ડુંગળીના ભાવ આજે જયારે આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ખાવામાં સલાડની જગ્યા મૂળા, કોબીજ અને કાકડીએ લઇ લીધી છે. આજે કોઈપણ હોટેલમાં જમવા જશો તો પણ તમને સલાડમાં કોબીજ, કાકડી અને મૂળા જ વધારે પડતા જોવા મળશે. શિયાળાનો સમય પણ એવો હોય છે જ્યાં આપણને હેલ્દી રહેવા માટે સલાડ ખાવાની સૂચના ડોકટરો દ્વારા પણ આપવામાં આવે છે જેના કારણે આપણે સલાડનો વધુ ઉપયોગ કરીએ છીએ.

પરંતુ સલાડમાં વપરાતું કાચું કોબીજ શરીર માટે ઘણું જ નુકશાન દાયક છે એ વાત ઘણા ઓછા લોકો જાણતા હોય છે. હોટેલમાં સલાડમાં આપણે કોબીજ ખાઈએ છીએ, કોઈ ચાઈનીઝ ફૂડ ખાવાના શોખીન હોય તો તેમાં તો કાચું કોબીજ જ સલાડમાં આવતું હોય છે જે શરીરમાં નુકશાન પહોંચાડે છે, ચાલો જાણીએ કેવી રીતે?

શા કારણે કોબીજ ના ખાવું:
ઘણા લોકો કોબીજથી દૂર જ રહેતા હોય છે, કારણ કે કોબીજની અંદર કૃમિ હોય છે અને એ શરીરમાં પ્રવેશવાનો હરહમેશ ખતરો રહે છે. કોબીજને જયારે આપણે ખાઈએ છીએ ત્યારે તેની અંદર રહેલા કૃમિ શરીરમાં પ્રવેશે છે અને શરીરમાંથી સીધા મગજમાં પ્રવેશી જાય છે, આ કૃમિ એટલા નાના અને સૂક્ષ્મ હોય છે કે નરી આંખે પણ જોઈ નથી શકતા તે મગજમાં પહોંચતા જ તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. આ કૃમિને ટેપવર્મ એટલેકે ફીતાકૃમિ કહેવામાં આવે છે.

કેવી ખતરો રીતે આવ્યું સામે:
આપણા દેશમાં આ કૃમિ વિશેની જાણકારી લગભગ 20-25 વર્ષ પહેલા જ થવા લાગી હતી જયારે આપણા દેશમાં અલગ અલગ જગ્યાએ ઘણા લોકો માથાના દુખાવાની સમસ્યા લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘણા કિસ્સાઓમાં દર્દીને મીર્ગીની જેમ દોરા પણ પડવા હતા. જેમાંથી ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો કારણ કે આ કૃમિ તેમના મગજમાં જ વધારે પ્રમાણમાં ફેલાઈ ગયા હતા. ત્યારે લોકોને આ વિશે જાણકારી મળી કે વધુ પડતા કોબીજનું સેવન કરવાના કારણે તેમાં રહેલા કૃમિ તેમના શરીર મારફતે તેમના મગજમાં પ્રવેશ કર્યો હતો અને આ પ્રકારની બીમારીઓ લઇ આવ્યા હતા. જે પછી ઘણા લોકોએ કોબીજ ખાવાનું જ બંધ કરી દીધું હતું. ભારત સિવાયના બીજા દેશોમાં પણ આ કૃમિનો ખતરો રહેલો છે પરંતુ એ લોકો કોબીજની દેખરેખ પણ યોગ્ય રીતે રાખતા હોય છે જેના કારણે તેમને આ સમસ્યા વધુ નથી સતાવતી જયારે ભારતમાં કોબીજને યોગ્ય રીતે સાચવવામાં અને રાખવામાં નથી આવતું જેના કારણે તેમાં કૃમિનો પ્રવેશ થાય છે અને ખોરાક દરમિયાન તે શશરીરમાં પ્રવેશે છે.

