કેનેડાના વોલમાર્ટના ઓવનમાં જીવતી શેકાઈ ગઈ ભારતની 19 વર્ષની દીકરી, દર્દનાક મોત મામલે મોટો ખુલાસો

કેનેડાના હેલિફેક્સમાં વોલમાર્ટ ખાતે ભારતીય યુવતી ગુરસિમરન કૌરના મોતનો મામલો ઉલજતો જઇ રહ્યો છે. સ્થાનિક પોલીસ 19 વર્ષીય ગુરસિમરનના મૃત્યુની તમામ એંગલથી તપાસ કરી રહી છે પરંતુ 19 વર્ષની છોકરી કેવી રીતે ઓવનની અંદર ગઈ તે અંગે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. એ વાતની તપાસ એ પણ ઉલજાવી દીધી છે કે મોટા ઓવનને બહારથી બંધ ના કરી શકાય.

કેનેડાની પોલીસ હેલિફેક્સમાં આવેલા વોલમાર્ટમાં કામ કરતી અને ત્યાં જ મૃત હાલતમાં મળી આવેલી ભારતીય યુવતી ગુરસિમરન કૌરના મોતનો ભેદ હજુ સુધી નથી ઉકેલી શકી. ગુરસિમરનનું મોત 19 નવેમ્બરના રોજ થયું હતું અને તે દિવસે જ તે જ્યાં કામ કરતી હતી તે વોલમાર્ટને બંધ કરાવી દેવાયું હતું, આ વોલમાર્ટ હવે ફરી ખૂલી ચૂક્યું છે પરંતુ ગુરસિમરનના મોતનો ભેદ હજુ સુધી નથી ઉકેલાયો.

19 વર્ષિય ગુરસિમરનની સળગેલી હાલતમાં લાશ સુપરસ્ટોર વોલમાર્ટના વોક-ઇન ઓવનની અંદર મળી. પોલિસની તપાસ અનુસાર ગુરસિમરન કૌરના સળગેલી હાલતમાં અવશેષ ગત શનિવારે સાંજે પૂર્વી કેનેડામાં નોવા સ્કોટિયાના હેલિફેક્સમાં વોલમાર્ટ બેકરી વિભાગમાં એક ઓવનની અંદર મળ્યા. આ દર્દનાક ઘટનાની ઘણી ચર્ચા છે. ગુરસિમરન તેની માતા સાથે જ વોલમાર્ટમાં કામ કરી રહી હતી.

શનિવારે સુપરસ્ટોરમાં મોડે સુધી તેને ન જોયા બાદ માતાએ તેને શોધવાનું શરૂ કર્યું અને કર્મચારીઓને પૂછ્યું. કર્મચારીઓને લાગ્યું કે ગુરસિમરન કદાચ સુપરસ્ટોરના કોઈ ભાગમાં કામ કરી રહી છે. માતાએ પુત્રીને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન કનેક્ટ થઈ શક્યો નહિ, જ્યારે ગુરસિમરનનો ફોન કનેક્ટ થયો નહિ ત્યારે માતા ઓનસાઇટ એડમિનિસ્ટ્રેટર પાસે પહોંચી. કલાકો પછી તેના સળગેલા અવશેષો બેકરીમાં વોક-ઇન ઓવનમાંથી મળી આવ્યા.

કેનેડાના વોલમાર્ટમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલી ભારતીય વિદ્યાર્થિની ગુરસિમરનના મોત અંગે નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જોકે પોલીસ હજુ પણ આ કેસ અંગે મૌન સેવી રહી છે, પરંતુ વોલમાર્ટના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર કેટલાક મહત્વપૂર્ણ દાવાઓ કર્યા છે.

વોલમાર્ટમાં ગુરસિમરન સાથે કામ કરતી ક્રિસ બ્રીઝી નામની કર્મચારીએ ટિકટોક પર શેર કરેલા વિડિયોમાં દાવો કર્યો છે કે ગુરસિમરનને વોક-ઈન ઓવનમાં લૉક કરી દેવામાં આવી હતી. તેણે જણાવ્યું કે આ ઓવનની ટેકનિકલ બનાવટ એવી છે કે તેને બહારથી જ ચાલુ કરી શકાય છે અને તેનું હેન્ડલ અત્યંત મજબૂત છે.

ક્રિસે વધુમાં સ્પષ્ટતા કરી કે ભરેલા ઓવનમાં કોઈ વ્યક્તિ પ્રવેશી શકે તેટલી જગ્યા હોતી નથી. વળી, ઓવનનો દરવાજો માત્ર બહારથી જોરથી બંધ કરવાથી જ લૉક થાય છે, જે અંદરથી શક્ય નથી. મહત્વપૂર્ણ બાબત એ છે કે ઓવનમાં ઈમરજન્સી એક્ઝિટ બટન પણ હોય છે.

બીજી કર્મચારી મેરીએ પણ આ દાવાઓની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઓવનનો દરવાજો આપમેળે લૉક થવાની શક્યતા નહિવત છે. તેણે વોલમાર્ટના બેકરી ઓવનને સંપૂર્ણ સુરક્ષિત ગણાવ્યા અને ગુરસિમરનનું મોત અકસ્માતમાં થયું હોવાની વાત નકારી કાઢી.

ગુરસિમરનના ભારતમાં રહેતા પરિવારજનો પણ આ મોતને શંકાસ્પદ માની રહ્યા છે, પરંતુ પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ નિવેદન આપવાથી દૂર રહ્યા છે. ગુરસિમરનના પિતા, જેઓ લંડનમાં રહે છે, તેઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા કેનેડા જવા માટે વિઝાની રાહ જોઈ રહ્યા છે.

YC
error: Unable To Copy Protected Content!