કહેવાય છે કે લગ્ન સાત જન્મોનું બંધન છે. પરંતુ આજકાલ તો આ સાત જન્મોનું બંધન પણ કેટલાક મહિનાઓ બાદ જેલ જેવું લાગવા લાગે છે. જેના ઘણા કારણો છે. આજકાલ સંયુક્ત પરિવારોનો દબદબો ખતમ થઇ રહ્યો છે. પરિવારના અન્ય સંબંધો પતિ-પત્નીને એકબીજા સાથે જોડીને રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ હવે પતિ-પત્ની લગ્ન બાદ એકલા જ રહેવા લાગ્યા છે. સ્ત્રીઓ પણ પહેલા કરતા વધુ સ્વતંત્ર છે અને તેઓ પણ આવા સંબંધોમાં રહેવા કરતા સ્વતંત્ર રહેવું પસંદ કરે છે.

આજકાલ ખૂબ ટૂંકા લગ્નજીવનના તૂટવાના સમાચાર વારંવાર સાંભળવા મળે છે. અત્યારના સમાજમાં ઘણું બધુ બદલાઈ ગયું છે. આટલા જલ્દી છૂટાછેડા થવાના કારણે અત્યારનો બદલાવ જવાબદાર છે. અત્યારના જમાનામાં બદલાયેલી વિચારસરણી અને રિવાજોના કારણે થયેલા પરિવર્તનને કારણે જ આજે આવા પરિણામો સમાજમાં જોવા મળે છે.
પહેલાના જમાનામા વડીલો દીકરીના ઘરે જમતા ન હોતા, પહેલાના જમાનામાં લોકો દીકરીના ઘરે જઈને લોકો પાણી પણ નહોતા પીતા કે જ્યાં સુધી દીકરીના ઘરે પહેલું કોઈ સંતાન ન થાય ત્યાં સુધી દીકરીના ઘરે કોઈ જ મહેમાન ગતિ કરવા માટે નહોતા જતાં કે તેના ઘરે કોઈ જમણ પણ નહોતા માંડતા. અને દીકરીને એક જ સલાહ આપવામાં આવતી હતી કે ગમે તે થાય પણ તારો સંસાર માંડવો જોઈએ. દુખ હોય કે સુખ આ તો ચાલ્યા જ કરે.

સ્વાભાવિક છે કે દીકરીને પિતાના ઘર જેવુ જ વાતાવરણ સાસરીમાં ન મળે. અને એના કારણે થોડી ઘણી તકલીફ તો રહેવાની જ અને એમાંય જો મા-બાપ દીકરીના ઘરે જાય ને કદાચ એને પડતી તકલીફ પડે તો એના મા-બાપને દીકરીની દયા આવે અને એના જીવનમાં આ તકલીફ વિષે કદાચ જો તેના મા બાપ કશું બોલે તો તેના સંસારમાં કોઈ તકલીફ પડી છે કે કદાચ તેના બાપની આ ઇન્ટરફિયરના કારણે એ દીકરીનું ઘર પણ ભાંગી શકે છે.
અને આ જ કારણે કદાચ પહેલાના જમાનામા મા-બાપ દીકરીના ઘરે જતાં ન હતા. જ્યારે હાલના જમાનામાં મા-બાપ દીકરીને પહેલાથી જ વધારે છૂટ આપવામાં આવે છે. જન્મથી જ દીકરીને એકદમ છૂટ આપવામાં આવે છે. જેના કારણે દીકરીને વધારે પડતી સ્વતંત્રતા મળતી હોવાથી જ્યારે એ સાસરે જાય છે ત્યારે તેને કોઈ જ બંધનમાં રહેવું ગમતું નથી. અને એના કારણે જ એને લગ્ન જીવનમાં તકલીફનો સામનો કરવો પડે છે.

જ્યારે પણ દીકરી સાસરે જાય છે ત્યારે માતા પિતાએ તેને સામાજિક અને કૌટુંબિક જ્ઞાન આપવું જોઈએ કે તે હવે જે ઘરે જઈ રહી છે એ ઘર ને જ તેણે સાચવીને, સંભાળીને રહેવું પડસે, એ આખું ઘર, વાતાવરણને લોકો બદલાય છે એટ્લે સ્વાભાવિક છે કે ત્યાં રહેલા બધા જ માણસોની પ્રકૃતિ ને સ્વભાવ પણ અલગ હોય. તો એ બધાની વચ્ચે પોતાનાપણાનો ભાવ લાવીને એ બધા જ લોકોને પોતાના બનાવી પ્રેમભાવથી જીવન જીવવું. સાથે સાથે દીકરાને પણ એ વાત સમજાવવી જોઈએ કે આવનારી દીકરી તેનું ઘર બાર માતા પિતા બધુ જ છોડીને આવે છે. તો તેને સમજવી જોઈએ, કદાચ જો એને ક્યારેક ગુસ્સો આવે તો તેને પ્રેમથી સંભાળી લે જે. જો આમ દીકરી કે દીકરાના મા-બાપ સમજાવે તો છૂટાછેડાનું પ્રમાણ ઘટી શકે છે. મોટા ભાગે માં બાપ ને જ આ ફરજ સમજી અદા કરવી જોઈએ.

તો બાજુ માતા પિતાએ પણ પોતાની દીકરી સાથે તેના સાસરિયાની વિરુદ્ધ ક્યારેય વાત કરવી જોઈએ નહી. કેમકે જો આવું વધારે સમય વાત કરશો તો કદાચ આ કારણે તમારી દીકરી ક્યારેય તેની સાસરીમાં ભળી શકશે નહી. અને તમારી દીકરી થોડા જ સમયમાં તમારા ઘરે પાછી આવી શકે છે. અને તમારી દીકરીને જ ભવિષ્યમાં તકલીફનો સામનો કરી શકે છે.
પાછી જો આગળ જોઈએ તો પિયર સિવાય સાસરીના કારણે પણ ટૂંક સમયમાં જ છૂટાછેડા થવાની સંભાવના છે. તમારા ઘરે જે દીકરી પરણીને આવી છે એ દીકરી તેના માતા પિતાની વહાલસોયી દીકરી છે. તે પણ લાડ કોડથી ઉછરી છે ને ઘણા અરમાનો જોઈને તમારા ઘરમાં આવી છે. તો એ દીકરીને તમારા ઘરે પ્રેમ, હૂંફ આપો. તેને કદાચ જો તેને કશું ન આવડે તો પ્રેમથી શોખવાડો.

જો કોઈ દીકરી લગ્ન કરીને તમારા ઘરની વહુ બનીને આવે છે તો તમે તરત જ તેના પર બધું જ કામ થોપી ન દો. તેને તમારા ઘરના વાતાવરણને જોવા દો, સમજવા ડો અને ઘરના લોકો સાથે પરિચિત થતા દો. એ ઘરના બધા સભ્યો સાથે મોકળા મને વાત કરી શકે એવું વાતાવરણ આપો. પછી ધીરે ધીરે તમારા ઘરના વાતાવરણ અનુસાર ઢાળવા દો. થોડો સમય જરૂર લાગશે કારણ કે બની શકે કે એના ઘરનું વાતાવરણ તામ્ર ઘર કરતા જુદું હોય જેથી તમારા ઘરના વાતાવરણમાં ઢાળવામાં સમય લાગે. પરંતુ એ પછી એ તમારા ઘરમાં દૂધમાં સાકાર ભળી જાય એ રીતે ભળી જશે. અને એ પછી એને કે તમને નવું-નવું નહિ લાગે.
જો ઘરના વડીલો આવી બધી નાની-મોટી બાબતોનું ધ્યાન રાખે તો બની શકે કે ભવિષ્યમાં છૂટાછેડાનું પ્રમાણ ઘટી જાય અને બની શકે કે છૂટાછેડા ન પણ થાય. સમજદારી સાથે જો વિચારીને આ બધું જ કરવામાં આવે તો કદાચ પરિવર્તન આવી શકે છે અને સમાજમાં થતા છૂટાછેડાના પ્રમાણે ઘટાડી શકાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.