ગણેશ ચતુર્થીના દિવસ સામાન્ય નાગરિકથી લઈને સિતારાઓએ પણ ગણપતિની સ્થાપના કરી હતી. જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને આત્મારામ ભીડેએ પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાના સ્થાપના કરી છે.

દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ગણેશ ચતુર્થી ઉજવણીની તસવીરો શેર કરી હતી. આ સાથે જ બધાને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એવી પ્રાર્થના કરી છે.

શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, જેઠાલાલ કુર્તામાં નજરે ચડે છે. આ સાથે જ તેને તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, ‘Pranamya Shirsa Devam Gauri Putram Vinayakam, ગણેશ ચતુર્થીની શુભેચ્છા.

તહું ઇચ્છુ છું કે, આ વર્ષે લોકો ઘરે સુરક્ષિત રીતે સેલિબ્રેશન કરે. આ સાથે જ લખ્યું હતું કે,ગણપતિ બાપ્પાને આ મહામારીન દૂર કરવામાં મદદ કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે.’ દિલીપ જોષીએ શેર કરેલી આ તસવીરો પર તેમના ચાહકો કમેન્ટ કરી રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સિરિયલનાં સહ-કલાકાર મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેએ પણ પોતાના ઘરે ગણપતીજી સ્થાપન કરી હતી. મંદારએ તસ્વીર શેર કરીને લખ્યું હતું કે,ગણપતિ બાપ્પા મોર્યા… આખરે બાપ્પા ઘણી બધી સકારાત્મક અને આશીર્વાદ સાથે પહોંચી આવ્યા છે. તમને બધાને સ્વસ્થ અને સલામત ગણેશ ચતુર્થીની શુભેચ્છા.

સાથે જ મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ ભીડેએ વર્ષ 2018ની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ગણપતિ બાપ્પાની મૂર્તિ ગોકુલધામ સોસાયટીના મૂકવામાં આવી હોય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ રહેવાસીઓ રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.