ગાંધીનગરમાં દીકરી ઘરમાં હોવા છત્તાં પતિએ પકડી સુખની જીદ, પત્નીએ ઇનકાર કર્યો તો દીકરી પર નરાધમ બાપે બગાડી નજર….આખરે થઇ જ ગયો સાચો ખુલાસો, મગજ બેન્ડ મારી જશે
ગુજરાતમાં અવાર નવાર હત્યાના અનેક બનાવો સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં તો ઘણીવાર નશાની કુટેવને લઇને હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલ ગાંધીનગરમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની અને દીકરીએ મળી પતિની કટર વડે ગળુ કાપી હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગરના કોલવડા ગામના નામચીન જશુ પટેલના નાના ભાઇ ઘનશ્યામ પટેલની તેમની પત્ની અને દીકરીએ ભેગા મળી નિર્મમ હત્યા કરી નાખી હતી.
આરોપી પત્નીનું નામ રિશીતા છે અને તેણે આ ઘટનાની વિગત પોલિસ સમક્ષ પણ રજૂ કરી છે. તેણે જણાવ્યુ કે, પતિએ દીકરી ઘરમાં હોવા છત્તાં પત્ની પાસે સુખની જીદ કરી હતી અને પત્નીએ ના પાડતા મૃતક ઘનશ્યામ પટેલે દીકરી પર નજર બગાડી હતી અને તેને પકડી હતી. ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે મૃતક વર્ષો પહેલા ગેરેજ ચલાવતો હતો. તેણે રિશીતા સાથે લગભગ 17 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા જે મૂળ ખેડાના માતરની વતની છે. ઘનશ્યામ પટેલ અને રિશીતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતથી જ ઘનશ્યામને વધુ દારૂ પીવાની ટેવ હતી. તે શંકાશીલ સ્વભાવનો પણ હતો. રોજ ઘર કંકાસ પણ થતો હતો.

ત્યારે લગ્ન જીવન દરમિયાન રિશીતા અને ઘનશ્યામ પટેલને એક દીકરી પણ થઇ હતી. જે 15 વર્ષની છે. તે ધોરણ 9માં અભ્યાસ કરે છે. રોજ ઘર કંકાસ અને મારઝૂડને કારણે રિશીતા તેની દીકરીને લઇને રિસાઇ તેની માતા સાથે અમદાવાદ ચાંદખેડા રહેતી હતી.લગભગ અઠવાડિયાથી રિશીતા તેની પુત્રીને લઈને કોલવડા ઘનશ્યામ સાથે રહેવા આવી હતી, પરંતુ ઘનશ્યામ તો સુધર્યો ન હતો. જેના કારણે મા દીકરીએ ભેગા મળીને 23 જૂનના રોજ ઘનશ્યામને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ મામલે પેથાપૂર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, જે બાદ માતા અને દીકરીએ હત્યા કરી હોવાની થિયરી રિશીતાએ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. આરોપી પત્ની રિશીતાએ કહ્યુ કે, તેનો પતિ દારૂના નશામાં જ સંબંધ બાંધતો અને બળજબરી સેકસ્યુઅલ એબ્યુઝ પણ કરતો. તે રિશીતાના ચારિત્ર્ય પર શંકા પણ કરતો હતો અને નશાની હાલતમાં માતા અને પુત્રી સાથે મારઝૂડ પણ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષથી રિશીતા કંટાળી તેની દીકરી સાથે અમદાવાદ રહેવા જતી રહી હતી.

જો કે, તેણે થોડા સમયથી દારૂ પીવાનું બંધ કર્યુ હોવાની જાણ થઇ હતી. દારૂની એવી ખરાબ અસર ઘનશ્યામ પર થઇ હતી કે તે આખી રાત જાગતો અને તેનો સ્વભાવ પણ એગ્રેસિવ થઈ ગયો હતો.બુધવારે રાત્રે પણ તે આખી રાત જાગ્યો અને સવાર પડતા જ મા-દીકરી સાથે ગાળાગાળી કરવા લાગ્યો. દીકરી સ્કૂલે ગઈ ન હોવાથી તેને પણ બિભત્સ ગાળો બોલતો હતો.જે બાદ થોડીવાર પછી તેણે રિશીતા સાથે સુખની માંગણી કરી અને દીકરી ઘરમાં હોવાથી રિશીતાએ ના કહી દીધી હતી.

