લોકડાઉનમાં પુનઃ પ્રસારણ થયેલા રામાયણને કરોડો લોકોએ નિહાળ્યું તેમજ તેના પાત્રો વિષે પણ સોશિયલ મીડિયામાં ઘણું બધું જાણવા મળ્યું, ત્યારે તેમના વિશે સોશિયલ મીડિયામાં ઘણા મીમ પણ ચાલુ હતા. આ સાથે જ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી વિષે પણ ઘણું બધું જાણવા મળ્યું.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર એવી અફવા ફેલાઈ રહી હતી કે તેમનું નિધન થયું છે. રવિવારે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર એ સમાચાર ચાલી રહ્યા હતા કે રામાયણમાં રાવનો અભિનય કરનાર આભિનતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. અને પછી આ અફવાઓનું ખંડન તેમના ભત્રીજાએસોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કર્યું હતું.

અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભે ટ્વીટ કરીને જણાવ્યું કે : પ્રિય સર્વજન, મારા કાકા અરવિંદ ત્રિવેદી લંકેશ, સંપૂર્ણ રીતે ઠીક છે અને સુરક્ષિત છે. તમને અનુરોધ છે કે આવી જૂઠી ખબરો ફેલાવવાનું બંધ કરો, અને કૃપા કરીને તે સકુશળ છે તેવી ખબરો ફેલાવો. ધન્યવાદ”
Dear all my uncle Arvind Trivedi lankesh is all good and safe. Stop spreading fake news it is request. Now please spread this. Thanks pic.twitter.com/XvmGnCPNy5
— Kaustubh b trivedi (@KaustubhbB) May 3, 2020
ટીવી ઉપર હવે 3 તારીખથી શ્રી કૃષ્ણા ધરાવહિકનું પણ પન પ્રસારણ શરૂ થયું છે ત્યારે રવિવારે અરવીન્દ ત્રિવેદીએ પણ ટ્વીટ કર્યું હતું, અને શ્રી કૃષ્ણમાં કૃષ્ણનો અભિનય કરનાર સર્વદમન બેનર્જી માટે ટ્વીટ કરતા લખ્યું હતું: “જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું!!”
Hello 🌹. You all know me very well I played the role of Raavan in Ramayan.
I join social media today to connect to all my loved ones, fans and everyone who loves Ramayan#follow#JaiSriRam pic.twitter.com/Cfb351Z416
— Arvind Trivedi (@TrivediRavana) April 12, 2020
ગયા મહિને જ ટ્વીટર ઉપર અભિનેતા અરવિંદ ત્રિવેદી જોડાયા હતા અને તેમને પહેલી જ ટ્વીટ કરીને લખ્યું હતું કે “છેલ્લે હું પણ ટ્વીટર ઉપર જોડાઈ ગયો.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.