આપણાથી મોટા વ્યક્તિને પગે લાગવું એ આપણી સંસ્કૃતિ છે. આપણ દેશ સિવાય બીજા કોઈ દેશની અંદર ચરણસ્પર્શ કરવાનો નિયમ નથી. આ આપણા પૂર્વજોના સમયથી ચાલી આવતી એક રીત છે જે આજે પણ ઘણા પરિવારોમાં જોવા મળે છે. જો કે આધુનિકતાએ આપણા દેશમાં પણ પ્રવેશ કર્યો અને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને હવે ઘણા લોકો આ પરંપરાને નથી માનતા પરંતુ ચરણ સ્પર્શ કરવાથી આપણી ઘણી મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે. બસ તેના માટે તમને ચરણસ્પર્શની સાચી રીત ખબર હોવી જોઈએ.

આમ તો ચરણસ્પર્શ કરવાના બે ફાયદાઓ વિશે આપણે જાણીએ છીએ, એક તો કે આપણને ચરણસ્પર્શ કરવાથી આશીર્વાદ મળે છે અને બીજું એ કે ચરણસ્પર્શ કરવાના કારણે આપણા સંસ્કાર પણ કેવા હોય છે તેની પણ પ્રતીતિ થતી હોય છે. પરંતુ ચરણસ્પર્શ કરવાના બીજા પણ કેટલાક ફાયદાઓ છે જે તમને આજે પણ ખબર નહિ હોય, આજે અમે તમને એવા જ કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.

વૈજ્ઞાનિક અભિગમ:
ચરણસ્પર્શ કરવા પાછળનો વજ્ઞાનિક અભિગમ જોઈએ તો મનુષ્ય શરીરની ચારેય તરફ એક આભા મંડળ હોય છે, આપણા વિચારો અને વ્યવહારના બદલાવવા ઉપર આ આભામંડળ પણ બદલાય છે. જયારે આપણે કોઈના ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે સામેની વ્યક્તિના મનમાં સમર્પણ અને પ્રેમ ભાવ આવે છે, આપણી અંદર પણ વિનમ્રતા આવતી હોય છે જેની સીધી જ અસર મન ઉપર થતી જોવા મળે છે.

મનોવૈજ્ઞાનિક અભિગમ:
કોઈપણ વ્યક્તિ જયારે આપણા ચરણસ્પર્શ કરે ત્યારે સીઘી જ મનોવજ્ઞાનિક અસર પડવા લાગે છે. કોઈના ચરણસ્પર્શ કરવાથી મનની અંદર પ્રેમ, કરુણા, આશીર્વાદ અને સંવેદના જાગી ઉઠે છે. આશીર્વાદ લેવા વાળી વ્યક્તિ ઉપર જેની સીધી જ અસર થાય છે અને સામેની વ્યક્તિના મનમાં રહેલો ક્રોધ, નફરત અને તમારા માટેની ઘૃણા પણ શાંત થાય છે.

વડીલોના ચરણસ્પર્શથી થાય છે જીવનમાં વૃદ્ધિ:
શાસ્ત્રો મુજબ જો જોવા જઈએ તો વડીલોના ચરણસ્પર્શ કરવાના કારણે જીવનમાં વૃદ્ધિ આવે છે, ચરણસ્પર્શથી વિદ્યા, યશ, સંપત્તિ, બળમાં પણ વધારો થાય છે.

નકારાત્મક વિચારો થાય છે દૂર:
આપણા વડીલ કે આપણા કોઈપણ સ્નેહી સંબંધીના ચરણસ્પર્શ કરવાથી સામેના વ્યક્તિના મનમાં રહેલા આપણા માટેના નકારાત્મક ભાવ પણ તરત દૂર થઇ જાય છે તેના મનમાં પણ હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને તે આશીર્વાદ દ્વારા આપણામાં પણ પ્રવેશે છે.

આશીર્વાદ આપવાની રીત:
આર્શીવાદ આપવાની પણ ત્રણ રીત છે. પહેલો આર્શીવાદ માથા પર આપવામાં આવ છે. તે રોગી વ્યક્તિ માટે સૌથી ઉત્તમ છે. આ આર્શીવાદ દરેક કોઈને મળતા નથી. બીજો આર્શીવાદ પીઠની ઉપર થાપ આપીને અપાય છે. જેને પોતાના લક્ષ્યમાં વિજય પ્રાપ્ત કરવાનું હોય તેઓએ આવા આર્શીવાદ લેવા જોઈએ. ત્રીજો આર્શીવાદ કમર પર અપયા છે, જેને સારું ફળ મળે છે, અને તેની દરિદ્રતા દૂર થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.