આપણને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. કોબીજ પણ લીલા શાકભાજીમાં જ ગણાય છે. ત્યારે આપણે આ શિયાળે પણ બીજા લીલા શાકભાજીની સાથે જ કોબીજ પણ ખાઈશું. કેટલાક લોકો કોબીજને શાકભાજી તરીકે ખાય છે, અને કેટલાક તેને સલાડ તરીકે ખાય છે. લોકોને સ્વાભાવિક રીતે જ કોબીજ ભાવે પણ ખૂબ જ છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે આ શાકભાજી આરોગ્ય માટે અને સ્વાદમાં જેટલી સારી છે એટલી જ એ ખતરનાક પણ હોય છે. કોબીજના અંદરના પાંદડામાં છુપાયેલા કીડા તમારો જીવ પણ લઇ શકે છે. આવો જાણીએ –

કોબીજના સૌથી અંદરના પાંદડાઓમાં ક્યાંક આ કીડા છુપાયેલા હોય છે. ખૂબ હળવા રંગના આ કીડા શાકભાજી કાપતી વખતે અથવા ધોતી વખતે સહેલાઇથી દેખાતા નથી. અને એ જ સ્થિતિમાં એ પાંદડામાં લપેટાઈને શાકભાજીમાં રંધાઈ જાય છે અને ખોરાક સાથે પેટમાં જાય છે. આંતરડામાં પહોંચીને એ વિકસિત થયા બાદ લોહીના પ્રવાહની સાથે શરીરના અન્ય ભાગોમાં પણ પહોંચે છે. આ કીડા ખોરાક સાથે તમારા પેટમાં જાય છે, ત્યાં ઈંડા મૂકે છે અને પછી એ તમારા મગજ સુધી પણ પહોંચી શકે છે. મગજ સુધી પહોંચ્યા બાદ આ કીડા તમારા માટે જીવલેણ સાબિત થાય છે. આ કીડા એટલે કે ટેપવોર્મ એટલે કે કૃમિ હોય છે. આવી સ્થિતિમાં તેના પ્રત્યે બેદરકાર રહેવું ઘાતક સાબિત થઇ શકે છે.

શું હોય છે આ કૃમિ –
આ કૃમિ સામાન્ય રીતે જાનવરોના મળમાં મળી આવે છે, જે જુદા-જુદા કારણોસર પાણી સાથે જમીનમાં પહોંચી જાય છે. વરસાદના પાણી અથવા ગંદા પાણી દ્વારા તે જમીનમાં પહોંચવાની સૌથી વધુ સંભાવના હોય છે. આ જ કારણ છે કે કાચા શાકભાજી દ્વારા આ કૃમિ આપણા શરીરમાં પહોંચવાની સૌથી વધુ શક્યતા છે. આ ઉપરાંત ચેપગ્રસ્ત માટી અને ટેપવોર્મ ઇંડા ધરાવતા દૂષિત પાણી દ્વારા પણ આ કૃમિનો ચેપ લાગવાનું જોખમ વધે છે.

કેવી રીતે પહોંચે છે શરીરમાં –
આપણા ઘરોમાં કોબીજ શાકભાજી તરીકે અને કાચા સલાડ તરીકે પણ ખૂબ જ ખાવામાં આવે છે. કોબીજ દ્વારા આ કૃમિ આપણા શરીરમાં બે રીતે પહોંચે છે. ખૂબ જ નાના હોવાના કારણે આ આપણને દેખાતા નથી અને ખૂબ જ સારી રીતે પાણીથી ધોયા બાદ પણ એ કોબીજના પાંદડા સાથે ચોંટી રહે છે. એવામાં જયારે આપણે કાચી કોબીજનું સેવન કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં તેના પહોંચવાની શક્યતા વધી જાય છે, અને જયારે શાક કાચું-પાકું બન્યું હોય તો પણ આ કૃમિ આપણા શરીરમાં પહોંચી જાય છે.
આંતરડામાં ચોંટીને પહોંચાડે છે નુકશાન –
ખાવાની સાથે પેટમાં પહોંચીને આ કૃમિ આંતરડામાં જઈને ચોંટી જાય છે. આંતરડામાં ચોંટીને એ ઈંડા આપે છે અને આ ઈંડા શરીરને અલગ-અલગ રીતે નુકશાન પહોંચાડે છે. જણાવી દઈએ કે આ કૃમિ માત્ર કોબીજમાં જ નથી મળતા પણ આ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓમાંથી આ ખતરનાક કૃમિ મળી આવે છે.

