ગોધરમાં લગ્નનો માંડવો બંધાયો અને જાન આવવાની જ હતી કે વરરાજાને બળાત્કારના ફોટો-વીડિયો મળ્યા, પછી થયુ એવું કે..નરાધમ યુવકે પહેલા તો આબરૂ લૂંટી અને હવે જિંદગી ખતમ કરી નાખી

હાલમાં જ પંચમહાલના ગોધરામાંથી એક યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી. જેમાં પાડોશમાં રહેતા યુવકે પીડિતાને ઘરકામ માટે બોલાવી દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલિસે પોલિસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. નરાધમે યુવતી પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે, નરાધમ આરોપીએ પીડિતા લગ્નના થોડા સમય પહેલા વીડિયો અને ફોટા યુવતીના મંગેતરને મોકલી આપ્યા, જેથી યુવતીના લગ્ન પણ બંધ રહ્યા હતા.

મંગેતરે યુવતિ સાથે લગ્ન કરવાની ના કહેતા યુવતીના પરિજનો પર તો આભ તૂટી પડ્યુ હતુ. નરાધમે વીડિયો બનાવ્યા બાદ કહ્યુ કે, જો આ વાત તું કોઈને કહીશ તો હું આ વીડિયો વાયરલ કરી દઈશ. ત્યારે વીડિયો વાયરલ થવાના ડરને કારણે છોકરી પોતાનું સર્વસ્વ લૂંટાવતી રહી. નરાધમે યુવતિના લગ્ન તોડાવવા બરાત્કારના વીડિયો અને ફોટો તેના થવાવાળા પતિને મોકલ્યા અને આ જોઈને વરરાજા પણ ચોંકી ગયા. જે નરાધમ માણસે યુવતિ સાથે ગંદુ કૃત્ય કર્યું છે તે તેના પિતાની ઉંમરનો છે, અને તેનું નામ મહમદ અબ્દુલ મિસ્ત્રી છે.

રીપોર્ટ અનુસાર, પંચમહાલના ગોધરાના એક વિસ્તારમાં આવેલ મધ્યમ પરિવારના વ્યક્તિ ચાની લારી ચલાવે છે અને આનાથી પરિવારનું ભરણ પોષણ કરે છે.જ્યારે તેમની પત્ની આજુબાજુના ઘરે જઈ વાસણ-કપડાં ધોવે છે અને પતિની મદદ કરે છે.તેમની સાથે તેમની દીકરીઓ પણ આજુબાજુના ઘરે જઈ પોતાના પરિવારનો પેટિયું રળતી.ત્યારે પાડોશમાં રહેતા એક નરાધમ વ્યક્તિએ ગરીબ પરિવારની દીકરીને પોતાના ઘરે ઘરકામ બોલાવી અને અઢી વર્ષથી પણ વધુ સમય સુધી આ દીકરીને પોતાના ઘર અને ખેતરમાં કામ કરવા બોલાવી અને એકલતાનો લાભ લઇ અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ.

તેણે આ દરમિયાનના ગંદા ફોટો અને વીડિયો પોતાના ફોનમાં રેકોર્ડ કર્યા અને આને આધારે તેણે યુવતિને વાયરલ કરવાની ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો.જ્યારે પીડિતાના લગ્ન નક્કી થયા અને કંકોત્રી પણ છપાઈ ગઈ તેમજ લગ્ન માટે માંડવો પણ બંધાઈ ગયો. ત્યારે આ નરાધમે તેના મંગેતરને બરાત્કાર ગુજારેલો વીડિયો મોકલી દીધા અને યુવકે લગ્નની ના કહી દીધી. યુવતિનો ઘરસંસાર બનતાં પહેલાં જ તૂટી ગયો હતો. પીડિતાને લાગ્યુ હતુ કે હવે તેના બીજે લગ્ન નક્કી થઈ ગયા છે તો તે આ પાપીના નર્કમાંથી જલ્દી આઝાદ થઈ જશે પણ આ નરાધમે તો દીકરીને ક્યાંયની ના છોડી.

નરાધમ પીડિતાના કોઈપણ હાલતમાં લગ્ન થવા દેવા માગતો નહોતો અને આને કારણે તેણે પહેલા તો કહ્યુ કે તે પિતાને લગ્ન માટે ના કહે પણ તેણે વાત ન માની તો નરાધમે લગ્નના દિવસે જ વરરાજાને ગંદા ફોટો વીડિયો મોકલ્યા, આ જોઈને વરરાજાના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેણે લગ્ન કરવાની ના કહી દીધી. પરિવારની માગ છે કે આ નરાધમને કડકમાં કડક સજા થાય. પિતાએ કહ્યુ કે, આજે મારી દીકરી સાથે આવું કર્યું, કાલે બીજી કોઇ દીકરી સાથે કરશે.

Shah Jina