રસોઈ માટે ગેસ સિલિન્ડરનો ઉપીયોગ મોટાભાગના ઘરોમાં કરવામાં આવે છે, પણ ગેસ સિલિન્ડરના રેગ્યુલેટર સાથે જોડાયેલા અમુક નિયમો એવા છે જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને એવા જ અમુક નિયમો વિશે જાણકારી આપશું જે દરેક કોઈને જાણવું ખુબ જરૂરી છે.

જો તમારા ગેસ સિલિન્ડરમાં લાગેલું રેગ્યુલેટર ખરાબ છે તો તેને ગેસ એજંસીમાં જઈને કોઈપણ પ્રકારના પૈસા આપ્યા વગર જ ફ્રી માં બદલાવી શકો છો.છતાં પણ અમુક ગેસ એજંસીઓ આ કાયદા હોવા છતાં પણ ગ્રાહકો પાસેથી પૈસા લઈને રેગ્યુલેટર બદલે છે.

રેગ્યુલેટર લીકેજ હોય તો પણ એજંસીમાં ફરિયાદ નોંધાવીને તેને બદલાવી શકો છો.તમને નવું રેગ્યુલેટર ફ્રી માં આપવામાં આવશે. પણ શરત એ છે કે જૂનું રેગ્યુલેટર ડેમેજ થયેલુ કે તૂટેલું ના હોવું જોઈએ. જો એજંસીના લોકો પૈસા માંગી રહ્યા છે તો તેની પાસેથી બિલ ચોક્કસ લઇ લો.

જો રેગ્યુલેટર તૂટી ગયું છે કે ખોવાઈ ગયું છે તો પછી પેનલ્ટીની સાથે એજન્સીમાં સિક્યોરિટી પૈસા જમા કરાવીને રેગ્યુલેટર નવું મેળવી શકાય છે. તેના માટે કંપનીથી ગેસ સિલિન્ડરની ખરીદી કરવાના સમયે મળેલુ બિલ સાથે લઇ જાવાનું રહેશે.રેગ્યુલેટર ખરાબ થઇ જાવા પર તેને પૈસા લઈને બદલાવાની ફરિયાદો મોટાભાગે આવતી રહે છે. પણ નિયમોના આધારે રેગ્યુલેટરમાં ખામી હોવા પર તેને ફ્રી માં બદલાવામાં આવે છે.આ સિવાય તમે એજંસી કે કંપનીને રેગ્યુલેટરની જાંચ કરવા માટે પણ કહી શકો છો.

તમને રેગ્યુલેટર ચોરી થઇ જાવા પર પણ આ સુવિધા મળે છે,જેના ચાલતા તમે એજંસી પાસેથી નવા રેગ્યુલેટરની માંગ કરી શકો છો. તેના માટે તમારે પોલીસમાં એફઆઇઆર દર્જ કરાવાની રહેશે અને એફઆરઆઇની કોપી જમા કરાવ્યા પછી એજંસી તમને રેગ્યુલેટર આપી દેશે.

સિલિન્ડર લેતી વખતે એજંસીથી તમને સુરક્ષાની જાણકારી આપવામાં આવી રહી નથી,એવામાં તેઓની પાસેથી જાણકારી માંગો.તમારા ઘરે ઉપીયોગમાં લેવામાં આવતું ગેસ કનેક્શન માન્ય હોવું જોઈએ.આઈએસઆઈ માર્ક વાળા જ ગેસ ચુલ્લાનો ઉપીયોગ થાવો જોઈએ.કનેક્શનમાં એજન્સી દ્વારા મળેલા પાઇપ-રેગ્યુલેટરનો જ ઉપીયોગ થાવો જોઈએ.જ્યાં સિલિન્ડરનો ઉપોયોગ થઇ રહ્યો છે ત્યાં ધ્યાન રાખો કે વીજળીના તાર ખુલ્લા ના હોય.હંમેશા સિલિન્ડરને નીચેના સ્થાને અને ચુલ્લાને ઉપરની તરફ રાખવું જોઈએ.

ગેસ સિલિન્ડરની પટ્ટી પર પણ એ,બી,સી,ડી અને 12,13,15 આંકડા અને નંબરની મદદથી એક કોડ લખેલો હોય છે.ગેસ કંપનીઓ વર્ષના કુલ 12 મહિનાને ચાર ભાગમાં વહેંચીને સિલિન્ડરોના ગૃપ બનાવે છે.એક્સપાયરી ટેસ્ટિંગનો મહિનો સિલિન્ડરમા લખેલો હોય છે આ સિવાય આગળ લખેલો નંબર એક્સપાયરી વર્ષનો હોય છે.

