આપણા દાદા-દાદી રોજ ગોળ ખાતા, શિયાળામાં એકવાર ખાઈ જુઓ ચમત્કારિક 13 ફાયદા થશે
શિયાળો શરૂ થતા ઘરની અંદર કેટલીય એવી વસ્તુઓ બનવા લાગશે જે ઠંડી અને તેના કારણે શરીરમાં ઉભી થનારી તકલીફો સામે રક્ષણ આપતી હોય. શિયાળામાં ઘણી વસ્તુઓ એવી પણ હોય છે જે શરીર માટે ખુબ જ ગુણકારી પણ હોય છે. કહેવાય છે કે શિયાળા દરમિયાન ખાવામાં આવેલી આ વસ્તુઓ આખું વર્ષ શરીરને ફાયદો આપતી રહી છે. ગોળમાં આયરનની માત્રા વધુ હોય છે.

ગોળમાં હિમોગ્લોબીન વધારવાની ક્ષમતા હોય છે તેથી ગોળનું દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. એવું આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે. જો તમને અથવા તમારા કોઈ પ્રિયજનને અસ્થમા છે તો તમારા રસોડામાં ગોળ જરૂર હાજર રાખવો જોઈએ. ગોળમાં પ્રોટીન,કોલીન, બીટેન, વિટામિન બી 12, બી 6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, સેલેનિયમ, મેગ્નીઝ અને કાર્બોહાઇડ્રેટ હોય છે.

આવો જાણીએ ગોળના ફાયદા વિષે
1.લોહીની ઉણપ દૂર કરવામાં મદદગાર:
ગોળ મેગ્નેશિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીઓ, નસો અને રક્તવાહિનીઓને થાકથી રાહત મળે છે. લોહીની ઊણપને દૂર કરવામાં પણ ગોળ ખુબ જ ફાયદાકારક છે.
2. અસ્થમાના દર્દીઓએ જરૂર ખાવો:
અસ્થમાના દર્દીઓ માટે ગોળ ખુબ જ ફાયદાકારક છે. તે ના ફક્ત શરીરના તાપમાનને કંટ્રોલ કરે છે પરંતુ એન્ટી એલર્જિક હોવાના કારણે અસ્થમાના દર્દીઓને રાહત પણ આપે છે.

3. હાડકા રાખે છે મજબૂત:
ગોળ હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે, ખાસ કરીને એ લોકો માટે વધારે ફાયદાકારક છે જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય છે. ગોળની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત કરવામાં ખુબ જ સહાયક છે. જો કોઈને શિયાળાની અંદર સાંધામાં વધારે તકલીફ થતી હોય તો તે આદુના એક ટુકડાની સાથે સાથે એક ટુકડો રોજ ગોળનો પણ ખાવાથી ઘણો જ ફાયદો થશે.
4.કબજિયાતમાં આપે છે રાહત:
જમ્યા પછી જો તરત થોડો ગોળ ખાવામાં આવે તો તે પાચનતંત્ર માટે પણ ખુબ જ ફાયદાકારક બને છે. તેનાથી તમને કબજિયાતમાં પણ રાહત મળે છે.

5.શરદી થવા ઉપર:
ઠંડીના દિવસોમાં અથવા તો તમને જયારે શરદી થાય ત્યારે ગોળનું સેવન અમૃત સમાન હોય છે. ગોળની તાસીર ગરમ હોવાના કારણે તે શરદી, જુકામ અને ખાસ કરીને કફથી તમને રાહત આપવામાં ખુબ જ મદદ કરે છે. જેના માટે દૂધ અથવા ચાની અંદર ગોળનો પ્રયોગ કરી શકાય છે. તમે ઈચ્છો તો તેનો ઉકાળો બનાવીને પણ પી શકો છો.
6.કફથી રાખે છે દૂર:
ગળા અને ફેફસામાં ઠંડીના સમયમાં કફ જામી જવાની પણ સમસ્યા રહેતી હોય જે નિયમિત ગોળ ખાવાના કારણે આ સમસ્યા પણ દૂર થાય છે.
7.શરીરમાં રક્તસંચારને નિયમિત રાખે છે:
ઠંડીના દિવસોમાં લોહીનો પ્રવાહ પણ શરીરમાં ધીમો થઇ જતો હોય છે. પરંતુ જો તમે નિયમિત ગોળ ખાવાનનું રાખશો તો લોહીના પ્રવાહને નિયંત્રણમાં રાખવાનું પણ એ કામ કરે છે.
8. દૂર થશે આયરનની ઉણપ:
નિયમિત ગોળ ખાવાના કારણે શરીરમાં ક્યારેય આયરનની ઉણપ નથી રહેતી. ખાસ કરીને જે લોકો એનીમીયાનો શિકાર હોય છે તેમને ખાંડની જગ્યાએ ગોળ ખાવો જોઈએ, તેનાથી ખુબ જ ફાયદો થાય છે.

9. શરીરને આપે છે એનર્જી:
જો તમને વધારે પડતો થાક અને કમજોરીનો અનુભવ થતો હોય તો તમારે ગોળનું સેવન કરવું ખુબ જ લાભદાયક રહેશે. ખાસ વાત તો એ પણ છે કે ગોળ જલ્દીથી પચી પણ જાય છે. જો કે ડાયાબિટીસ વાળા લોકોએ ગોળ ના ખાવો જોઈએ.

10. શરીરમાં લાવે છે ગરમી:
ગોળની તાસીર ગરમ હોય છે. જેના કારણે શિયાળાની ઠંડીમાં તે શરીરની અંદર ગરમાહટ ઉત્પન્ન કરે છે. શિયાળાની અંદર જો તમે રોજ ગોળ ખાવાનો શરૂ કરો છો તો તમને શરદી, ખાંસી અને જુકામની સમસ્યામાં રાહત મળે છે.
11. ગોળ સાથે ભાત ખાવાથી ગળું બેસી ગયું હોય તો અવાજ ખુલી જાય છે.
12. જમ્યા બાદ દરરોજ ગોળનું સેવન કરવાથી પેટમાં ગેસ થવાની સંભાવના નહિવત રહે છે.
13. ગોળ અને ઘી ખાવાથી કાનનું દર્દ ઠીક થઇ જાય છે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.