હે ભગવાન, અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર વારાફરતી 6 નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યું; સગીરા બૂમો ના પાડે એટલે….

ગુજરાતમાં ગુનાખોરીના પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. ચોરી, લૂંટફાટ અને હત્યા જેવા ગુનાઓની સાથે દુષ્કર્મની ઘટનાઓમાં પણ ચિંતાજનક વૃદ્ધિ થઈ છે. આવી જ એક ચકચારી ઘટના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં બની છે, જ્યાં એક 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પીડિતા પોતાના કાકાના ઘરે જવા નીકળી હતી, ત્યારે એક પરિચિત વ્યક્તિ તેને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ છ નરાધમોએ તેને એકાંત સ્થળે લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજીમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક ઓળખીતો શખ્સ પીડિતાને મોટરસાઈકલ પર લઈ ગયો હતો. ત્યાંથી છ જેટલા દુષ્કર્મીઓએ માર્ગની બાજુમાં આવેલી નિર્જન જગ્યાએ તેના પર પાશવી અત્યાચાર ગુજાર્યો હતો, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય થઈ ગયું હતું. આરોપીઓ પીડિતાને અર્ધબેહોશ અવસ્થામાં છોડી ફરાર થઈ ગયા હતા. આ અંગે પીડિતાની માતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિતાની બૂમો અટકાવવા આરોપીઓએ તેના મોંમાં કપડું ઠાંસી દીધું હતું. આ ધૃણાસ્પદ ઘટના બાદ સ્થાનિક લોકોએ તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે. લોકો આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડકમાં કડક સજાની માંગણી કરી રહ્યા છે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તપાસ તેજ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી.

Divyansh
error: Unable To Copy Protected Content!