવાથી અગિયાર મંત્રોથી યુક્ત ગોમતી ચક્ર અને ત્રણ નારિયેળને પુજા અર્ચના કરીને એક પીળા કપડામાં બાંધીને ઘરના કે ઓફિસના મુખ્ય દરવાજા ઉપર લટકાવી દો, જેનાથી ખરાબ નજરનો દોષ પૂરો થઈ જશે અને વેપાર સારો ચાલશે.

જે મિત્રો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે, પણ પ્રમોશન મળતું નથી તેમણે આ ઉપાય કરવો જોઈએ. એક ગોમતી ચક્રને શિવલિંગ પર ચઢાવી દેવું. શિવને સાચા મનથી પ્રાર્થના કરો જેથી તમારી મનોકામના પૂરી થશે. આ વિધિ તમારે 21 સોમવાર સુધી કરવાની રહેશે આમ કરવાથી બહુ જ જલ્દી પ્રમોશન મળશે.
પતિ પત્ની વચ્ચે જો નાની મોટી વાતોને લઈને મનભેદ કે મતભેદ થતા હોય તેઓએ ત્રણ ગોમતી ચક્ર લઈને ઘરની બહાર દક્ષિણ દિશા બાજુ “હલું બલજાદ” આવું બોલીને ફેંકી દેવા, આમ કરવાથી મતભેદ પૂર્ણ થઇ જશે અને પ્રેમ વધશે.
ગોમતી ચક્ર પર હોળીના દિવસે સિંધુર લગાવીને શત્રુનું નામ ઉચારણ લઈને અગ્નિમાં ફેકી દો તેનાથી શત્રુ પણ મિત્ર બની જશે.

પુત્ર પ્રાપ્તિ માટે પાંચ ગોમતી ચક્ર લઈને નદી કે તળાવમાં ‘हिलि हिलि मिलि मिलि चिलि चिलि हुक’ આવું પાંચવાર બોલીને વિસર્જન કરી દેવું. આમ કરવાથી સંતાન પ્રાપ્તિમાં આવી રહેલી દરેક બાધા હટી જશે. ઘરમાં જલ્દીથી જલ્દી નાના મહેમાનના આવવાના સમાચાર મળશે.
જો કોઈ મહિલાને વારંવાર ગર્ભપાત થાય છે તો બે ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને ગર્ભવતી સ્ત્રીની કમર પર બાંધી દેવું આ ઉપાયથી સ્ત્રીના ગર્ભમાં રહેલ બાળકની પણ રક્ષા થશે.
બાળકોને વારંવાર નજર લાગી જતી હોય છે તેવામાં ત્રણ ગોમતી ચક્ર લઈને તેના ઉપરથી સાત વખત ઉતારીને તેને કોઈ નિર્જન સ્થાન ઉપર જઈને ફેકી દો અને પાછું વળીને જોવું નહીં. નજરદોષ દૂર કરવા માટેનો આ બહુ સારો ઉપાય છે.

જો ઘણા લાંબા સમયથી કોઈ કોર્ટ કેસનો નિર્ણય નથી આવી રહ્યો તો તમે જયારે પણ કોર્ટમાં જવા માટે તૈયાર થાવ ત્યારે ઘરની બહાર એક ગોમતી ચક્ર મુકવું અને બહાર નીકળો ત્યારે તેની પર ડાબો પગ મુકીને જવું આમ કરવાથી કેસમાં તમારી જ જીત થશે.
લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે –
જો કોઈ જાતક પર કોઈપણ પ્રકારનું તાંત્રિક વિધિનો પડછાયો છે તો તેનો પ્રભાવ દુર કરવા માટે બુધવારના દિવસે ચાર ગોમતી ચક્રને પોતાના માથા પરથી 19 વાર ગોળ ફેરવીને નજર ઉતારીને ચારે દિશામાં એક એક ગોમતી ચક્ર ફેંકી દેવું. આમ કરવાથી તાંત્રિકનો કોઈપણ જાતનો પ્રભાવ દુર થઇ જશે.
લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે પાંચ ગોમતી ચક્રને તમારી દિવાળીની પૂજામાં સામેલ કરો અને તેને તમારા મંદિરમાં સ્થાન આપો. આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા વધશે.

ધન, વૈભવ, લક્ષ્મી કૃપા, વિષ્ણુ કૃપા, ભાગ્યોદય વગેરે માટે ગોમતી ચક્ર બહુ મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી છે. લક્ષ્મીની કૃપા મેળવવા માટે દિવાળીના દિવસે ગોમતી ચક્રની સાથે મા લક્ષ્મીનું પૂજન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ લાવે છે. ગોમતી ચક્રને સાફ અને સ્વસ્છ થાળીમાં રાખીને ઘીનો દીવો અને અગરબતી કરવી અને કોઈપણ માળાથી નીચે આપેલા લક્ષ્મી મંત્રની પાંચ માળા કરવી.
મંત્ર – ૐ રીમ મહાલક્ષ્મી શ્રી ચિરલક્ષ્મી એ મમગૃહે આગચ્છ આગચ્છ સ્વાહા
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.