ફિલ્મી દુનિયામાંથી આવ્યા ખુબ જ દુઃખદ સમાચાર, આ ખ્યાતનામ અભિનેતાનું માત્ર 57 વર્ષની ઉંમરમાં થયું નિધન, ચાહકોને પડ્યો ધ્રાસ્કો

ફિલ્મી દુનિયામાંથી છેલ્લા ઘણા સમયથી ઘણા ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઘણા અભિનેતાઓ અને સેલેબ્સ છેલ્લા થોડા સમયમાં જ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. ત્યારે હાલ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં એક ખ્યાતનામ અભિનેતાએ માત્ર 57 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું છે.

આ દુખદ ખબર આવી છે બંગાળી સિનેમામાંથી, જેમાં બંગાળી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરનારા ખ્યાતનામ અભિનેતા અભિષેક ચેટર્જીનું નિધન થયું છે. અભિષેક છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. અભિષેક ચેટર્જીએ પ્રોસેનજિત ચેટર્જી અને સંધ્યા મુખર્જી સાથે પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી.

અભિનેતાના નિધનની ખબરથી જ સિનેમા જગતમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. કોલકાતાના બારાનગરમાં જન્મેલા અભિષેક ચેટર્જીની માત્ર 57 વર્ષની વયે દુનિયામાંથી વિદાય દરેકને દુઃખી કરી રહી છે. તેઓ બંગાળી સિનેમાના એવા અભિનેતાઓમાંના એક હતા, જેમને હજુ ઘણું કરવાનું હતું. પરંતુ કહેવાય છે ને કે કાળને કોણ ટાળી શકે છે.

અભિષેક છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મોત વચ્ચેની મોટી લડાઈ લડી રહ્યા હતા. લાખો પ્રયત્નો છતાં આખરે તે જિંદગીનો જંગ હારી ગયા. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અભિષેક ચેટર્જીના ફિલ્મી ગ્રાફ પર નજર કરીએ તો તેમણે ફિલ્મ પાઠભોલથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેનું નિર્દેશન તરુણ મજમુદારે કર્યું હતું.

સિનેમા પ્રેમીઓને આ ફિલ્મમાં તેમનો અભિનય ઘણો પસંદ આવ્યો અને આ રીતે તે બધાની નજરમાં આવી ગયા. આ તો માત્ર શરૂઆત હતી. આ પછી અભિષેકે પોતાની મહેનત અને ક્ષમતાના બળ પર સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી. પથભોલ બાદ અભિષેક ચેટર્જી ઘણી ફિલ્મોમાં દેખાયો જેમ કે ફિરીયે દાઓ, જમાઈબાબુ, દહન, નયનેર આલો, બરીવાલી, મધુર મિલન, મેયર આંચલ, આલો અને વાન. અભિનયની સાથે અભિષેક અભ્યાસમાં પણ સારો માનવામાં આવતો હતો. અભિનેતાએ કોલકાતા યુનિવર્સિટીની સેઠ આનંદરામ જયપુરિયા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

Niraj Patel