જો તમારી કોઈ ભૂલને લીધે રેગ્યુલેટર ખરાબ થઇ ગયું છે તો નવું રેગ્યુલેટર મેળવવા માટે તમારે 150 રૂપિયા આપવા પડી શકે છે.તમે ફરિયાદ એજન્સીના પ્રોપરાઇટર પાસે કરી શકો છો કે પછી સીધા કંપનીના સેલ્સ ઓફિસરને પણ સંપર્ક કરી શકો છો.દરેક બે વર્ષમાં એલપીજી ગેસ સિલિન્ડરનું નિરીક્ષણ કરાવવાનું પ્રબંધ કરે છે. જો કોઈ સિલિન્ડરનું નિરીક્ષણ કરવા નથી આવી રહ્યા તો આપત્તિ દર્જ કરાવો.નિરીક્ષણ માટે કંપનીના વધારે લોકોને મોકલવામાં આવે છે.કંપની આ નિરીક્ષણનો ચાર્જ 75 રૂપિયા લે છે.

ગ્રાહકોને બેસ્ટ સુવિધાઓ આપવા માટે બજારમાં મલ્ટીફંક્શનલ રેગ્યુલેટર પણ મળે છે,આ રેગ્યુલેટરની મદદથી તમે એ જાણી શકો છો કે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે.આ રેગ્યુએલેટરમાં એક મીટર લાગેલું હોય છે. તેનું ડાયલ ત્રણ રંગોમાં વહેંચાયેલું છે જે લીલું, પીળું અને લાલ રંગમાં હોય છે. ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપીયોગ કરતી વખતે જો લીકેજની સમસ્યા આવે તો તરત જ રેગ્યુલેટર હટાવીને સેફટી કૈપ લગાવો અને તેને ખુલ્લામાં રાખી દો અને તરત જ કંપનીને સૂચિત કરો.
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટનાની ખબરો ખૂબ જ વાયરલ થઇ હતી. જેમાં એક પછી એક ગેસ ફાટવાના અવાજ આવી રહયા હતા અને લોકો ફાટી નીકળેલી આગથી બચવા માટે લોકો ભાગી રહયા હતા. ત્યારે આવી દુર્ઘટનાઓ ન ઘટે અને તેને પહેલેથી જ ટાળી શકાય એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. તો આજે જોઈએ એ બાબતો વિશે કે જેના પર ધ્યાન આપીને ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટનાને અટકાવી શકાય છે.

સૌથી પહેલા તો આપણે જયારે ગેસ સ્ટોવ ખરીદીએ છીએ એ સમયે સાથે એક બુકલેટ આપે છે, જેના પર ગાઇડલાઇન્સ લખેલી હોય છે. આપણે આ ગાઇડલાઇન્સ વાંચતા નથી, પરંતુ તેને ધ્યાનથી વાંચવી જોઈએ, તો ઘણી સમસ્યાઓ તો આપણે આસાનીથી ટાળી શકીએ છીએ.
ક્યારેય પણ ગેસની ગંધ આવે તો ડર્યા વિના પોતાને શાંત રાખો અને ગભરાવો નહિ. ભૂલથી પણ રસોડામાં કે ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રીક સાધનો ચાલુ ન કરો. જો કોઈ સાધનો ચાલુ હોય તો તેને તરત જ બંધ કરી દો. ઘરના બધા જ બારી બારણા ખોલી નાખો. ગેસને ઘરની બહાર કાઢવા માટે પાંખો ભૂલથી પણ ચાલુ ન કરો.
ઘરમાં કોઈ પણ દીવો કે અગરબત્તી કે મીણબત્તી કે બીજી કોઈ પણ વસ્તુ સળગતી હોય તો તેને તરત જ બુજાવી દો. ગેસના રેગ્યુલેટરને ચેક કરો અને જો એ ચાલુ હોય તો બંધ કરી દો. એ પછી પણ જો ગેસ લીક થતો હોય તો રેગ્યુલેટર કાઢીને સેફટી કેપ લગાવી લો. નોબને પણ સારી રીતે ચેક કરી લો.

પોતાના ડીલરનો સંપર્ક કરો અને તેને આ પરિસ્થિતિ વિશે જણાવો એટલે એ તમારી પાસે જલ્દી પહોંચી શકે. બાળકોનું ધ્યાન રાખો કે અને તેમને પોતાની નજીક જ રાખો, અને તેમને કોઈ પણ સ્વિચથી દૂર રહેવા કહો.
જો આગ લાગે તો…
ગેસ લીક થવાના કારણે જો સિલિન્ડરમાં આગ લાગી જાય તો એક ચાદર કે ટુવાલ તરત જ પાણીમાં ભીનો કરીને તેને ગેસ સિલિન્ડર પર લપેટી લો. એનાથી આગ તરત જ બુજાઈ જશે અને મોટી દુર્ઘટના ઘટવાથી બચી જશે. તમે ઇમર્જન્સી નંબર 112 પર પણ ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.