મિથુન રાશિમાં 12 વર્ષ બાદ બની રહ્યો છે શક્તિશાળી રાજયોગ, નવા વર્ષમાં આ રાશિઓ પર મહેરબાન માં લક્ષ્મી- ખૂબ આવશે ધન

દેવગુરુ બૃહસ્પતિને જ્યોતિષશાસ્ત્રમાં સર્વશ્રેષ્ઠ ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. તેમનું રાશિ પરિવર્તન દરેક જાતકના જીવન પર અસર કરે છે. ગુરુ લગભગ દર વર્ષે રાશિ પરિવર્તન કરે છે અને સંપૂર્ણ રાશિચક્રની પરિક્રમા કરવામાં 12 વર્ષનો સમય લે છે. 2025માં તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને આખું વર્ષ ત્યાં રહેશે. જુલાઈ મહિનામાં ગુરુની યુતિ દૈત્યગુરુ શુક્ર સાથે થશે, જેનાથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે.દ્રિક પંચાંગ મુજબ, બૃહસ્પતિ 14 મે રાત્રે 11:20 વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 26 જુલાઈ સવારે 9:02 વાગ્યે મિથુન રાશિમાં આવશે અને 21 ઓગસ્ટ સુધી રહેશે, ત્યારબાદ કર્ક રાશિમાં જશે. 26 જુલાઈએ ગુરુ-શુક્રની યુતિથી રચાનાર ગજલક્ષ્મી રાજયોગ ત્રણ રાશિઓના ભાગ્યમાં મહાન પરિવર્તન લાવશે.

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે ગજલક્ષ્મી રાજયોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. શુક્ર અને ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. ગુરુની દૃષ્ટિ પંચમ, સપ્તમ અને નવમ ભાવ પર રહેશે. સંતાન સંબંધિત ચિંતાઓ દૂર થશે અને શુભ સમાચાર મળશે. શિક્ષણમાં ઉત્તમ પરિણામો મળશે. અવિવાહિત જાતકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. વૈવાહિક જીવનની સમસ્યાઓ સુલઝશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્રોત ખૂલશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે શુક્ર-ગુરુની યુતિ અગિયારમા ભાવમાં થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. આર્થિક પડકારોમાંથી મુક્તિ મળશે. શિક્ષણ ક્ષેત્રમાં લાભ થશે. અચાનક ધનલાભ અને પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક સંબંધો સુધરશે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.

તુલા રાશિ: તુલા રાશિના જાતકો માટે ગજલક્ષ્મી યોગ નવમ ભાવમાં બની રહ્યો છે. વિશેષ લાભ પ્રાપ્ત થશે. આધ્યાત્મિક રુચિ વધશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ધાર્મિક કાર્યોમાં સહભાગિતા વધશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Devarsh
error: Unable To Copy Protected Content!