દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહો અને જ્યોતિષ શાસ્ત્રોનું વિશેષ સ્થાન હોય છે. આ ગ્રહોની અસર લોકોના જીવન પર પડે છે અને લોકોના જીવનમાં શુભ કે અશુભ ઘટનાઓ ઘટે છે. ત્યારે આપણે ત્યાં એવી માન્યતાઓ પણ છે કે ભગવાન શનિદેવ પોતાના ભક્તોને પરમકલ્યાણ તરફ મોકલે છે. શનિદેવ જ છે કે જે પોતાના ભક્તોને જીવનમાં તપ કરવાની પ્રેરણા આપે છે અને જે વ્યક્તિનું તપમાં મન નથી લાગતું એનું મન શનિદેવની તપસ્યા માત્રથી લાગવાનું શરુ થઇ જાય છે. શનિદેવ આ ભક્તોને તેમની માન્યતા પૂર્ણ થવાના આશીર્વાદ પણ આપે છે.

ત્યારે આજે વાત કરીએ એવી કઈ 10 વસ્તુ છે કે જેનું દાન કરવાથી આપણે શનિદેવને પ્રસન્ન કરી શકીએ છીએ –
જો તમે ભગવાન શનિદેવને ખુશ કરવા માંગો છો તો કાળા ચણા, કાળા કપડાં, જાંબુ, કાળી અડદ, કાળા વસ્ત્ર, કાળા ફળ વગેરે દાન કર શકો છો. તો કાળા જૂત્તા, તલ, લોખંડ, તેલ, નીલમ, કસ્તુરી કે ભેંસ વગેરેને દાન કરવાથી શનિદેવની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે. કાળી વસ્તુઓને દાન કરવું તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

ન કરો આ ભૂલ –
એવું માનવામાં આવે છે કે દાન કરવાથી ભગવાન શનિદેવ ખૂબ જ ખુશ થાય છે અને પોતાના ભક્તોને પરેશાન નથી કરતા. પરંતુ વ્યક્તિએ દાન કરવાનું ઘમંડ ક્યારેય ન કરવું જોઈએ. જો તમે દાન કર્યા પછી ઘમંડ કરશો તો શનિદેવ નારાજ થઇ જાય છે. રાજા હરિશ્ચંદ્રને પણ દાન કર્યાનું ઘમંડ થયું હતું, જેના પછી શનિદેવનો પ્રકોપ તેમના પર ઉતર્યો હતો. એટલે જ દાન કરો અને શ્રદ્ધાભાવથી કરો તો શનિદેવ તમારું કલ્યાણ જરૂર કરશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks