વધુ એક શ્રદ્ધા જેવી હત્યા, મહિલાની કરવામાં આવી હત્યા, આફતાબને જોઈને પ્રેરિત થયો હતો

શ્રદ્ધા મર્ડર કેસ બાદ વધુ એક હ્રદય કંપાવી દેનારો મામલો સામે આવ્યો છે. તિલક નગરમાં મનપ્રીત નામના વ્યક્તિએ તેની લિવ ઇન પાર્ટનર રેખા રાનીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદથી તે ફરાર ચાલી રહ્યો હતો. દિલ્લીની ક્રાઇમ બ્રાંચે તેની પંજાબથી ધરપકડ કરી છે. પોલિસે જણાવ્યુ કે, તે પહેલા પણ હત્યા અને અપરહરણના મામલામાં શામેલ રહી ચૂક્યો છે. આ ઘટનાને લઇને દિલ્લી પોલિસે શુક્રવારે જણાવ્યુ હતુ કે, મૃતક રેખા રાની જે છેલ્લા 15 વર્ષથી ગણેશનગરમાં ભાડાના એક મકાનમાં રહેતી હતી.

તિલક નગર પોલિસ સ્ટેશનને બપોરે 12.28 વાગ્યે સૂચના મળી હતી અને તે બાદ એક ટીમ ઘરે પહોંચી તો દરવાજા પર તાળુ લાગેલુ હતુ. પોલિસે જ્યારે દરવાજો ખોલ્યો તો તેમને રેખા રાનીની લાશ મળી. પોલિસે આ મામલે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલિસે જણાવ્યુ કે, આરોપી દિલ્લીમાં સેકંડ હેંડ કારોની ખરીદી-વેચાણનો સોદો કરતો હતો. તેના પિતા યુએસમાં સ્થાયી થયા છે. તેના લગ્ન 2006માં થયા હતા. તેને બે પુત્રો રણ છે, પરંતુ 2015માં તે રેખા નામની મહિલાના સંપર્કમાં આવ્યો અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો.

પ્રતિકાત્મક તસવીર

ત્યારપછી મનપ્રીતે ગણેશ નગરમાં ભાડા પર ઘર લીધું હતું. જેમાં તે રેખા સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યો હતો. ધીમે-ધીમે તેને લાગ્યું કે હવે તે આ સંબંધમાં ફસાઈ રહ્યો છે, તેથી તેણે રેખાને ખત્મ કરવાનો પ્લાન બનાવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરની રાત્રે આરોપી ફ્લેટ પર પહોંચ્યો અને રેખાની 16 વર્ષની દીકરીને ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી ખવડાવી દીધી. આ પછી તેણે રેખાની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી.

પ્રતિકાત્મક તસવીર

પોલીસને શંકા છે કે આરોપીએ શ્રદ્ધા હત્યાકાંડ જોયા બાદ આ યોજના ઘડી હતી અને તેથી જ તેણે ધારદાર હથિયાર (ચાપડ) ખરીદ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે, આરોપીનું પ્લાનિંગ પણ આવું જ હતું, પરંતુ ઘરમાં 16 વર્ષની છોકરી હાજર હોવાથી તે ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. મનપ્રીત રેખાની હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે તેને પંજાબમાંથી પકડ્યો હતો.

Shah Jina