મગજ પર કરે છે હુમલો –
આંતરડામાં ચોંટેલા કૃમિના ઈંડા લોહીના પરવાહ દ્વારા શરીરના જુદા-જુદા ભાગોમાં પહોંચે અને એ જ રીતે મગજ સુધી પણ પહોંચે જાય છે. જો કે આંતરડામાં લાગતો કૃમિનો ચેપ જીવલેણ નથી હોતો પણ જો તે મગજ સુધી પહોંચી જાય તો તેના ગંભીર પરિણામો આવી શકે છે અને એ જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
કૃમિથી થતા ચેપને ટૈનિએસીસ કહેવામાં આવે છે. કૃમિની મુખ્ય ત્રણ પ્રજાતિઓ ટીનિયા સેગીનાટા, ટીનિયા સોલિઅમ અને ટીનીયા એશિયાટિકા હોય છે. શરીરમાં પ્રવેશ્યા પછી, કૃમિ ઇંડા મૂકવાનું શરૂ કરે છે. તેના કેટલાક ઇંડા આપણા શરીરમાં પણ ફેલાય છે, જેનાથી શરીરના આંતરિક અવયવોમાં ઘા થાય છે.

ચેપના લક્ષણો –
કૃમિથી આપણા શરીર પણ ઘણી અસરો થાય છે, જેમ કે વાત કરતા-કરતા અચાનક બધું જ ભૂલી જવું, શરીરના કોઈ પણ અંગના સ્નાયુઓ અચાનક ફરકવા, હાથ પગમાં અચાનક ખાલી ચઢી જવી, તેજ લાઇટમાં આંખોને તકલીફ થવી, અચાનક બેહોશ થઇ જવું.

શરીરને થતા નુકશાન –
– કૃમિ આંતરડામાં ચોંટીને શરીરમાંથી ધીમે-ધીમે લોહી ચૂસવાનું શરુ કરી છે. જેથી શરીરમાં લોહીની કમી થાય જાય છે. શરૂઆતમાં આ ખબર નથી પડતી પણ એ પછી અચાનક જ શરીરમાં લોહીની ઉણપ વર્તાવા લાગે છે.
– કૃમિ આપણા લીવર અને કિડની માટે પણ ખૂબ જ ઘાતક સાબિત થઇ શકે છે. આનાથી કિડની અને લીવરમાં સોજો આવી શકે છે અને ઘાતક ઘા પણ થઇ શકે છે.
– વાઈના હુમલા પણ થઈ શકે છે, આ કૃમિ આંતરડામાં ચોંટીને ઈંડા આપે છે અને આ ઈંડા તમારા મગજ સુધી પહોંચીને તમારા મગજની નસોને ખૂબ જ નુકશાન પહોંચાડે છે. જાનથી વાઈના હુમલા આવવાની શક્યતા પણ વધી જાય છે.
આ રીતે કરી શકો કૃમિથી બચાવ –

કોબીજનું શાક બનાવતા પહેલા થોડીક સાવચેતી રાખીને તમે કૃમિના કીડાથી થતા ઘાતક પરિણામો ટાળી શકો છો. કોબી અથવા પાલક જેવી કેટલીક અન્ય શાકભાજીના સેવનમાં સાવધાની સાથે વ્યક્તિગત સ્વચ્છતા તરફ ધ્યાન આપવું જરૂરી છે. કોબીજનું શાકભાજી બનાવતા પહેલા તેને એક વાર ગરમ પાણીથી ધોઈ લો. ધોવા પછી, કાપીને ફરીથી ગરમ પાણીથી ધોઈ લો. કોબીજને ક્યારેય પણ કાચી કે ઓછી પકાવેલી ન ખાશો. જ્યારે શાકભાજી સારી રીતે રંધાઈ જાય એ પછી જ ખાઓ.
લોકો સ્વાદ માટે વારંવાર કોબીજને અધપાકી બનાવે છે. એવું ન કરો. જ્યારે પણ તમે તેને બનાવો, તેને પુરેપુરી રાંધી લો. એકવાર સંપૂર્ણ રીતે રંધાય પછી, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સલામત બની જાય છે.

શું છે સારવાર –
કૃમિની સારવાર અને અવધિ તેના પ્રકાર પર નિર્ભર કરે છે. સ્ટૂલ અને લોહીના નમૂનાઓથી તેની હાજરી ચેક કરી શકાય છે. વિવિધ કેસોમાં દવાની સારવારની સાથે કેટલાક કિસ્સાઓમાં શસ્ત્રક્રિયા પણ કરી શકાય છે. સામાન્ય રીતે કૃમિની સારવાર દવાઓ દ્વારા કરવામાં આવે છે, જે કૃમિને મારી નાખે છે અથવા મળ દ્વારા શરીરની બહાર કાઢી નાખવાનું કામ કરે છે, જ્યારે સિસ્ટને દૂર કરવા માટે અન્ય ઘણા પરીક્ષણો, દવાઓ અને શસ્ત્રક્રિયાની પણ જરૂર પડે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.