દીકરીએ પિતા કન્હૈયા સિંહની સોપારી આપીને કરાવી હત્યા, હત્યારાઓને દીકરી પપ્પાનું લોકેશન અને દરેક માહિતી આપતી હતી

લફરાબાજ દીકરીએ પિતાનો જીવ લેવા માટે હત્યારાને સોપારીમાં આપી હીરાની વીંટી, કારણ સાંભળીને મગજ ફફડી જશે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી અંગત અદાવત હત્યાનું કારણ હોય છે. ત્યારે હાલ એક હત્યાનો એવો કિસ્સો સામે આવ્યો છે, જે ઘણો ચોંકાવનારો છે. આ કિસ્સામાં એક દીકરીએ તેના પ્રેમીને મેળવવા માટે પિતાની હત્યા કરાવી નાખી. ઝારખંડના સરાયકેલાના આદિત્યપુરમાં 29 જૂનના રોજ રાત્રે થયેલી પૂર્વ ધારાસભ્ય અરવિંદ સિંહના સાળા અને બિઝનેસમેન કન્હૈયા સિંહની હાઈપ્રોફાઈલ હત્યાનો પર્દાફાશ પોલિસે કર્યો છે. એસપી સરાઈકેલા અને એસઆઈટી ટીમના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કન્હૈયા સિંહની હત્યા પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલી છે. પ્રેમમાં થયેલા વિખવાદનો બદલો લેવા અને રાજવીર સિંહના પરિવારને ત્રાસ આપીને આદિત્યપુરથી કાઢી મૂકવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

કન્હૈયા સિંહની દીકરીએ તેના પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પુત્રી અપર્ણાએ તેના પિતાની હત્યા કરાવવા માટે પ્રેમી રાજવીરને હીરાની વીંટી આપી હતી. બીજે લગ્ન કરવાના મુદ્દે હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે પટનામાં પણ કન્હૈયા સિંહની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સફળ રહ્યો ન હતો અને તે બાદ 29 જૂનના રોજ કન્હૈયા સિંહની હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, હત્યામાં ઉપયોગ થયેલ દેશી કટ્ટા સ્થાનીય જિલ્લાધ્યક્ષના પુત્રએ ઉપલબ્ધ કરાવ્યો હતો. પોલિસે આ ઘટનામાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, અને 2 હજુ પોલિસની ગિરફ્તથી બહાર છે. બિઝનેસમેન કન્હૈયા સિંહની દીકરી અપર્ણાના પ્રેમ પ્રકરણને કારણે કન્હૈયા સિંહ અને તેના માણસો પ્રેમી રાજવીરના પરિવારને આદિત્યપુરથી જતા રહેવા જવા અને અપર્ણાના બીજે લગ્ન કરાવવાનું નક્કી કર્યુ હતુ.

આ બંને ઘટનાઓને કારણે રાજવીર કન્હૈયા સિંહ પ્રત્યે ખૂબ જ ગુસ્સે હતો. આ માટે રાજવીર સિંહે તેની ગર્લફ્રેન્ડ અને કન્હૈયા સિંહની દીકરી અપર્ણા અને મિત્ર નિખિલ ગુપ્તાની મદદથી આ હત્યાને અંજામ આપ્યો હતો. એસપી આનંદ પ્રકાશે જણાવ્યું કે તેમની પુત્રી અપર્ણા કન્હૈયા સિંહની હત્યાની માસ્ટરમાઇન્ડ બની હતી. જે હત્યારાઓને ક્ષણે ક્ષણ માહિતી અને લોકેશન આપતી હતી. સરાઈકેલા પોલીસે જણાવ્યું કે 20 જૂને પટનામાં કન્હૈયા સિંહની હત્યા કરવામાં આવવાની હતી, પરંતુ કોઈ તક ન મળતા તેમનો પ્લાન નિષ્ફળ ગયો હતો.

તે બાદ 20 જૂનની રાત્રે રાજવીર સિંહ તેના મિત્ર અને શુટર નિખિલ ગુપ્તા, જિલ્લાધ્યક્ષના નાના રાય કિસ્કુના દીકરા સૌરભ કિસ્કૂને લઇને પટના ગયો હતો. તે દિવસે કન્હૈય સિંહ પટનામાં હતા. તેમનું લોકેશન પણ અપર્ણા આપી રહી હતી. પટનામાં નિખિલને દેશી કટ્ટો સૌરભે જ ઉપલબ્ધ કરાવ્યો હતો. સૌરભે સાડા 8 હજાર રૂપિયામાં દેશી કટ્ટો અને એક ગોળી ઉપલ્બધ કરાવી હતી. આ હત્યામાં અત્યાર સુધીમાં 4ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજવીર સિંહ, અપર્ણા સિંહ, શૂટર નિખિલ ગુપ્તા અને સૌરભ કિસ્કુનો સમાવેશ થાય છે.

જો કે બે આરોપી છોટુ દિગ્ગી અને રવિ સરદાર હજુ પણ ફરાર છે. પોલીસે આરોપી નિખિલની હત્યા સમયે પહેરેલ કપડાં, ચંપલ, દેશી બનાવટનો કટ્ટો, એક ખોખુ અને 4 મોબાઈલ કબજે કર્યા છે. રાજવીરે હત્યાકાંડના મુખ્ય શૂટર નિખિલ ગુપ્તાને કન્હૈયા સિંહને મારવા માટે માત્ર 4 હજાર રૂપિયા રોકડા અને તેની ગર્લફ્રેન્ડની હીરાની વીંટી સોપારી તરીકે આપી હતી. જ્યારે હત્યા બાદ કેટલાક વધુ પૈસા આપવાના હતા. હત્યા કર્યા બાદ નિખિલ રાત્રે 11.30 કલાકે માનગો ડીમના જઇ પૈસાની માંગણી કરી હતી, પરંતુ તે સમયે રાજવીરસિંહે પૈસા આપ્યા ન હતા.

Shah Jina