લવિંગનો ઉપીયોગ આપણે આપણા ઘરમાં પૂજા-પાઠની સાથે સાથે ઘણા અન્ય કામોમાં પણ કરીયે છીએ. જેમ કે રસોઈમાં લવિંગનો તડકો સ્વાદને અનેક ગણો વધારી દે છે. આ સિવાય લવિંગ તમારા ઘરની નકારાત્મક ઊર્જાને પણ દૂર કરવાની સાથે સાથે ઘણા પ્રકારના ફાયદા અપાવી શકે છે. લવિંગના ફાયદાઓ વિશે શાસ્ત્રોમાં પણ જણાવામાં આવેલું છે, એવામાં શાસ્ત્રોના અનુસાર આજે અમે તમને લવિંગમાં એવાજ અમુક ફાયદાઓ વિશે જણાવીશું.

1. જે લોકોનો રાહુ-કેતુ યોગ્ય ન હોય એવા લોકોએ શનિવારના દિવસે લવિંગનું દાન કરવું જોઈએ કે પછી તેને શિવલિંગ પર લવિંગ અર્પણ કરવા જોઈએ. આવું લગાતાર અમુક દિવસો સુધી કરવાથી રાહુ-કેતુનો પ્રભાવ ખતમ થવા લાગે છે.

2. ઇન્ટરવ્યુના સમયે મોઢામાં બે લવિંગ રાખીને ઘરેથી નીકળો અને ત્યાં પહોંચીને તેને કાઢીને ફેંકી દો. મનમાં ભગવાનનું ધ્યાન ધરતા ઇન્ટરવ્યૂ આપો, જેથી તમને નોકરી મળવાની સંભાવનાઓ વધી જશે.

3. શનિવારની સાંજે ઘરના મુખ્ય દરવાજાની પાસે લવિંગની સાથે કપૂર રાખીને સળગાવો તેનાથી તમારા ઘરમાં નકારાતમક ઉર્જાનો વાસ નહિ થાય. તેની રાખનો છંટકાવ પુરા ઘરમાં કરો, તેનાથી નકારાત્મક ઉર્જા હમેંશાને માટે દૂર ચાલી જશે.

4. જો તમારી પાસેથી કોઈએ પૈસા ઉધાર લીધા છે અને પાછા નથી આપી રહયા તો એવામાં તમે પૂર્ણિમા કે પછી અમાસના દિવસે 11 કે 21 લવિંગને કપૂરની સાથે સળગાવો અને માતા લક્ષ્મીનું ધ્યાન ધરતા તમારી બાબતને જણાવો. આ ઉપાયથી તમારી સમસ્યાનું નિવારણ થઇ જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.