ખબર

દીકરીના બળાત્કારનો બદલો ! પિતાએ એક જ પરિવારના 6 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

બળાત્કારની વાત સાંભળતા જ ભડકેલા પિતાએ એક જ પરિવારના 6 લોકોની હત્યા, દીકરીના પપ્પાએ સારું કર્યું કે ખરાબ?

દેશભરમાંથી ઘણીવાર હત્યા અને રેપની ઘટનાઓ સામે આવતી રહે છે, આ ઘટનામાં ઘણીવાર એવું પણ બનતુ હોય છે કે, બદલો લેવા માટે લોકો હત્યા કરે છે. ત્યારે હાલ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જયાં એક વ્યક્તિએ એક જ પરિવારના 6 લોકોની હત્યા કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આ હત્યા બાદ આરોપી પોતે પોલિસ સમક્ષ હાજર થઇ ગયો હતો. આ ઘટના બાબતે પોલિસ તપાસ કરી રહી છે.

પોલિસનું કહેવુ છે કે, બંને પરિવાર વચ્ચે જૂની દુશ્મની હતી અને મૃતક પરિવારના એક સભ્યએ કથિત રીતે હત્યા કરનાર આરોપીની દીકરી સાથે બળાત્કાર કર્યો હતો અને તેની જાણકારી મળતા જ પીડિતાના પિતા ભડક્યા હતા અને ગુસ્સામા તેમણે આ વારદાતને અંજામ આપ્યો હતો. બળાત્કારનો આરોપી હાલ તો ફરાર જણાવવામાં આવી રહ્યો છે. પોલિસ આ મામલે તપાસમાં જોડાઇ ગઇ છે. ઘટનાની જાણ થતા જ લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.

આ ઘટના આંધ્રપ્રદેશના વિશાખાપટનમ જિલ્લાની છે અને 15 એપ્રિલ 2021ની છે. બુધવારના રોજ એક વ્યક્તિએ નવજાત સહિત એક પરિવારના 6 સભ્યોની હત્યા કરી દીધી અને પોલિસ સ્ટેશન જઇ આત્મસમર્પણ કરી લીધુ. આ ખૌફનાક ઘટના બાદ પૂરા ગામમાં ચર્ચાઓ થઇ રહી છે. આરોપી પોલિસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ થઇ રહી છે. પોલિસે હત્યામાં ઉપયોગ કરેલ ધારદાર હથિયારને કબ્જે કર્યુ છે.