ગુજરાતમાંથઈ અવાર નવાર અકસ્માતોના બનાવ સામે આવે છે, ત્યારે હાલમાં જ સરખેજ-ગાંધીનગર હાઈવે પર તારાપુર નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો, એક કાર ડિવાઈડર કૂદાવી સામેના રોડ પર ખાબકી અને સામેથી આવી રહેલી કાર સાથે અથડાઇ. આ અકસ્માતમાં કલોલમાં રહેતા અને સેકટર-11 ખાતે દુકાન ધરાવતા વેપારીનું મોત થયુ અને ત્રણ લોકો ઘાયલ થયા.

અડાલજ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો અને વધુ તપાસ હાથ ધરી. કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ પટેલે ફરિયાદ નોંધાવ્યા મુજબ, તેમના નાના ભાઈ બિપિનભાઈ સેકટર-11માં સ્ટેશનરીની દુકાન ધરાવતા હતા. તેઓ મિત્રો સાથે 30 તારીખે રાત્રે ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે 8.15 વાગ્યાના અરસામાં એક ફોન આવ્યો અને બિપિનભાઈની કારને અકસ્માત થયો હોવાની માહિતી મળી. દિલીપભાઈ કારમાં મિત્રો સાથે ગાંધીનગર જવા નીકળ્યા હતા.

આ અકસ્માતને પગલે બિપિનભાઈનું સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે તેમની સાથે કારમાં બેઠેલા બીજા બેને ઈજા પહોંચી હતી. એક કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહીહતી ત્યારે કારે પલટી ખાધી અને ડિવાઈડર કૂદાવી બિપિનભાઈની કાર સાથે અથડાઈ. અકસ્માત કરનારી કારના ચાલક અનુજ ધાકરને પણ ઈજાઓ પહોંચી હતી.