પશ્ચિમ બંગાળના ચર્ચિત શિક્ષા ભર્તી ઘોટાળાની જાંચ હવે મંત્રીઓ સુધી પહોંચી ચુકી છે. આ તપાસમાં પરિવર્તન નિદેશાલય (ED) એ શિક્ષક ભર્તી ઘોટાળાનાં સંબંધમાં રાજ્યમાં મંત્રી પાર્થ ચટર્જી અને નજીકની સહિયોગી અર્પિતા મુખર્જીના આવાસ પર છાપામારી કરવામાં આવી હતી. આ રેડમાં EDએ અર્પિતાના ઘરેથી 20 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે જેમાં 2000 અને 500 રૂપિયાના બંડલ્સ હતા, માનવામાં આવી રહ્યું છે કે અર્પિતા મમતા બેનર્જી સરકાર મંત્રી પાર્થ ચટર્જીની સહાયક છે.એવામાં પાર્થ ચટર્જીના ઘરે પણ શુક્રવારથી છાપામારી ચાલી રહી છે આ વચ્ચે સવાલ એ છે કે આખરે આ અર્પિતા કોણ છે અને તે પાર્થ ચટર્જીની કરીબી કેવી રીતે બની.
ઇડી રેડના આધારે અર્પિતા પશ્ચિમ બંગાળના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પાર્થ ચટર્જીની નજીકની સહિયોગી માનવામાં આવી રહી છે . તે વ્યવસાયથી એક અભિનેત્રી અને મૉડલ છે અને તે બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સાથે અમુક ફિલ્મોમાં સાઈડ રોલ કરી ચુકી છે.તેણે ઓડિશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, આ સિવાય તે તમિલ ફિલ્મોનો પણ હિસ્સો રહી ચુકી છે.
અર્પિતાએ જો કે ફિલ્લોમાં સાઈડ રોલ જ કર્યા છે. ઇડીના આધારે શિક્ષા ભર્તી ઘોટાલાની જાંચના દરમિયાન અર્પિતાની સલિપ્તતાની વાત સામે આવી છે. આ સિવાય તે ઘણીવાર પાર્થ મુખર્જીની સાથે રાજનીતિક આયોજનોમાં પણ જોવા મળી ચુકી છે.આ સિવાય તે પાર્થની સાથે કેમપેન કરતી પણ જોવા મળી હતી. એવું કહેવામાં આવ્યું છે કે દક્ષિણ કલકત્તાના લોકપ્રિય દુર્ગાપૂજા સમિતિના કાર્યક્રમોમાં બંનેની મુલાકાત થઇ હતી. જ્યા પાર્થ આ સમિતિનું સંચાલન કરે છે જ્યારે અર્પિતા પૂજામાં ઘણીવાર ભાગ લઇ ચુકી છે.
દુર્ગા પૂજાના સમયે રિલીઝ કરેલા પોસ્ટરમાં પાર્થ ચટર્જીનું નામ સંઘના અદ્યક્ષ તરીને લખવામાં આવ્યું હતું. છાપામારી બાદ ભાજપા નેતા અધીકારીએ 2019ની દુર્ગાપૂજાની તસવીરો શેર કરી છે, જેમાં સીએમ મમતા બનર્જી, પાર્થ ચટર્જી અને અર્પિતા મુખર્જી દેખાઈ રહ્યા છે. અધિકારીએ પોસ્ટ પર લખ્યું કે,” આ તો બસ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે”.રિપોર્ટના આધારે અર્પિતા આગળના ઘણા વર્ષોથી કલકત્તાના એક આલીશાન ફ્લેટમાં રહે છે. ઇડીએ તેના ઘરે છાપામારી કરી જ્યાંથી 20 કરોડ રોકડ રકમ મળી આવી છે.
“Guilty by Association” – A legal phenomenon used to describe when an individual is guilty of committing a crime through knowing someone else.
Just saying.
Yeh toh bas trailer hai, picture abhi baki hai… pic.twitter.com/4fM9gbLWrq
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) July 22, 2022
ઇડીએ કહ્યું કે,”તપાસના દરમિયાન ઇડીએ પાર્થ ચટર્જીની નજીકની સહિયોગી અર્પિતા મુખર્જીના આવાસ પરથી લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે”.ઇડીએ પોતાના મંતવ્યમાં આરોપ લગાવ્યો કે,”આ ધનથી સ્કૂલ સેવા આયોગ ઘોટાળા સાથે જોડાયેલો હોવાની શંકા છે” આ સિવાય અર્પિતાના આવાસ પરથી 20 થી પણ વધારે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેનો ઉદ્દેશ્ય અને ઉપીયોગની તપાસ કરવામાં આવી રહી છે.