જે બાદ રિશીતા વાસણ ઘસવા બેસી ત્યારે ઘરમાં રહેલી 15 વર્ષની દીકરી સાથે તેણે અડપલા શરૂ કર્યા અને તેને પકડી લીધી. જે બાદ દીકરીએ બૂમાબૂમ કરી અને રિશીતા દોડી આવી. ત્યારે મૃતકે તેની દીકરીને પકડી રાખી હતી અને આ દરમિયાન ઝપાઝપી થઇ હતી. ત્યારે દીકરીએ આ વાતથી હચમચાઇ જઇને પેપર કટરનો આગળનો અણીદાર ભાગ પિતાના ગળામાં માર્યો હતો અને રિશીતાએ લોખંડનો દસ્તો માથામાં માર્યો હતો.

જેના કારણે લોહીના ફુવારા પણ ઉડ્યા હતા અને ઘનશ્યામ મોતને ભેટ્યો હતો. ઘનશ્યામની હત્યાને અંજામ આપ્યા બાદ માતા અને પુત્રી બંને કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યા હતા અને પછી સગાને જાણ કરી હતી. જે બાદ આખી ઘટના બહાર આવી હતી.રિશીતાના લગ્ન પહેલા ગોલી સાથે થયા હતા, તે તેના પતિ ગોલી સાથે કોલવડા રહેવા આવી હતી. પતિના અવસાન બાદ તેને ઘનશ્યામ પટેલ સાથે આંખ મળી હતી અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.
નવી અપડેટ:
ગાંધીનગરના પેથાપુરના કોલવાડા ગામની હત્યાકાંડનો ભેદ તો પોલિસે પહેલા ઉકેલ્યો હતો, પરંતુ હાલ આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. પુત્રીની છેડતીના બહાને પેથાપુર હત્યાકાંડને અંજામ આપ્યો હોવાની પત્નીએ ગાંધીનગર પોલીસ સમક્ષ કબૂલાત કરી છે, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે પ્રેમીને કરોડોની જમીનની લાલચ આપીને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓમાં પ્રેમી સંજય પટેલ અને તેની પત્ની સોનલ પટેલ પણ સામેલ છે. આરોપી સંજયે તેની પ્રેમિકા રિશિતાને ફસાવવા માટે પતિની હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર 23 જૂનના રોજ કોલવાડા ગામમાં ઘનશ્યામ પટેલની પત્ની રિશિતાએ અને સગીર પુત્રીએ તેમની હત્યા કરી દીધી હતી. જેમાં પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, પતિ પુત્રીની હાજરીમાં સંબંધ બાંધવાની વાત કરતો હતો અને તેણે દીકરીની પણ છેડતી કરી હતી. જેથી રિશિતાએ તેના પતિને મારી નાખવાની વાત કરી હતી. પરંતુ આ હત્યાની તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. આરોપી રિશિતાએ તેના પ્રેમી સંજય પટેલ સાથે મળીને તેના પતિની મિલકત માટે કાવતરું ઘડ્યું હતું. ધરપકડ બાદ પોલીસે રિશિતાના પ્રેમી સંજય અને તેની પત્ની સોનલની પણ ધરપકડ કરી છે.
ગાઢ નિંદ્રામાં સૂતેલા ઘનશ્યામ પટેલ પર સૌ પહેલા સંજયે પરાશના ઘા ઝીંક્યા હતા અને રિશિતા અને તેની 15 વર્ષની સગીર દીકરીએ ઘનશ્યાન પટેલના હાથ પકડ્યા હતા અને મોઢુ પણ દબાવ્યુ હતુ, જ્યારે સંજયની પત્ની સોનલે પગ પકડ્યા હતા. આ બધાએ મળી ઘનશ્યામ પટેલની હત્યાને અંજામ આપ્યો હતો. દિવ્ય ભાસ્કર ડિજિટલ અનુસાર દારૂની લતને કારણે રિશિતા અને ઘનશ્યામ વચ્ચે રોજ કંકાસ થતો અને તેમાં પણ રિશિતાના પ્રેમ પ્રકરણની જાણ થતા જ બંને વચ્ચે ઝઘડા પણ વધી ગયા હતા. જેને કારણે રિશિતા તેની દીકરી સાથે અમદાવાદ રહેવા જતી રહી હતી. આ દરમિયાન તેની ખાસ મિત્ર સોનલ અને તેના પતિ સંજયે તેની મદદ કરી અને તેના કારણે સંજય અને રિશિતા વચ્ચે પ્રેમ પાંગર્યો.
આ વાતથી સંજયની પત્ની અને રિશિતાની ખાસ મિત્ર સોનલ અજાણ હતી. ઘનશ્યામ પટેલના ત્રણ વીઘા જમીનના ભાવ આસમાને હોવાથી રિશિતાના મનમાં લાલચ જાગી અને તે તેના પ્રેમી સંજય વિના પણ રહી શકતી ન હતી જેને કારણે બંનેએ મળી હત્યાનો પ્લાન ઘડ્યો. ઘનશ્યામનું કાસળ કાઢ્યા બાદ જમીનના પૈસામાંથી સંજયને પણ ભાગ આપવાનું નક્કી થય. જો કે, 15 વર્ષની દીકરી પિતાની કરતૂતને કારણે નારાજ હતી અને તેનો જ ફાયદો રિશિતાએ ઉઠાવ્યો અને તે તેની દીકરીના મનમાં તેના પિતા વિરૂદ્ધ કાન ભરતી હતી.જે બાદ અગાઉ પ્લાન કર્યા મુજબ રિશીતા દીકરીને ઘનશ્યામ પટેલ સાથે રહેવા મોકલે છે.
ઘનશ્યામ પટેલે પણ દારૂની લતને તિલાંજલિ આપી હતી. પણ અચાનક દારૂ બંધ કરવાના કારણે તે રાત્રે સૂઈ શકતો ન હતો. હત્યાકાંડના સપ્તાહ પહેલા રિશિતા પણ કોલવડા આવી ગઇ અને તે ઊંઘની ગોળીઓ ઘનશ્યામ પટેલને આપતી અને જોતી કે તે કેટલીવાર સુધી ગાઢ ઊંઘમાં સૂવે છે. ત્યારે 20 જૂનના રોજ પ્રેમી સંજયને ફોન કરી રિશિતાએ હત્યાનો પ્લાન ઘડ્યો અને 23 જૂનના રોજ ઘનશ્યામ પટેલ બપોરના સમયે ગાઢ નિંદ્રામાં હતો ત્યારે જ સંજયને રિશીતાએ ફોન કરીને કોલવડા ગામ બહાર ઊભો રાખ્યો અને કહ્યુ કે, બોલાવું એટલે ઘરે આવી જજે. રિશીતા અને ઘનશ્યામ વચ્ચે ઝઘડો થયો હોવાનું પત્ની સોનલને કહીને સંજય ઘરેથી એક્ટિવા લઇને નિકળ્યો.

