આઇશા કેસમાં થયો નવો ખુલાસો: વકીલે જાહેર કર્યો આઇશાએ લખેલો છેલ્લો પત્ર, ‘હા, મેં જ કીધું હતું આઈશાને કે વીડિયો બનાવજે’ જાણો સમગ્ર વિગત

અમદાવાદના ચકચારી આઈશા આપઘાત કેસને લઇ દેશભરમાંથી ન્યાયની માંગ ઉઠી રહી છે. આરીફની રિવરફ્રન્ટ પોલીસે રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

પતિના ત્રાસથી હસતા હસતા નદીમાં મોતને વ્હાલ કરનાર આઈશાના માતા પિતાએ સરકાર સામે તેના પતિ આરીફને કડકમાં કડક સજા આપવા માટેની અપીલ કરી છે. આ કેસમાં રોજ રોજ નવા નવા ખુલાસાઓ થતા રહે છે ત્યારે આઇશા કેસના વકીલે આ મામલે આઇશાનો લખેલો છેલ્લો પત્ર રજૂ કર્યો છે.

દિવ્યભાસ્કરની ટીમ સાથેની વાતચીત અનુસાર, આ પત્રમાં આઈશા તરફથી અનેક બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે. પત્રમાં આઈશાએ લખ્યું છે કે, ઘણી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આશીફ સાથે જોડી દીધું.

આશીફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. 4 દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા આવ્યું ન હતું. હું ગર્ભવતી હતી ત્યારે પણ તું નહોતો આવતો અને આવતો ત્યારે ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેના પાસે જાવ છું.

પત્રમાં વધુમાં આઈશા એ લખ્યું કે, મેં ક્યારેય દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઊઝાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આઈશા આરિફ લખ્યું છે.

આઈશાના આપઘાત મામલે આરિફ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસ તેને રાજસ્થાનના પાલીમાંથી પકડીને લાવી છે. માસૂમ આઈશાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને રોજ નવી વાતો જાણવા મળે છે. આરિફના રિમાન્ડ દરમિયાન પોલીસને પહેલાં તે ગોળગોળ ફેરવતો હતો, પણ હવે તે દરેક બાબત કહી રહ્યો છે.

પોલીસ દ્વારા આઈશા અને આરિફની વાતચીતની ક્લિપ સાંભળવામાં આવી તો જાણવા મળ્યું કે આઈશા આરિફ પાસે પાછી જવા માગતી હતી, પરંતુ આઈશાએ કરેલા કેસના કારણે આરિફ તેને સ્વીકારવા આનાકાની કરી રહ્યો હતો અને તે કેસ પણ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો હતો.

અમદાવાદના ચકચારી આઇશા કેસમાં નવા ખુલાસાઓ થતા રહે છે, ત્યારે વટવાની આઇશાના આત્મહત્યા કેસમાં પતિ આરીફ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આરોપી આરીફ અને તેના પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પણ આઇશા પરિવાર પાસે અવારનવાર પૈસા માગણી કરતા હોવાનું સામે આવ્યું હતું.

Image Source

અમદાવાદની આઇશા આત્મહત્યા કેસ વિધાનસભામાં ગૃહમાં પણ ચર્ચાયો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, દીકરીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી એ ઘટના હચમચાવી દે તેવી છે. અમે સરખી રીતે ન્યાય અપાવવા કટિબદ્ધ છીએ.

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે આરીફના પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હકીકતો સામે આવી છે. આરીફ લગ્નના થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આઇશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આઇશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે.

શું છે ઘટના ?

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના જાલોર ખાતે પરણાયેલી આઇશા નામની યુવતીએ પતિ અને સાસરિયાના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો.

આપઘાત કરતા પહેલા આઇશાએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેના પતિને મોકલ્યો હતો. આપઘાત પહેલા આઇશાએ તેના પતિ અને તેના માતાપિતા સાથે પણ વાતચીત કરી હતી. માતાપિતા સાથેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો.
સૌજન્ય : દિવ્યભાસ્કર

Shah Jina