દિવાળી પર સતત કેટલા દિવસ બેંક રહેશે બંધ, જો જવાનું પ્લાન કરી રહ્યા છો તો જોઇ લો લિસ્ટ

દિવાળીનો તહેવાર ભારતનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે જાહેર રજા હોય છે. દિવાળીની સાથે-સાથે છઠના તહેવાર પર બેંકોમાં પણ ઘણી જગ્યાએ રજા હોય છે. તો ચાલો જાણીએ આ વર્ષે દિવાળી અને છઠના અવસર પર બેંકો કયા દિવસે અને કેટલા દિવસો માટે બંધ રહેશે.

ઑક્ટોબર 31: દિવાળી, કાળી પૂજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ, નરક ચતુર્દશીના અવસર પર ત્રિપુરા, ઉત્તરાખંડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય અને જમ્મુ અને કાશ્મીર સિવાય દેશભરમાં બેંકો બંધ રહેશે.

નવેમ્બર 1: દીપાવલી, કુટ, કન્નડ રાજ્યોત્સવ આ દિવસે ઉજવવામાં આવશે. ત્રિપુરા, કર્ણાટક, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને મણિપુરમાં બેંકો બંધ રહેશે.

2 નવેમ્બર: દિવાળીના બીજા દિવસે, ગુજરાત, ઉત્તરાખંડ, કર્ણાટક, રાજસ્થાન, સિક્કિમ, યુપી અને મહારાષ્ટ્રમાં બલી પ્રતિપદા, બાલી પદમી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને વિક્રમ સંવત નવા વર્ષના દિવસને કારણે બેંક રજા રહેશે.

નવેમ્બર 7: બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં છઠ પૂજા (સાંજે અર્ધ્ય) ના દિવસે બેંકો બંધ રહેશે.

નવેમ્બર 8: બિહાર, ઝારખંડ અને મેઘાલયમાં છઠ પૂજા (સવારે અર્ઘ્ય) નિમિત્તે બેંકો બંધ રહેશે.

આ ઉપરાંત દિવાળી પહેલા પણ મહિનાના ચોથા શનિવાર 26 ઓક્ટોબર અને રવિવાર 27 ઓક્ટોબરે બેંકમાં રજા રહેશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!