ખુશખબરી: આ દિગ્ગજ કલાકારની થઈ રહી છે ધમાકેદાર વાપસી? નામ જાણીને ખુશી થશે

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોના દિલમાં આ શોએ ઘણી જગ્યા બનાવી લીધી છે. આટલા લાંબા સમયથી આ શો ચાલે છે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોના 3 હજાર એપિસોડ પુરા થયા હતા. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સબ ટીવીનો સૌથી પોપ્યુલર શો છે અને આ શોની શરૂઆત 28 જુલાઇ 2008થી થઇ હતી. જોતજોતામાં જ તેણે 13 વર્ષ પૂરા કર્યા અને આ શો હવે લગભગ દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. શોની પોપ્યુલારિટી હજી પણ બરકરાર છે.

આ શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. ત્યારે છેલ્લા ઘણા સમયમાં આ શોમાં કેટલાક બદલાવ આવ્યા છે. શોના કેટલાક કલાકારોએ આ શોને અલવિદા કહી દીધુ છે, તેમાંથી જ એક છે નેહા મહેતા કે જે આ શોમાં અંજલિ ભાભીનું પાત્ર નિભાવતા હતા.

પરંતુ તેની લોકપ્રિયતા અને પોપ્યુલારિટી હજી પણ એવી છે. શોમાં કેટલાક કલાકાર છે જે કપલમાં જોવા મળે છે અને કેટલાક સિંગલમાં. પરંતુ આજે અમે તમને જણાવીશુ એવા કલાકાર વિશે જે તેમના અસલ જીવનમાં પણ સિંગલ છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના આ કલાકાર અસલ જીવનમાં તેમના બેચલરહુડનો આનંદ લઇ રહ્યા છે. આજે અમે તમને એ કલાકાર વિશે જણાવીશુ જેના શોમાં તો લગ્ન થઇ ચૂક્યા છે પરંતુ તેઓ અસલ જીવનમાં હજી પણ કુંવારા છે.

1. ઐય્યર ઉર્ફે તનુજ મહાશબ્દે : શોના કૃષ્ણન ઐય્યરને તો તમે જાણતા જ હશોને, આ શોમાં તેઓનો જેઠાલાલ સાથે 36નો આંકડો છે. ઓનસ્ક્રીન તનુજના લગ્ન થઇ ચૂક્યા છે, પરંતુ તેઓ અસલ જીવનમાં કુંવારા છે, હજી સુધી તેમને તેમની દુલ્હનિયા નથી મળી. તમને જણાવી દઇએ કે, તનુજ 40 વર્ષના છે અને તેઓ મધ્યપ્રદેશના રહેવાસી છે.

2.રોશન સિંહ સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ : શોમાં લોકોના ચહેરા પર હસી લાવવા વાળા અભિનેતા ગુરુચરણ સિંહ સોઢી તેમની ઓનસ્ક્રીન પત્ની રોશન સાથે રોમાન્સ કરતા જોવા મળે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુરુચરણ સિંહ તેમના અસલ જીવનમાં હજી સુધી કુંવારા છે.

3.અંજલિ ભાભી ઉર્ફે નેહા મહેતા : શોમાં અંજલિ ભાભીનું પાત્ર નિભાવતી નેહા મહેતા હવે આ શોનો ભાગ નથી, પરંતુ તેમણે ઘણા વર્ષો સુધી શોમાં કામ કર્યુ છે. નેહા મહેતા તેમની રિયલ લાઇફમાં હજી સુધી કુંવારા છે.

4.બાવરી ઉર્ફે મોનિકા ભદોરિયા : શોમાં બાધાની પાછળ દીવાની બાવરીને તો તમે જાણતા જ હશોને. બાવરીનું નામ મોનિકા ભદોરિયા છે. શોમાં તો તેમને બાઘો મળી ગયો છે, પરંતુ રિયલ લાઇફમાં તેમને હજી દુલ્હો મળ્યો નથી. તે હજી સુધી સિંગલ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. એકવાર ફરી શોમાં જોવા મળશે દયાબેન.. દયાબેનની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. તે જલ્દી જ શોમાં પાછા જોવા મળી શકે છે.

Image Source

ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો છેલ્લા 12 વર્ષથી મનોરંજન કરે છે. આ શોમાં જે વધારે પસંદ કરનાર પાત્ર છે તે છે જેઠાલાલ અને દયાબેન.. દયાબેન છેલ્લા ઘણા સમયથી શોમાં નથી અને હવે ખબર છે કે તેઓ શોમાં પાછી આવી રહ્યા છે.

Image Source

ફેન્સ દયાબેનની વાપસીની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દયાબેનના ભાઇ એટલે કે સુંદરલાલે દયાબેનની વાપસીને લઇને કન્ફર્મ કર્યું છે. રીપોર્ટ અનુસાર, સુંદરલાલે દયાબેનની વાપસીને લઇને કન્ફર્મ કર્યુ છે અને ફેન્સ દયાબેનને ફરીથી શોમાં જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે.

જેઠાલાલને સુંદર જણાવે છે કે, તેણે નવો રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો છે. આ સાથે જ જેઠાલાલને દયાબેનનો પત્ર આપે છે. જેમાં તેમની વાપસીને લઇને વાત લખી છે. તમને જણાવી દઇએ કે, ઘર ઘરમાં જાણીતી બનેલી ગરબા ક્વિન એટલે દયાબેન જલ્દી જ શોમાં પરત ફરવાના છે. લોકો દયાબેનના ડાયલોગ અને તેમની કોમેડી ખૂબ જ મિસ કરી રહ્યા છે. આ વચ્ચે સુંદર લાલે જે ખબર સંભળાવી છે તેનાથી તો ફેન્સ હવે ખૂબ જ ખુશ છે અને આતુરતાથી દયાબેનની રાહ જોઇ રહ્યા છે.

દયાબેનની પાછા આવવાની ખબરથી જેઠાલાલ ખૂબ ઇમોશનલ થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે, શોમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. તમને જણાવી દઇએ કે, દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણીના અનોખા અંદાજે લોકોનું દિલ જીતી લીધુ છે. દિશાને આ પાત્રથી ઘણી લોકપ્રિ.તા મળી છે. પરંતુ તે માતા બન્યા બાદથી આ શોમાં પાછી આવી નથી.

Shah Jina