પપ્પા મારી શું ભૂલ હતી ? સૈનિક પિતાએ પોતાની 10 મહિનાની બાળકીને પછાડી પછાડીને ઉતારી દીધી મોતને ઘાટ, કારણ જાણીને હચમચી જશો

એક બાપ અને દીકરીનો સંબંધ ખુબ જ ખાસ હોય છે, દરેક પિતા પોતાની દીકરીને જીવથી પણ વધારે પ્રેમ કરતા હોય છે, તો દીકરી પણ તેના પિતાને તેના સુપર હીરો માનતી હોય છે અને ભરપૂર પ્રેમ વરસાવતી હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને લોકોના હૃદય કંપાવી દીધા છે. એક સૈનિક પિતાએ પોતાની જ 10 મહિનાની બાળકીની બેરહેમીથી હત્યા કરી નાખી.

આ હૃદયદ્રાવક ઘટના પંજાબમાંથી સામે આવી છે. જ્યાં એક પિતાએ તેની 10 મહિનાની માસૂમ બાળકીને જમીન પર ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મામલો મુક્તસર જિલ્લાના રણજીતગઢ ગામનો છે. આ ઘટના વિશે સાંભળીને બધા ચોંકી ગયા છે. આ ઘટનાનું કારણ પત્ની સાથે ઘરેલું વિવાદ જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ લોકો પૂછી રહ્યા છે કે 10 મહિનાની બાળકીનો શું વાંક હતો. કદાચ બાળક પણ એ જ પૂછતું હશે કે પપ્પા, મારો શું ગુનો હતો…?

આરોપી પિતા સૈનિક છે. હાલમાં તે અંબાલામાં પોસ્ટેડ છે. હત્યા કેસમાં આરોપીના માતા-પિતાનું નામ પણ સામેલ છે. પોલીસે તમામ સામે હત્યાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મુખ્ય આરોપી મૃતક બાળકીના પિતા ફરાર છે જ્યારે પોલીસે આરોપીના પિતાની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, અંબાલા કેન્ટમાં ફરજ બજાવતા સૈનિક સતનામ સિંહના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા ગામ લાખોકે બહરામ (ફિરોઝપુર)ની રહેવાસી અમનદીપ કૌર સાથે થયા હતા.

લગ્નના થોડા સમય બાદ સતનમે અને તેના માતા-પિતા અમનદીપ કૌર સાથે લડાઈ શરૂ કરી દીધી હતી. અમનદીપના ચારિત્ર્ય પર તે શંકા કરવા લાગ્યો. આ દરમિયાન થોડા સમય બાદ તેણે અમનદીપને ઘરમાંથી કાઢી પણ મૂકી હતી. તે સમયે અમનદીપ ગર્ભવતી હતી. સતનમે તેની પત્ની અમનદીપથી છૂટાછેડા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. બીજી તરફ અમનદીપે સતનામ વિશે સૈન્ય અધિકારીઓને ફરિયાદ કરી હતી. આ મામલે સેનાના અધિકારીઓએ અંબાલા કેન્ટમાં બોલાવીને બંને સાથે વાત કરી હતી. આ દરમિયાન, અમનદીપ કૌરે તેના મામાના ઘરે એક બાળકીને જન્મ આપ્યો. જેનું નામ તેણે રહેમત કૌર રાખ્યું.

દીકરી થયા બાદ પણ બંને પરિવાર વચ્ચે ઝઘડો ચાલતો હતો. 12 જુલાઈના રોજ સૈન્ય અધિકારીઓએ ફરીથી બંનેને બોલાવ્યા અને તેમની સાથે વાત કરી અને આદેશ આપ્યો કે બંને 20 દિવસથી સાથે રહે. આ પછી સતનામ તેની પત્ની અમનદીપ કૌરને ગામ રણજીતગઢ લઈ આવ્યો. આ 20 દિવસમાં પણ ઘરેલું ઝઘડો સમાપ્ત થયો નહોતો. સતનામ, તેના પિતા સુખચૈન અને માતા સ્વરણ કૌરે અમનદીપ કૌરને તેની દીકરી રહેમત અન્ય કોઈનું બાળક હોવા માટે ટોણા મારવાનું શરૂ કર્યું. રવિવારે સાંજે અમનદીપ કૌરના પિતા જસવિંદર સિંહ તેમની પુત્રી અને બાળકીના કપડા લઈને તેના ઘરે પહોંચ્યા હતા. તેના આગમન બાદ ઘરમાં ઝઘડો થયો હતો.

અમનદીપના પતિ અને સાસુએ રહેમતને ઝઘડાનું મૂળ કહેવાનું શરૂ કર્યું. આમાં સતનામે અમનદીપ કૌરના હાથમાંથી બાળકી છીનવી લીધી, તેના પગ પકડીને તેને જમીન પર પછાડી દીધી. જ્યારે અમનદીપના પિતા જસવિંદર બૂમો પાડવા લાગ્યા તો લોકો પણ એકઠા થઈ ગયા. બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જગસીર સિંહે જણાવ્યું કે મૃતક બાળકીના દાદા સુખચૈન સિંહે એમ કહીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા કે તેમના હાથમાં ઈજા થઈ છે. જ્યાંથી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ મામલામાં સૈનિક સતનામ સિંહ, તેના પિતા સુખચૈન સિંહ અને માતા સ્વરણ કૌર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી સૈનિક સતનામ સિંહની શોધ ચાલી રહી છે.

Niraj Patel