હિન્દી ફિલ્મજગત માટે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. બોલિવૂડના ટેલેન્ટેડ ગણાતા અભિનેતા ઇરફાન ખાનનું મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. ૫૪ વર્ષની વયે તેમણે દેહ છોડ્યો છે. ફિલ્મ દિગ્દર્શક સૂજીત સરકારે ટ્વિટર પર આ સમાચાર આપ્યા એ પછી ફિલ્મ રસિકોમાં ઘેરા શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પેટની બિમારી સામે લડી રહેલા ઇરફાન ખાને આખરે જિંદગી સામે હારી ગયા. તેઓ કોલોન ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા હતા. આજથી લગભગ બે વર્ષ અગાઉ ઇરફાન ખાનને ન્યૂરો ઇન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી છે એ ખબર પડેલી. બાદમાં વિદેશી અસ્પતાલમાં સારવાર કરીને તેઓ સાજા થઈ પણ થઈ ગયેલા.
Such terrible news…saddened to hear about the demise of #IrrfanKhan, one of the finest actors of our time. May God give strength to his family in this difficult time 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) April 29, 2020
ભારતમાં આવીને ઇરફાને ‘હિન્દી મીડિયમ’ ફિલ્મમાં કામ કરેલું. આ ફિલ્મ રીલિઝ થઈ એને બહુ વખત પણ થયો નથી. લોકો હજુ ફિલ્મને લોકડાઉનમાં ઓવર ધ ટોપ પ્લેટફોર્મ ઉપર જોઈ રહ્યા છે, એકબીજાને જોવા જણાવી રહ્યા છે અને અભિનેતા ઇરફાનના અભિનયનાં વખાણ પણ કરી રહ્યા છે. એવામાં જ ખબર આવે છે, કે એ અભિનેતા તો ચાલ્યો ગયો!
ઇરફાનની ફિલ્મો મસાલેદાર ભલે ન હોય પણ દર્શકોનાં હ્રદયને ઊંડે સુધી સ્પર્શ કરતી એની અભિનય ક્ષમતા પર કોઈ સવાલ ના ઉઠાવી શકાય. બોલિવૂડના બેહદ ટેલેન્ટેડ કલાકારમાં ઇરફાનની તો પહેલા જ ગણતરી કરવી પડે! બોલિવૂડ ઉપરાંત જુરાસિક વર્લ્ડ અને લાઇફ ઓફ પાઇ જેવી બ્લોકબસ્ટર હોલિવૂડ ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે.
Bahut guni abhineta Irrfan Khan ji ke nidhan ki khabar sunkar mujhe bahut dukh hua. Main unko vinamra shraddhanjali arpan karti hun.
— Lata Mangeshkar (@mangeshkarlata) April 29, 2020
સૂજીત સરકારે ટ્વિટ કરીને જણાવ્યું કે, “મારા પ્રેમાળ મિત્ર ઇરફાન! તું લડ્યો, લડ્યો અને લડ્યો. તારા પર ગર્વ છે. આપણે બીજી વાર મળીશું. સુતાપા અને બાબિલને મારી સંવેદનાઓ પહોંચે. તમે પણ લડાઈ લડી. સુતાપા, આ લડાઈમાં તે જે આપી શકાય એ આપ્યું. ૐ શાંતિ! ઇરફાન ખાનને સલામ!”
Irrfan Khan’s demise is a loss to the world of cinema and theatre. He will be remembered for his versatile performances across different mediums. My thoughts are with his family, friends and admirers. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) April 29, 2020
જોકે ઇરફાન ડોકટરોને બતાવવા માટે લંડન આવતા-જતા રહેતા હતા. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી ચાલતા લોકડાઉનને કારણે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તેથી, તેઓ મુંબઈની બહાર જઇ શક્યા ન હતા.
ઇરફાને ‘મકબુલ’, ‘લાઇફ ઇન અ મેટ્રો’, ‘ધ લંચ લોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’ અને ‘હિન્દી મીડિયમ’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઇફ ઇન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) અને ‘હિન્દી મીડિયમ’ (બેસ્ટ એક્ટર) માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને ‘પાન સિંહ તોમર’ માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને કલાના ક્ષેત્રમાં દેશનો ચોથો સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.