વરસાદના કારણે ઘણા પુલ તૂટી જવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે ઉત્તરાખંડમાં પણ ઘણી ઘટનાઓ સામે આવી છે. હાલ ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. દહેરાદુન અને ઋષિકેશને જોડાવા વાળા સૌથી મહત્વપૂર્ણ રાનીપોખરિ પુલ તૂટી ગયો છે. જેના કારણે દહેરાદુન અને ઋષિકેશ વચ્ચેનો રસ્સ્તો બંધ થઇ ગયો છે.
Watch || भारी बारिश के कारण रानी पोखरी के नजदीक देहरादून-ऋषिकेश ब्रिज टूट गया. जिसके बाद कई वाहन क्षतिग्रस्त हो गए. वहीं लगातार हो रही बारिश से मालदेवता-सहस्रधारा लिंक रोड कई मीटर तक नदी में समा गया. #dehradun #rishikesh #uttarakhand #accident #newsalert #newsupdate pic.twitter.com/gwDeHf4gk1
— The Gantantra (@TheGantantra) August 27, 2021
આ દુર્ઘટના ત્યારે ઘટી જયારે આ પુલ ઉપરથી ગાડીઓ પસાર થઇ રહી હતી. જેના કારણે કેટલાક વાહનો હજુ પણ ત્યાં ફસાયેલા છે. બ્રિજ તૂટતા જ 3 વાહનો, જેમાં બે લોડર અને એક કાર નદીમાં ખાબક્યા હતા. બ્રિજ તૂટવાની ખબર મળવાની સાથે જ ફાયર બ્રિગેટ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Uttarakhand: भारी बारिश से आफत, टूटा देहरादून-ऋषिकेश के बीच पुल, बही कई गाड़ियां, लोगों की तलाश जारी@IMDWeather@dmdehradun@DIPR_UK@Ashokkumarips@pushkardhami #heavyrain #Uttarakhand#Dehradun pic.twitter.com/9UU40GJXcg
— Paryavaran Post (@paryavaranpost2) August 27, 2021