માતાએ કર્યો ચમત્કાર? ચમત્કાર માનીને દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા, લોકોમાં સર્જાયુ કુતૂહલ
આપણો દેશ ચમત્કારોનો દેશ માનવામાં આવે છે, અને અવારનવાર આપણે અજીબોગરીબ ચમત્કારના કિસ્સાઓ વિશે સાંભળતા હોઈએ છીએ ત્યારે ગયા વર્ષે રવિવારના રોજ મહીસાગર જિલ્લામાં પણ આવી જ એક ચમત્કારી ઘટના બની હતી, જેને સૌને ચોંકાવી દીધા હતા.
મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટના બની હતી, આ પછીના કલાકોમાં જ મંદિરમાં મગર ઘુસી આવ્યો હતો જેને કારણે અહીંના સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થયા હતા. મગરને જોવા માટે મંદિરમાં સ્થાનિક લોકોની ભીડ ઉમટી આવી હતી. મંદિરમાં ચોરી બાદ મંદિરમાં મગર જોવા મળતા સ્થાનિક લોકોની શ્રદ્ધામાં વધારો થયો છે.

ખોડિયાર માતાજીના મંદિરમાં માતાજીની સાથે જ મગરને પણ સ્થાન આપવામાં આવે છે ત્યારે લોકો આને માતાજીનો ચમત્કાર સમજીને મગર માતાજીનો હોવાનું અનુમાન લગાવી રહયા છે. લોકોએ મગરના દર્શન કર્યા હતા અને કેટલાક લોકોએ મગર પર કંકુ અને હાર પણ ચડાવ્યા હતા.

માહિતી અનુસાર, આ મંદિરમાં કેટલાક અજાણયા ઈસમોએ આવીને ચોરી કરી હતી, જેમાં તેઓ મંદિરની દાન ગયા હતા. આ ઘટનાના ગણતરીના કલાકો બાદ જ મંદિરની અંદર મગર ઘુસી ગયો હતો, તેથી લોકો એવું માની રહયા છે કે માતાજીએ મગરને મંદિરના રક્ષણ માટે મોકલ્યો છે. જો કે મંદિરમાંથી દાનપેટી કોણે ચોરી અને કઈ રીતે ચોરી એ બાબતે કોઈ માહિતી હજુ સુધી નથી મળી. આ ઘટના ગયા વર્ષની છે