તે બાદ સોનલ પણ પતિનો સાથ આપવા આવી અને બાદમાં બંને કોલવડા બહાર એક ઝાડ નીચે આવીને ઉભા રહ્યા હતા. રિશીતાનો ફોન આવતા જ બંને ઘરે પહોંચ્યા અને હત્યાની વાત સાંભળીને સોનલે નનૈયો ભણી દીધો હતો. જે બાદ સંજયે કહ્યું- રિશીતા આપણાં 18 વર્ષના દીકરાને વિદેશ મોકલવા માટે પૈસા આપશે. આ સાંભળીને સોનલ પણ લાલચમાં આવી અને તેણે પણ હત્યામાં સાથ આપ્યો.પોલિસે સંજયની પૂછપરછ કરી ત્યારે તે ગોળ ગોળ જવાબ આપતો હતો અને પોલીસે અમદાવાદથી કોલવડા સુધીમાં પચાસ જેટલા સીસીટીવી ચેક કર્યા જે બાદ હત્યાના દિવસે સંજય અને સોનલ એક્ટિવા પર કોલવડા તરફ જતાં દેખાયા હતા. આ સામે આવતા જ તેની કડકાઇથી પૂછપરછ થઇ અને પછી નક્કર પુરાવા હાથમાં આવતા પોલિસે સંજયને ઉઠાવ્યો અને તેણે હત્યાની કબૂલાત કરી,