દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલી ધન દોલત હોય કે તે પોતાના સપના પ્રમાણે દુનિયાની તમામ વસ્તુઓ ખરીદી શકે. પરંતુ દરેકના ભાગ્યમાં આવું નથી બનતું. ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના બધા જ સપનાઓ પૂરા કારે આલીશાન બંગલા, ગાડી સાથે મોજ શોખથી પોતાનું જીવન જીવી રહ્યા હોય છે.

તો કેટલાકનું નસીબ એવું પણ હોય છે કે તે પોતાનું જીવનમાં ઘણી ઇચ્છાઓને મનમાં જ છૂપાવી પોતાની જિંદગી જીવી રહ્યા હોય છે. જો તમે પણ તમારી બધી જ ઈચ્છાઓ અને સપના પૂરા કરવા માંગો છો ? તમારા જીવનની બધી જ મનોકામના પૂરી કરવા માંગો છો ? તો આવનારા નવેમ્બર મહિનામાં જે દિવાળી આવશે એમાં તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ. ને તમે તમારી જિંદગી જીવવા માટે કોઈ બાંધ છોડ ક્યારેય નહી કરવી પડે.

બસ એના માટે તમારે દિવાળીના દિવસે તમારા ઘરમાં કોઈ એક જગ્યાએ એક રૂપિયાનો સિક્કો મૂકવાનો છે, અને થોડી પૂજા વિધી કરવાની છે. બસ આટલું કરશો એટ્લે તમારા જીવનમાં અત્યાર સુધી નહી થયેલી બધી જ ઈચ્છાઓ ધીરે ધીરે પૂર્ણ થવા લાગશે. જેની તમે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. તો ચાલો આજે જાણીએ આ ઉપાય વિશે.

મહાલક્ષ્મીની પૂજા સમયે કરો આ કામ :
ન દોલતમાં ભરપૂર વધારો કરવા માટે દિવાળીની સમજે માતા લક્ષ્મીની પૂજા સમય પહેલા એક રૂપિયાનો સિક્કો લેવાનો છે. અને તેને સુતરાઉ લાલ કપડામાં બાંધીને તેને માતાના ચરણોમાં અર્પણ કરવાનો છે. અને પછી માતાની પૂજા કરવાનું શરૂ કરવાનું છે. આમ કરવાથી માતારાની તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને ધીરે ધીરે તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. અને તમારા ધનના દ્વાર પણ ખૂલવા લાગશે. આના માટે તમારે એ યાદ રખવાનું કે, પૂજાનો સમય શ્રેષ્ઠ હોવો જોઈએ.

પૂજા કરવા માટે તમારે સુગંધિત અગરબતી, ફૂલો અને અષ્ટગંધનો ઉપયોગ કરવાનો છે. એવી માન્યતા છે કે જો પૂજામાં સુંગંધિત વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે ને ઘરમાં ધનનો વાસ થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.