
એવામાં સલમાનના બંન્ને ભાઈઓ સોહેલ ખાન અને અરબાઝ ખાન પર કોરોનાનો નિયમ તોડવાનો આરોપ લાગ્યો છે.જેને લીધે બંને ખાન બ્રધર્સ અને સોહેલના દીકરા નિર્વાણ ખાન પર એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.

વાત કંઈક એવી છે કે બંને ખાન બ્રધર્સ અને નિર્વાણ ખાન 25 ડિસેમ્બરના રોજ UAEથી મુંબઈ આવ્યા હતા, જેના પછી ત્રણેને તાજ હોટેલમાં ક્વૉરૅન્ટિન થવાનું હતું પણ આવું ન કરતા ત્રણે સીધા જ મુંબઈ બાન્દ્રામાં પોત પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.જેને લીધે ત્રણ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
Brihanmumbai Municipal Corporation (BMC) registers FIR against actor Sohail Khan & his son Nirvaan as well as actor Arbaaz Khan for violating COVID norms. They returned from Dubai on 25th Dec & were asked to remain in quarantine in a hotel but they went home: BMC. #Maharashtra
— ANI (@ANI) January 4, 2021
કોરોના મહામારી વચ્ચે બંને ખાન બ્રધર્સ કોરોના નિયમોનું પાલન ન કરતા બેદરકારી કરતા જોવા મળ્યા છે. જેને લીધે બીએમસીએ એફઆઇઆર દાખલ કરી છે. જેના પછી ત્રણેને મુંબઈની તાજ હોટલમાં ક્વૉરૅન્ટિન કરવામાં આવ્યા છે. જો કે અમુક સમય પહેલા પણ અરબાઝ ખાન માસ્ક ન પહેરવાને લીધે આલોચનાનો શિકાર થયો હતો.