કેવી રીતે પહોંચે છે શરીરમાં:
આપણા દેશમાં મોટાભાગના ઘરોમાં અને રેસ્ટોરન્ટમાં કોબીજનું શાક અને કોબીજ સલાડના રૂપમાં આપવામાં આવે છે અને એ આપણે ખાઈએ પણ છીએ જેના લીધે જ આ કૃમિ આપણા શરીરમાં પહોંચે છે. આ કૃમિ એટલા સૂક્ષ્મ હોય છે કે નરી આંખે જોઈ પણ શકાતા નથી, ઘણીવાર કોબીજને ધોવા છતાં પણ તેની અંદર તે ચોંટેલા રહે છે, અને જયારે આપણે સલાડમાં તેને ખાઈએ છીએ ત્યારે તે સીધા જ શરીરમાં પ્રવેશે છે, ઘણીવાર કોબીજને ધોયા પછી પણ આપણે શાક બનાવતા હોઈએ છીએ ત્યારે શાક કાચું પાકું બનાવતા પણ એ કોબીજની અંદર જ રહે છે.

ક્યાંથી આવે છે આ કૃમિ?:
આ કૃમિ સામાન્યરીતે પ્રાણીઓના છાણમાંથી આવે છે, જે ઘણા કારણોથી પાણી દ્વારા જમીનની અંદર પહોંચી જાય છે. વરસાદના પાણી દ્વારા આ કૃમિ જમીનમાં પહોંચવાની સૌથી વધુ સંભાવના રહેલી છે. આજ કારણ છે કે એ ખેતરમાં ઉગતી શાકભાજી દ્વારા તેને જો કાચી ખાવામાં આવે તો તે કૃમિ આપણા શરીરમાં પહોંચે છે.

મગજ ઉપર થાય છે અસર:
જ્યારે આપણે કોબીજ ખાઈએ અને તેમાં રહેલા કૃમિ જયારે એકવાર શરીરની અંદર પ્રવેશ કરી લે છે ત્યારે એ કૃમિનો સૌથી પહેલો હુમલો આપણા આંતરડા ઉપર થાય છે. ત્યારપછી શરીરમાં વહેતા રક્તપ્રવાહ દ્વારા તે આપણી નસોના માધ્યમથી સીધા જ મજગ ઉપર પહોંચે છે. કૃમિ આંતરડા ઉપર હુમલો કરી તેને વધારે નુકશાન નથી પહોંચાડતું પરંતુ તે મગજ ઉપર વધારે ખતરારૂપ સાબિત થાય છે. આ કૃમિ શરીરમાં પ્રવેશી ઈંડા મુકવાના પણ શરૂ કરી દે છે જેના કારણે શરીરના આંતરિક ભાગમાં પણ તે ક્ષતિ પહોંચાડે છે.
રોગના લક્ષણો:
જયારે આ કૃમિ શરીરમાં પ્રવેશે છે ત્યારે તમને શરૂઆતમાં કોઈ જ સમસ્યા સામે નથી આવતી પરંતુ ધીમે ધીમે આ કૃમિ પોતાના ઈંડા મુકવાના પણ શરૂ કરી દે છે જેના કારણે તેમની સંખ્યા વધતી જાય છે. જે દિમાગ ઉપર પહોંચીને શરીરમાં ધીમે ધીમે મોટું નુકશાન પહોંચાડવા લાગે છે. મીર્ગી જેવા દોરા જયારે પડવા લાગે ત્યારે સમજી લેવું કે આ કૃમિના કારણે જ થઇ રહ્યું છે. આ ઉપરાંત માથાનો દુખાવો, કમજોરી, થાક લાગવો, ડાયેરિયા, વધારે અથવા ઓછી ભૂખ લાગવી, વજનનું ઓછું થવું અને વિટામિન્સ અને મિનરલ્સની ખોટ પાડવી એ પણ પ્રમુખ લક્ષણો માનવામાં આવે છે.

ધ્યાન રાખવા જેવી બાબતો:
જયારે તમે કોબીજ કે બીજી કોઈ અન્ય શાકભાજી લાવો જેમાં આ કૃમિનો ખતરો હોય છે ત્યારે સૌથી પહેલું ધ્યાન તેની સાફ સફાઈ અને દેખરેખનું રાખવાનું હોય છે. આ શાકભાજીને એવી જગ્યાએ ના રાખવી જ્યાંથી કૃમિ સરળતાથી તેમાં પ્રવેશી શકે, જમવાનું બનાવતા પૂર્વે પણ હાથ બરાબર સાફ કરોને જ બનાવવું. નખને પણ કાપી અને સાફ રાખવા, ચોખ્ખા વાસણોમાં જ ખાવાનું બનાવવું. સંડાસમાંથી આવીને પણ હાથ બરાબર સાફ કરવા. આ ઉપરાંત કાચું કોબીજ ખાવાનું પણ જેમ બને તેમ ટાળવું જોઈએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.