દરેક કોઈ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ-શાંતિ હંમેશા બની રહે. તેના માટે લોકો જાત જાતના ઉપાયો કરતા હોય છે. પણ ઘણીવાર આપણે જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ, જેનાથી ઘરની સુખ-શાંતિ ચાલી જાય છે. મોટાભાગે આપણે ઘરને સુશોભિત કરવાના હેતુથી ઘણા પ્રકારની વસ્તુઓ લાવીયે છીએ, જેમાં અમુક એવી વસ્તુઓ પણ હોય છે જેનાથી ઘરના ગ્રહ પ્રભાવિત થાય છે અને આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટે આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે તે કઈ વસ્તુઓ છે, જેને પોતના ઘરમાં ક્યારેય પણ લાવવી ન જોઈએ.

1. ઘરમાં રામાયણ અને મહાભારતની ઘટનાઓને દર્શાવનારી તસ્વીરોને ક્યારેય લગાવવી ન જોઈએ. ઘરના ઉત્તર-પૂર્વી ભાગમાં ભારે-વજનદાર મૂર્તિઓને રાખવી ન જોઈએ. બેડરૂમમાં બેડની નીચે જૂતા-ચપ્પલ રાખવા ન જોઈએ. તે નકારાત્મક ઉર્જાને વધારે છે અને રોગ તેમજ માનસિક પરેશાનીઓને વધારે છે.

2. ધન-સંપત્તિ અને પારિવારિક સુખ-શાંતિ માટે ડૂબી રહેલા જહાજની તસ્વીર ઘરમાં ક્યારેય ન રાખો. દાન અને પૂજા માટે ઘરમાં લાવેલી વસ્તુઓને વધારે દિવસો સુધી ઘરમાં ન રાખવી જોઈએ. દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓને પણ ઘરમાં રાખવી ન જોઈએ.

3. વાસ્તુવિજ્ઞાનના આધારે રસોડામાં ક્યારેય પણ દૂધને ખુલ્લું છોડવું જોઈએ નહિ, તેનાથી આર્થિક સમસ્યા આવે છે. દૂધને હંમેશા ઢાંકીને જ રાખવું જોઈએ. બોન્સાઇ કે કાંટાળા છોડ ઘરની અંદર ક્યારેય પણ લગાવવા ન જોઈએ. તેનાથી ઘરનું વાસ્તુ બગડે છે અને નકારાત્મક ઉર્જા ફેલાય છે.

4. લોખંડનો કબાટ ક્યારેય પણ બેડની પાછળ રાખવો ન જોઈએ. એ પણ ધ્યાન રાખો કે લોખંડની વસ્તુઓ તમારા બેડ પર ન હોય.

ઘરની વચ્ચે પાણીની ટાંકી, હેન્ડપંપ, ઘડો કે બીજા પાણીંના સ્ત્રોત ન હોવા જોઈએ તે આર્થિક બાબતને નુકસાનકારક માનવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.