સીતાફળ એવું ફળ છે જે શિયાળામાં ખાવામાં આવે છે. શિયાળામાં આ ફળ સફરજન કરતા વધારે ફાયદાકારક હોય છે. સીતાફળ માત્ર ફળ જ નહીં, દવા પણ છે. નિષ્ણાતોના મતે, તેનું સેવન કરવાથી શરીરની નબળાઇ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેનું ઘણી રીતે સેવન કરી શકાય છે. તે સ્મૂધી, શેક અને નેચરલ આઈસ્ક્રીમના રૂપમાં ખાવામાં આવે છે.

હવે બિલાસપુર યુનિવર્સિટીમાં સીતાફળના બીજ પર એક સંશોધન થયું છે, જે મુજબ, સીતાફ્ળનું બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આ સંશોધન અનુસાર, તેના બીજમાં પણ એવા ગુણધર્મો છે જે કેન્સર અને ડાયાબિટીઝ જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

સંશોધનને આધારે દવાઓ તૈયાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સંશોધન દરમિયાન જ સીતાફળના બીજના ચમત્કારિક ગુણધર્મો વિશે જાણવા મળ્યું. સીતાફળના બીજમાં ઘણા ગુણધર્મો છે, તેમાં કુદરતી એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન-સીની માત્રા ખૂબ વધારે છે.

વિટામિન સી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે શક્તિનો સારો સ્રોત છે, તેમાં વિટામિન-બી પણ હોય છે. એટલે એવું કહી શકાય કે જેટલું સીતાફળ ફાયદાકારક છે એટલા જ તેના બીજ પણ ફાયદો કરે છે. તો કદાચ તેના ફાયદા જાણ્યા પછી તમે હવે સીતાફળના બીજ ફેંકવા ન માંગો –
સીતાફળના સેવનથી થનારા ફાયદા –

સીતાફળમાં વિટામિન સી અને વિટામિન એ હોય છે જે આંખોની જોવાની શક્તિની વધુ સારી બનાવે છે. સાથે જ સીતાફળમાં તાંબું અને ફાયબર મોટા પ્રમાણમાં હોય છે, જેનાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. સાથે જ ફાયબર મળને નરમ કરીને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.
સીતાફળમાં મેન્ગેનીઝ અને પોટેશિયમ હોય છે જે બ્લડ-કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. સીતાફળ આપણને એનર્જી આપે છે અને થાક દૂર કરે છે. સાથે જ ગર્ભાવસ્થા સમયે થનારા મૂળ સ્વિંગ, મોર્નિંગ સિકનેસ અને અકડાવાથી રાહત અપાવે છે.

સીતાફળના બીજમાંથી મળી આવતા ગુણો –
સીતાફળના બીજમાં કુદરતી એન્ટીઓક્સિડેન્ટ હોય છે. સીતાફળના બીજમાં વિટામિન-સી ઘણી માત્રામાં હોય છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે જ એમાંથી સારી એનર્જી મળે છે.
સીતાફળના બીજમાં વિટામિન બી પણ હોય છે. સીતાફળના બીજ રક્તના પ્રવાહને પણ નિયંત્રણમાં રાખે છે એટલે કે બ્લડપ્રેશરમાં આવતા અચાનક બદલાવને નિયંત્રિત કરે છે. સીતાફળના બીજ એનિમિયાની તકલીફ એટલે કે લોહીની ઉણપથી પણ બચાવે છે.

સીતાફળના બીજમાં હાજર મેગ્નેશિયમ શરીરમાં પાણી સંતુલિત કરે છે, જયારે તેમના સોડિયમ અને પોટેશિયમ સંતુલિત માત્રામાં હોય છે. સીતાફળના બીજના સેવનથી શુગરની માત્રાને પણ નિયંત્રિત કરી શકાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.