આર્યન ખાનની જામીન અરજી માટેે જજે લીધો 5 દિવસનો સમય અને કોર્ટરૂમમાં આવ્યા બાદ માત્ર 2 શબ્દો કહી જ ચાલ્યા ગયા

આર્યન ખાનની જમાનત માટે શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. બુધવારે એટલે કે આજે જજ વીવી પાટીલે આ કેસમાં પોતાનો ચુકાદો બપોરે 2:45 વાગ્યે આપ્યો હતો. આ પહેલા 14 ઓક્ટોબરે કેસમાં બંને પક્ષોની દલીલો થઈ હતી અને જજે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજની રસપ્રદ વાત એ હતી કે, 5 દિવસથી વધુ સમય લીધા બાદ, જજ વી.વી. પાટીલ કોર્ટરૂમમાં આવ્યા અને માત્ર બે શબ્દો જ બોલ્યા અને આ બે શબ્દોએ શાહરૂખ-ગૌરીની મન્નત ચકનાચૂર કરી નાખી.

બુધવારે લગભગ 11 વાગ્યે જજ વી.વી. પાટીલ કોર્ટરૂમ પહોંચ્યા હતા. આર્યન ખાનના વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદેના જુનિયર ત્યાં પહેલેથી જ હાજર રહ્યા હતા. NCB તરફથી ASG અનિલ સિંહ અને અદ્વૈત સેઠના ત્યાં સુધી કોર્ટમાં પહોંચ્યા ન હતા. જજ વી.વી.પાટિલે આવતાની સાથે જ રૂટિન મેટર્સની સુનાવણી શરૂ કરી. જણાવવામાં આવ્યું હતું કે, આર્યન ખાનનો જામીન કેસ 22 નંબર પર લિસ્ટેડ છે. આ વચ્ચે કોર્ટમાં સતીશ માનશિંદે પણ હાજર થઇ ગયા. શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી પણ કોર્ટ પહોંચી અને NCBના વકીલ પણ આવ્યા. બપોરે 12 વાગ્યા સુધીમાં કોર્ટમાં નોંધાયેલા 14 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આર્યન ખાન કેસ પર ચુકાદો બપોરના લંચ બાદ 2:45 વાગ્યે નિર્ણય સંભળાવવામાં આવશે.

લગભગ 2:45 વાગ્યે, જજ વી.વી.પાટિલ કોર્ટરૂમ પહોંચ્યા અને તેમણે માત્ર બે શબ્દો કહ્યા. આ બે શબ્દો હતા – બેલ રિજેક્ટેડ. જજ માત્ર આટલું કહીને ત્યાંથી ચાલ્યા ગયા. વકીલોને કહ્યું કે આ એક ઓપરેટિવ ઓર્ડર છે અને આર્યનની સાથે અન્ય બે આરોપી અરબાઝ અને મુનમુનની જામીન અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે.

કોર્ટરૂમની અંદર જજના આ બે શબ્દોથી ગરમાગરમી થઇ ગઇ. પૂજા દદલાણીએ તરત જ શાહરૂખ અને ગૌરીને ફોન પર જાણ કરી. જજ વી.વી. પાટીલના આ બે શબ્દોએ 17 દિવસની એ ‘મન્નત’ને ચકનાચૂર કરી નાખી જે શાહરૂખ-ગૌરી ઉપરવાળા પાસે સતત માંગ કરી રહ્યા હતા. પરંતુ કાનૂની લડાઈ અહીં પૂરી થઈ નથી. આર્યનના વકીલો હવે જામીન માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરશે. પરંતુ તે પહેલા સેશન્સ કોર્ટની ઓર્ડરની નકલ હોવી જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે ઓર્ડરની નકલ જોયા બાદ જ સ્પષ્ટ થશે કે કોર્ટે કયા કારણોસર જામીન અરજી ફગાવી દીધી છે.

કોર્ટરૂમમાંથી બહાર આવેલા વકીલો સાથે જયારે મીડિયાવાળાએ વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ કહ્યું કે જ્યારે આદેશની નકલ ન આવે ત્યાં સુધી તમે ઇચ્છો તો પણ હાઇકોર્ટમાં જામીન અરજી આપવાની તૈયારી કરી શકાતી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓર્ડરની નકલ મેળવવામાં વિલંબ થઈ શકે છે.

Shah Jina