દેશભરમાં ગઇકાલ એટલે કે 10 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે ઘણી જગ્યાએ રામનવમીના અવસર પર પથ્થરમારા અથવા તો કોઇના ઘર દુકાન બાળી દેવાની ઘટનાઓ સામે આવી. રામ નવમીના અવસર પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં હિંસા શરૂ થઈ ગઈ. હિંસા દરમિયાન કેટલાક લોકોએ પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. આ સમગ્ર ઘટનામાં સામાન્ય લોકો સહિત 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ હિંસામાં સામેલ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને છોડવામાં આવશે નહીં. સીએમએ કહ્યું કે રામ નવમીના અવસર પર બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ પ્રકારના તોફાનીઓને ધરતી પર કોઈ સ્થાન નથી.
આ તોફાનીઓની ઓળખ થઈ ગઈ છે, તેમને છોડવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રીએ આ મામલે પહેલા જ કહ્યું હતું કે સરકાર દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવશે, જે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની જશે. રામ નવમીના અવસરે થયેલી હિંસા બાદ રાજ્યના શિવરાજ સિંહ ચૌહાણ એક્શન મોડમાં આવી ગયા છે. સોમવારે તોફાનીઓના મકાનો તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શહેરના સંવેદનશીલ છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રવિવારે થયેલા તોફાનો બાદ સોમવારે તોફાનીઓના મકાનો તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આરોપીઓના ઘર પર CMના આદેશ બાદ બુલડોઝર ફરી વળ્યુ હતુ. શહેરના સંવેદનશીલ છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે રામનવમી પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન કોમી વિવાદ થયો હતો. જેમાં તોફાનીઓએ પથ્થરમારો, આગચંપી જેવા બનાવો બન્યા હતા. બપોરે 3 વાગ્યા સુધી વિવિધ ભાગોમાં આગચંપી થઈ હતી. તેમજ ગોળી વાગવાથી ખરગોનના એસપી સિદ્ધાર્થ ચૌધરી અને 10 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને માહિતી આપી કે તોફાનીઓનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
કેટલાક કર્મચારીઓની સંડોવણી પણ જાણવા મળી છે, જેમને હમણાં જ કાઢી મૂકવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રમખાણોમાં સામેલ 4માંથી 3 સરકારી કર્મચારીઓની સેવા સમાપ્ત કરવામાં આવી છે. સાથે જ એક સરકારી કર્મચારીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તોફાનીઓની ઓળખ કર્યા પછી, તેમના ઘરોને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. માહિતી આપતા ઈન્દોરના કમિશનર પવન શર્માએ કહ્યું કે સરકારની ઝીરો ટોલરન્સ પોલિસી છે. જે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
#रामनवमी के अवसर पर खरगोन में हुई घटना दुर्भाग्यपूर्ण है। मध्यप्रदेश की धरती पर दंगाइयों के लिए कोई स्थान नहीं है।
यह दंगाई चिन्हित कर लिए गए हैं, इनको छोड़ा नहीं जाएगा। उनके खिलाफ कठोरतम कार्यवाही की जाएगी। pic.twitter.com/1hTzWX4WM9
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 11, 2022
તેમણે કહ્યું કે હિંસામાં સામેલ ચાર સરકારી કર્મચારીઓમાંથી ત્રણની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. રવિવારે ખરગોન શહેરમાં રામ નવમીના પર પથ્થરમારો, કેટલાક વાહનો અને ઘરોમાં આગચંપી કરવાની ઘટનાઓ બની હતી. ખરગોનના ડીઆઈજીએ કહ્યું કે રવિવારે રામ નવમીના શોભાયાત્રા પર પથ્થરમારો કર્યા બાદ અમે 60-70 લોકોની અટકાયત કરી છે. તોફાનીઓએ કેટલાક મકાનો અને વાહનોને પણ સળગાવી દીધા હતા. એસપીના પગમાં પણ ગોળી વાગી. તેમની હાલત હવે સ્થિર છે.
मध्य प्रदेश खरगोन में हिंसा के बाद उपद्रवियों की पहचान कर उनके अवैध निर्माण पर शिवराज सरकार ने जेसीबी चलवाया है… pic.twitter.com/RuLXTl0cUk
— Hindustan (@Live_Hindustan) April 11, 2022
કોંગ્રેસે ખરગોન કેસની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. તેમાં પાંચ લોકો છે. જોકે, બીજી બીજુ સરકારીની આ કાર્યવાહીનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને લખ્યું કે, ‘મામૂનું બુલડોઝર બળાત્કાર કરતા અને બળાત્કારિઓને સમર્થન કરતા લોકો પર નથી ફરતું’. માત્ર ચહેરો જોઈને બુલડોઝર ચલાવવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, આ ઘટના મધ્યપ્રદેશના ખરગોનમાંથી સામે આવી છે.